AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari: વારંવાર બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન

બાગાયતી પાકો માટે નંદન વન ગણાતા નવસારી (Navsari) જિલ્લાના ગણદેવી ભાગમાં મોટા ભાગે કેરી ચીકુ જેવા પાકોની ખેતી કરવામાં આવે છે. આ સિવાય ડાંગર, લીંબુ, કેરી, ચીકુ જેવા પાકો પર ખેડૂતો (Farmers) નભે છે.

Navsari: વારંવાર બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન
Heavy damage to mango and chiku crops in Navsari (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 11:26 AM
Share

આજે વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day) છે. ત્યારે પૃથ્વી પર હાલમાં ક્લાઇમેટ ચેન્જની અસર મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં (Gujarat) વાતાવરણમાં થઇ રહેલા ફેરફારો સામાન્ય માણસને ભલે ગરમીમાં રાહત આપનારા લાગે, પરંતુ ખેડૂતોની (farmers) હાલત કફોડી થઈ જતી  હોય છે. બાગાયતી પાકો માટે જાણીતા નવસારીમાં (Navsari) આ વખતે તાપમાનમાં થયેલા ફેરફારની એવી અસર પડી છે કે કેરી, ચીકુ જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને વારંવાર પડતા કમોસમી વરસાદને (Unseasonal rains) કારણે રોવાનો વારો આવ્યો છે.

કેરીના પાક માટે ખેડૂતો આખું ય વર્ષ મહેનત કરતાં હોય છે અને મધ મીઠી કેરી મળે તેવા પ્રયાસો પણ કરતાં હોય છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસર એવી તો થઈ રહી છે કે તેના કારણે ખેડૂતોની દશા બેઠી રહી છે. સતત આવી રહેલા વાતાવરણમાં પલટાને કારણે તેમના પાકો નિષ્ફળ જવાની અણી પર છે. કમોસમી વરસાદ અને તાપમાનમાં થતો વધારો-ઘટાડો કેરીના પાકને નુકસાન પહોંચાડે છે. જેના કારણે નફો તો દૂર ખાતર, દવાના પૈસા પણ નીકળવા મુશ્કેલ લાગે છે.

બાગાયતી પાકો માટે નંદન વન ગણાતા નવસારી જિલ્લાના ગણદેવી ભાગમાં મોટા ભાગે કેરી ચીકુ જેવા પાકોની ખેતી કરવામાં આવે છે. આ સિવાય ડાંગર, લીંબુ, કેરી,  ચીકુ જેવા પાકો પર ખેડૂતો નભે છે. જોકે કમોસમી વરસાદ આ તમામ ખેડૂતોને નડી ગયો છે.

હાલ આંબા પર મોર બેસવાના સમયે જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોને કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. પાક જો ગુણવત્તાસભર આવે તો તેની માર્કેટ પ્રાઇઝ ઉંચી મળે તેવી દરેક ખેડૂતને ઈચ્છા હોય છે, પરંતુ વાતાવરણ દર વખતે ખેડૂતોનો ખેલ ખરાબ કરે છે, જેની અસર આ વર્ષે પણ જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો હવે પ્રાર્થના કરી રહ્યા છે કે પાક ઉતરી જાય ત્યાં સુધી વાતાવરણમાં મોટો બદલાવ ન આવે. નહીં તો તેમણે પણ સરકાર પાસે મદદ માગવાનો વારો આવશે.

આ પણ વાંચોઃ ઊંઝા માર્કેટયાર્ડ ફરી વિવાદમાં સપડાયું, સિક્યોરિટીમાં એક કરોડનું કૌભાંડ અને ડિરેક્ટરના દીકરાને ખોટી રીતે લાભ આપ્યાનો આક્ષેપ

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને સજા માટે આજે બચાવ અને ફરિયાદી પક્ષના વકીલ વચ્ચે થશે દલીલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">