AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી : એક ગરીબ અને અનાથ વિદ્યાર્થીની કલેક્ટર બનવાની ખેવના અને મક્કમ મનોબળની કહાની, હતાશ વિદ્યાર્થીઓએ વાંચવી જ રહી

વિજલપોરનો આ બાળક પોતાના પરિવારથી વિખુટો પડી ગયા છતાં મન હાર્યો નહી. આ વિદ્યાર્થીએ 1 વર્ષની ઉમરમાં પોતાની માતાને ગુમાવ્યાં બાદ એકમાત્ર આધાર તેના ફૂવાને પણ કોરોનાએ ઝપેટમાં લેતા પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું.

નવસારી : એક ગરીબ અને અનાથ વિદ્યાર્થીની કલેક્ટર બનવાની ખેવના અને મક્કમ મનોબળની કહાની, હતાશ વિદ્યાર્થીઓએ વાંચવી જ રહી
Navsari: A story of a poor and orphaned student's desire to become a collector and strong morale (શિવમ શર્મા-ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 9:32 PM
Share

Navsari: માતાની મમતા અને પિતાની છત્રછાયા જમાનાની ભાગદોડમાં ક્યાંક ખોવાયા છે તેવી સ્થિતીમાં જીવતા નવસારીનો યુવાન 12 ધોરણમાં પહોંચ્યો. પરંતુ કોરોનાકાળે નાથ બનેલા ફોઈ ફુવાનો સહારો પણ છીનવી લેતા અનાથ બની ગયો છે. સમગ્ર જીવનચર્યા જાતે કરી 12માંની પરીક્ષાના (Board Exam) આંગણે ઉભો છે.

કહેવાય છે કે, માતાપિતાએ બાળકોના પાલન હાર હોય છે. પરંતુ અહીં નવસારીના વિજલપોરમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં એક વર્ષની વયે બલકે માતા-પિતા તો ગુમાવ્યા પરંતુ ત્યાર બાદ તેનું ભારણ પોષણ કરનાર એકમાત્ર આધાર સમા ફૂવા કોરોનાએ છીનવ્યા. તેમ છતાં આ અડગ મનના બાળકના દિલમાં રહેલી કલેકટર બનવાની ચાહના જ તેને મજબુત બનાવી રહી છે. આ સમગ્ર વાત છે નવસારીના વિજલપોરમાં રહેતા શિવમ શર્માની (Shivam Sharma) જે હાલમાં નાપાસ થવાની બીકે આત્મહત્યા કરી લેતા વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ રૂપ બની ગયો છે.

તમામ પરિવારો આર્થિક કે સામાજિક રીતે કોઈકને કોઈક મુશ્કેલીમાં ચાલી રહ્યો હોય છે. પરંતુ વિજલપોરનો આ બાળક પોતાના પરિવારથી વિખુટો પડી ગયા છતાં મન હાર્યો નહી. આ વિદ્યાર્થીએ 1 વર્ષની ઉમરમાં પોતાની માતાને ગુમાવ્યાં બાદ એકમાત્ર આધાર તેના ફૂવાને પણ કોરોનાએ ઝપેટમાં લેતા પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું. જે બાદ પણ અડીખમ અને મક્કમ મનોબળ સાથે ધોરણ 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. શિવમને 12 પાસ કરીને વધુ અભ્યાસ કરવો છે. સાથે જ તેને UPSC પાસ કરી કલેક્ટર બનવાની ઈચ્છા પણ તેણે વ્યક્ત કરી હતી. ટી.વી 9 એ કરેલી વાતચીતમાં શિવમે જણાવ્યું હતું કે, તેણે પોતાના પિતાને જોયા જ નથી, તો એક વર્ષની વયે મમ્મી પણ અવસાન પામતા તેના ફુવા તેને યુ.પીના રાયબરેલીથી 4 વર્ષની વયે તેને નવસારી લાવ્યા હતા. ત્યારથી ફુવા સાથે જીવતા શિવમનો સાથ દુઃખો એ છોડ્યો નહોતો.

વિજલપોરની નાની ઓરડીમાં રહેતો અને એકલતા સાથે જીવતો શિવમ લાખો લોકો માટે મોટીવેશન સમાન બની ગયો છે. જેની પ્રેરણા નાની નાની વાતને લય જિંદગી હારી જતા લોકોએ લેવી જરૂરી બની છે. આવા બાળકોની મદદે કોઇ આવશે કે કેમ કે ફક્ત શિક્ષણ શિક્ષણના નારા જ લગાવવામાં આવશે તે હવે જોવું રહ્યું.

આ પણ વાંચો : ખાદ્યતેલના ભાવમાં એક મહિનામાં અસહ્ય વધારો, ડબ્બા દીઠ 250 રૂપિયા જેટલો વધારો ઝીંકાતા પ્રજા પરેશાન

આ પણ વાંચો : ગુજરાત કથિત વનરક્ષક પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">