1917માં મહારાજાએ શરૂ કરેલી રાજપીપલા-અંકલેશ્વર ટ્રેન બંધ, ફરી શરૂ કરવા રાજવી પરિવારે મોદીને પત્ર લખ્યો

રાજપીપલાથી મહારાજ સ્વ. વિજયસિંહજીને મુંબઈ સુધી જવું હોઈ અને રાજપીપળાના લોકોને ટ્રેનની સગવડતા મળે તે હેતુથી નેરોગેજ રેલવે લાઈન શરુ કરવામાં આવી હતી. આ નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં પરિવર્તિત કરવા માટે રાજવી પરિવારે દિલ્હી સુધી અનેક રજૂઆતો કરતા બ્રોડગેજની લાઈન નંખાઈ હતી.

1917માં મહારાજાએ શરૂ કરેલી રાજપીપલા-અંકલેશ્વર ટ્રેન બંધ, ફરી શરૂ કરવા રાજવી પરિવારે મોદીને પત્ર લખ્યો
The royal family wrote a letter to Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 4:55 PM

1917માં મહારાજા સ્વ.વિજયસિંહજીએ શરુ કરેલી રાજપીપલા (Rajpipala) થી અંકલેશ્વર (Ankleswar) વચ્ચે ચાલતી ટ્રેન (Train) બંધ થઈ જતાં રાજપીપલાના રાજવી પરિવારે દુઃખની લાગણી વ્યક્ત કરવાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ટ્રેન ફરી શરુ કરવા રજૂઆત કરી છે. નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે ચાલતી ટ્રેન બંધ થઈ જતાં વિકાસથી વંચિત રહી ગયું છે વર્ષ 1917 માં પ્રજવત્સલ રાજા સ્વ. વિજયસિંહજી મહારાજે રાજપીપલાથી અંકલેશ્વરને જોડતી નેરોગેજ રેલવે લાઈન શરુ કરાવી હતી. રાજપીપલાથી મહારાજ સ્વ. વિજયસિંહજીને મુંબઈ સુધી જવું હોઈ અને રાજપીપળાના લોકોને ટ્રેનની સગવડતા મળે તે હેતુથી નેરોગેજ રેલવે લાઈન શરુ કરવામાં આવી હતી. આ નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં પરિવર્તિત કરવા માટે રાજવી પરિવારે દિલ્હી સુધી અનેક રજૂઆતો કરતા બ્રોડગેજની લાઈન નંખાઈ હતી.

વર્ષ 2013 માં રાજપીપલા અંકલેશ્વર નેરોગેજ લાઈનનું બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું અને રાજપીપલા રેલવે સ્ટેશન ખાતે ટિકિટ બુકીંગ વિન્ડો પણ શરુ કરવામાં આવી હતી. હાલમાં જ એક વર્ષ પેહલા રાજપીપલા અંકલેશ્વર ટ્રેન મુસાફર નહિ હોવાના કહીને રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવી છે. ટ્રેન તો બંધ કરી પણ હાલ તો ટિકિટ બુકીંગ વિન્ડો પણ બંધ કરી દેવામાં આવી છે. હવે રાજપીપળાના રહીશોને રેલવેની ટિકિટ બુક કરાવવા માટે 30 કિલોમીટર દૂર કેવડિયા ખાતે જવું પડે છે. ટિકિટ બુકીંગની સાથે આવવા જવાનો ખર્ચ પણ વધી જાય છે.

આ પણ વાંચો

આ ટ્રેન સ્થાનિક વેપારીઓની જરૂરિયાત છે. જેથી સ્થાનિક નગરજનોની રજૂઆત રાજપીપલાના પ્રજાવત્સલ મહારાજા રઘુવીરસિંહજી અને મહારાણી રુક્મણીદેવીજીને કરતા મહારાણીએ દેશના પ્રધાન મંત્રીને ટ્રેન અને બુકીંગ વિન્ડો ફરી શરુ કરવાં માંગ કરતો પત્ર લખ્યો છે. સાથે રેલવે મિનિસ્ટર અને રાજ્યના મુખ્ય મંત્રીને પણ લેખિત રજુઆત કરી છે. કેવડિયાથી રાજપીપલા રેલવે લાઈન જોડી અંકલેશ્વર સુધી દોડાવવા માંગ કરી છે. જો નહિ થાય તો સ્થાનિક વેપારીઓ રાજપીપળાથી હિજરત કરવાનું વિચારી રહ્યા હોય એમ મહારાણીએ જણાવ્યું છે. જો ટ્રેન શરુ નહીં થાય તો રજવાડી નગરી ખતમ થઇ જશે. જે બાબત પણ પોતાની રજુઆતમાં દર્શાવી છે. કેવડિયાના વિકાસ વચ્ચે રાજપીપલા શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. રાજપીપલા કેવડિયા લાઈન જોડી અંકલેશ્વર લાઈન પર રેલવે દોડાવવાથી મુસાફરોનો ટ્રાફિક ખુબ વધી શકે તેમ છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">