AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી, વિંધ્યાચલના જંગલમાં પ્રવાસીઓને ફેરવવામાં આવશે

કેસુડાના ફૂલો સાથે ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિમી સુધીનું ટ્રેકીંગ કરી પ્રવાસીઓને ખલવાણી ઇકો ટુરિઝમ સાઇટની મુલાકાત કરાવી પ્રવાસીઓને કેસુડાની ચા અને શરબત સાથે હળવો નાસ્તો અપાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી, વિંધ્યાચલના જંગલમાં પ્રવાસીઓને ફેરવવામાં આવશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 4:33 PM
Share

નર્મદા (Narmada) જિલ્લામાં વસંતઋતુમાં ખાખરના વૃક્ષ પર થતાં કેસુડાના ફૂલની સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)  દ્વારા કેસુડા ટૂર (Kesuda Tour) ની શરૂઆત કરવામાં આવી છે. કેસુડા ટૂરની મજા માણીને પ્રવાસીઓ ખૂબ આનંદિત થઈ રહ્યા છે. પ્રવાસીઓ (tourists) કુદરતની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ (Vindhyachal) પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ની પરીકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે. અત્યારસુધી દેશ-વિદેશના ૭૮ લાખ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. ત્યારે આ વિસ્તારની ખાસ વિશેષતા એ પણ છે કે આ એકતાનગર વિસ્તારમાં કેસુડા એટલે કે ખાખરના લગભગ 65000 વૃક્ષ છે. વસંતઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેથી હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી છે.

સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. હાલ ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમન થતાની સાથે જ અહીંના તમામ વિસ્તારમાં ચારેબાજુ પાનખર ઋતુમાં સુકાયેલા વૃક્ષોની વચ્ચે ખાખરના વૃક્ષો પર કેસરી કલરના ફૂલોથી વન વિસ્તારનું વાતવરણ સોળેકળાએ ખીલી ઉઠ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા હાલ કેસુડા ટૂર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી રહ્યા છે .પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવે છે જ્યાં કેસુડાના ફૂલો સાથે ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિમી સુધીનું ટ્રેકીંગ કરી પ્રવાસીઓને ખલવાણી ઇકો ટુરિઝમ સાઇટની મુલાકાત કરાવી પ્રવાસીઓને કેસુડાની ચા અને શરબત સાથે હળવો નાસ્તો અપાય છે.

આ સફરમાં પ્રવસીઓ સાથે નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ગાઈડ કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય પણ કરાવે છે જેથી પ્રવાસીઓ ખુબજ ઉત્સાહથી આ સફર કરી આંનદ નો અનુભવ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મહુડીમાં કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાર્દિક પટેલનો બોયકોટ, સ્પીચ આપવા ઊભા થતાં જ એક જૂથના હોદ્દેદારો બહાર નીકળી ગયા

આ પણ વાંચોઃ ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવશે, હવામાન વિભાગે હીટવેવની કરી આગાહી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">