AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને સજા માટે આજે બચાવ અને ફરિયાદી પક્ષના વકીલ વચ્ચે થશે દલીલ

બચાવ પક્ષે કહ્યું એવું પણ કહ્યું હતું કે બન્ને વચ્ચે પ્રેમ સબંધ હતો. આ મામલે કોર્ટે કહ્યું કે ગીષ્માના મોબાઈલમાં રહેલ તમામ ડેટાની કોર્ટે તપાસ કરી હતી. જેમાં મરનાર ગિષ્મા વેકરીયાને કોઈ પ્રેમ સબંધ હોવાના પુરાવા સામે આવ્યા નથી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો તેવું કોઈ પુરવાર થયું નથી.

Surat: ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને સજા માટે આજે બચાવ અને ફરિયાદી પક્ષના વકીલ વચ્ચે થશે દલીલ
Grishma murder case
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 7:41 AM
Share

સુરત (Surat) જિલ્લાના કામરેજ તાલુકા પાસોદરા ખાતે ગત 12 જાન્યુઆરીના રોજ ગિષ્મા વેકરીયાની હત્યા કેસ (Grishma murder case) માં આરોપી ફેનીલ ગોયાણી જાહેરમાં હત્યા કરાઈ હતી. આ કેસ ડે ટુ ડે સુરત કોર્ટમાં ચાલતો હતો આ કેસની કાર્યવાહી માત્ર દોઠ મહિનામાં પૂર્ણ કરી છે તમામ ગુનામાં આરોપી ફેનીલ ગોયાણીને કલમ 302 હેઠળ દોષિત ઠેરવ્યો છે અને આજે સજા મામલે બંને પક્ષો દ્વારા દલીલ કરાશે. જોકે સરકારી વકીલ દ્વારા આરોપીને ફાંસીની સજા થયા તેવી દલીલ કરવાની વાત જાણવા મળી છે.

આ કેસમાં કોર્ટે કહ્યું કે વીડિયો ક્લિપ સૌથી મહત્વનો પુરાવો હતો. વીડિયો ઉતારનાર ન તો આરોપીને ઓળખતો હતો કે ન તો ગિષ્માના પરિવારને ઓળખતો હતો. આરોપીએ જે બે કોલ કર્યા હતા ત્યારે તે કોઈના દબાણ ન હતો. બચાવ પક્ષે કહ્યું હતું કે આરોપીને દબાણ કરવામાં આવ્યું હતું. બચાવ પક્ષે કહ્યું એવું પણ કહ્યું હતું કે બન્ને વચ્ચે પ્રેમ સબંધ હતો. આ મામલે કોર્ટે કહ્યું કે ગીષ્માના મોબાઈલમાં રહેલ તમામ ડેટાની કોર્ટે તપાસ કરી હતી. જેમાં મરનાર ગિષ્મા વેકરીયાને કોઈ પ્રેમ સબંધ હોવાના પુરાવા સામે આવ્યા નથી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો તેવું કોઈ પુરવાર થયું નથી. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કોર્ટે પણ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે. કોર્ટે 35 વખત વીડિયો જોઈ ને તપાસ કરી હતી અને 35 વખત વીડિયો જોઈને બહાર આવ્યું હતું. આરોપીએ બીજું ચપ્પુ કમરમાં રાખ્યું હતું.

આરોપી ફેનીલને બોલવા માટે છેલ્લી તક આપી હતી પણ તે કંઈ બોલ્યો ન હતો

આરોપી ફેનીલને કોર્ટે પૂછ્યું હતું કે તારે કંઈ બોલવું છે ત્યારે આરોપીએ ના પાડી હતી. બાદમાં કોર્ટે કહ્યું કે બે સજાની જોગવાઈ છે, આજીવન કારાવાસ અને મૃત્યુ દંડ. કોર્ટ આરોપીને તક આપે છે . તેં મનુષ્યવધ નો ગુનો કર્યો છે. બનાવ વખતે યુવતી રડતી જોવા મળે છે તને શા માટે મૃત્યુ દંડની સજા ન આપી શકું. જે કહેવું હોય તે કહી શકે છે. વધુમાં કોર્ટે આરોપીને કહ્યું કે ગભરાવાની જરૂર નથી. કોર્ટ પોલીસ નથી. આરોપીને વારંવાર કોર્ટ દ્વારા બોલવાનું કહ્યું પણ કંઈ બોલ્યો ન હતો. કોર્ટે 5 વખત આરોપીને કહ્યું કે કંઈ બોલવું છે? ત્યારે પાંચેય વખત આરોપીએ ના પાડી હતી .

302ની કલમ હેઠળ મહતમ ફાંસીની પણ સજા થઈ શકે

કોર્ટે પુરાવા તરીકે રજૂ કરાયેલ વીડિયો, એફ.એસ.એલ. રિપોર્ટ તેમજ અન્ય પુરાવા શંકારહિત માનેલ છે અને એમ પણ કહ્યું છે કે પ્રોફેશનલ કિલર જેવી હત્યા કરેલ છે. 302ની કલમ હેઠળ મહતમ ફાંસીની પણ સજા કરી શકું છું અને 302 હેઠળ આજીવન કેદની સજા પણ કરી શકું છું. આજે આરોપીને સજા માટે દલીલો થશે. સરકારી વકીલ તરફથી આરોપીને ફાંસીની સજા થાય તેવી દલીલો કરાશે. આરોપી અને ફરિયાદી બન્નેને કોર્ટે પૂરતો સમય આપ્યો છે. ગ્રીષ્માના પરિજનોની એક જ માંગ છે કે આરોપીને ફાંસીની સજા થાય.

આ પણ વાંચોઃ Rajkot: ગાંઠિયાને નરમ અને ફૂલેલા બનાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક એક એવી વસ્તુ નખાય છે જે વિશે સાંભળતાં જ મોઢું કડવું થઈ જશે

આ પણ વાંચોઃ Anand : સોખડા હરિધામ વિવાદ વચ્ચે પ્રબોધ સ્વામી બાકરોલના આત્મીય વિદ્યાધામ પહોંચ્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">