AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : ફળફળાદિ ચીકુના પાકમાં માખીઓનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોને નુકસાનની ભીતિ

નવસારી જિલ્લામાં ચીકુએ મહત્વનો પાક છે. પરંતુ વરસાદ લંબાવાની સાથે માખીઓનો ઉપદ્રવ વધ્યો છે. જે ચીકુના પાકને મોટાપાયે નુકશાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

Navsari : ફળફળાદિ ચીકુના પાકમાં માખીઓનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોને નુકસાનની ભીતિ
Navsari: Fly infestation on fruit chickpea crop increases, farmers fear loss (file)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 6:43 AM
Share

Navsari : જિલ્લામાં ચીકુએ મહત્વનો પાક છે. પરંતુ વરસાદ લંબાવાની સાથે માખીઓનો ઉપદ્રવ વધ્યો છે. જે ચીકુના પાકને મોટાપાયે નુકશાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. મહત્વનું છે કે, ખેંચાયેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં ચોક્કસ પણે વધારો થયો છે.

ચીકુ પકવતા ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી ખોટનો સોદો કરી રહ્યા છે. 100 વર્ષથી વધુ સમયથી નવસારી પંથકમાં ચીકુનો પાક લેવામાં આવે છે. પરંતુ પર્યાવરણની અનિયમિતતા ખેડૂતો માટે માથાનો દુખાવો બની છે. સમગ્ર ઉતર ભારતમાં વખણાતા નવસારી જીલ્લાના ચીકુના મોર વરસાદ ખેંચાતા ઝાડ પરથી ખરી પડ્યા છે. પહેલા સમય કરતા વહેલા વરસાદે ચીકુના ઝાડ પર ઉગેલા મોરને માર માર્યો. ત્યારબાદ વરસાદ લંબાતા માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.

આ મામલે ખેડૂત પરિમલભાઇ દેસાઇએ કહ્યું કે ” વહેલો વરસાદ પડવાથી ઉગેલા ચીકુના ફ્લાવર ખરી પડ્યા અને ત્યાર બાદ વરસાદ લંબાતા બાકીના ફ્લાવર પણ ખરી પડ્યા. આ વખતે અત્યારે જે ચીકુ મળવા જોઈએ તેની શરુઆત થઇ નથી. હવે નવા ફ્લાવર આવશે તે જ ચીકુ બેસશે. તેથી સીજન લેટ થશે.”

વરસાદની અનિયમિતતાને કારણે આ વર્ષે ઘણા વિસ્તારોમાં ચીકુના પાકમાં ફ્લાવર ડ્રોપીંગનું નુકશાન જોવા મળ્યું છે. વરસાદ બાદ વાદળ છાયા વાતાવરણને કારણે આ સમસ્યા ચીકુના પાકમાં સર્જાય છે, જેને પહોંચી વળવા ક્યાં પ્રકારના પગલા લઇ શકાય તે અંગે નવસારી કૃષિ યુનિવર્સીટીના ડો સી. કે. ટીંબળીયા દ્વારા માવજત કરવા અંગે સલાહ આપવામાં આવી.

આ મામલે નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડો. સી કે ટીંબળીયાએ જણાવ્યું કે “આ વર્ષની સ્થતિમાં વરસાદ ખેંચાતા ઘણા વિસ્તારમાં ફ્લાવર ડ્રોપીંગ ની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને વરસાદ પુરતો થયા પછી વરસાદ ખેચાય તો નુકસાન વધારે થતું નથી . પરંતુ લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણ રહે તો આ નુકસાન જોવા મળે. આ સમયે ખેતરની અંદર જઈ શકાય એમ હોય તો રાસાયણિક ખાતરના ત્રણ ની જગ્યાએ ચાર ડોઝ આપી દેવા તો આ ઉત્પાદનમાં ફાયદો થાય. અગાઉ ની માવજત પણ પાક પર વિવેશ ભાગ ભજવે છે.”

પર્યાવરણની અનિયમિતતાથી સૌથી વધુ નુકશાન ખેડૂતોને થાય છે. જેને કારણે ખેત ઉત્પાદન દિવસે દિવસ ઘટી રહ્યું છે. બીજી તરફ વાતાવરણની સાયકલ ખોરવાતા નજીકના ભવિષ્યના સમયમાં આ ફેરફારો સજીવ સૃષ્ટિ માટે ભય સમાન ન બને તે માટે હાલ જ “પર્યાવરણ બચાવો” નો મંત્ર અપનાવવો એ સમયની માંગ છે.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">