AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : 13 ગામોના 1350 અસરગ્રસ્તોને 2.78 લાખની કેશડોલ્સ સહાય ચુકવાઈ, ખેતીમાં નુક્સાનીનો સર્વે પણ હાથ ધરાયો

કેશ ડોલનો સર્વે પણ શરૂ કરાયો છે. પુર અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા મળતી કેશ ડોલ સહાય આપવા શહેર મામલતદારની ટીમ સાથે પાલિકાની ટીમ પણ સર્વેમાં જોતરાઈ છે

Navsari : 13 ગામોના 1350 અસરગ્રસ્તોને 2.78 લાખની કેશડોલ્સ સહાય ચુકવાઈ, ખેતીમાં નુક્સાનીનો સર્વે પણ હાથ ધરાયો
Cashdolls were paid to the affected
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 10:13 AM
Share

નવસારી(Navsri) તાલુકાના ૧૩ ગામોના ૧૩૫૦ અસરગ્રસ્તોને ૨.૭૮ લાખની કેશડોલ્સ સહાય ચુકવાઈ છે. રાજ્ય સરકારે આ માહિતી જાહેર કરી છે. ગત સપ્તાહે નવસારી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદ તથા ઉપરવાસમાં પડેલા વરસાદ(Heavy Rain)ના કારણે સમગ્ર જિલ્લામાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સર્વે સહીત કેશડોલ્સની ચુકવણી કરવામાં આવી રહી છે. નવસારી તાલુકાના ૧૩ ગામોમાં ૧૩૫૦ અસરગ્રસ્તોને રૂપિયા .૨.૭૮ લાખની કેશડોલ્સની ચુકવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૩ જેટલી જુદી જુદી ટીમો બનાવીને ૧૧૨ જેટલા ઘરવખરીના નુકશાનનો સર્વે કરાયો હતો. હજુ પણ સર્વેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લા કલેકટર અમીત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને તત્કાલ સહાય મળી રહે તે તંત્ર કાર્ય કરી રહ્યું છે.

પુરના પાણી ઓસર્યા બાદ નવસારી શહેરના રસ્તાઓ પર ગંદકીના કારણે રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ અભ્યાન હાથ ધરાયુ છે. ગંદકી દૂર કરવા સુરત મહાનગરપાલિકાના સહયોગથી શહેરને ફરી ધબકતું કરવામાં આવ્યું હતું. SMC માંથી આધુનિક મશીનરીઓ સાથે 300 કર્મચારીઓનો કાફલો નવસારી પહોંચ્યો હતો. આ ટુકડીએ નવસારી પાલિકાના કર્મચારીઓ સાથે મળીને શહેરને સ્વચ્છ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અડધું શહેર પાણીમાં ડૂબ્યું હતું. નવસારીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ત્રણ દિવસના ભારે વરસાદના કારણે નવસારી શહેરના 50 ટકા વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી.

આરોગ્યલક્ષી કામગીરી શરૂ છે. શહેરમાં રોગચાળો ન ફાટે એ માટે અલગ-અલગ વિસ્તારોમાં આરોગ્ય કેમ્પ, ડીડિટી પાવડરનો છંટકાવ, પાણીના સેમ્પલ લઈ તેની ચકાસણી સાથે જ 5 લાખ ક્લોરીનની ટેબ્લેટ શહેરના પુર પ્રભાવિત વિસ્તારમાં વુંતર્ન કરવામાં આવ્યું હતું. આરોગ્યવિભાગ દ્વારા ક્લોરીનયુક્ત પાણી પીવા લોકોને સલાહ આપવામાં આવી હતી.

કેશ ડોલનો સર્વે પણ શરૂ કરાયો છે. પુર અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા મળતી કેશ ડોલ સહાય આપવા શહેર મામલતદારની ટીમ સાથે પાલિકાની ટીમ પણ સર્વેમાં જોતરાઈ છે અને સર્વે બાદ સરકારી સહાય ચુકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીઓમાં પૂર અને ભારે વરસાદના કારણે જિલ્લાભરમાં ખેતીનો પાક મોટા પ્રમાણમાં ધોવાઈ ગયો છે. આ નુકસાનનું પણ સર્વે હાથ ધરવામાં આવ્યું છે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">