સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી, વિંધ્યાચલના જંગલમાં પ્રવાસીઓને ફેરવવામાં આવશે

કેસુડાના ફૂલો સાથે ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિમી સુધીનું ટ્રેકીંગ કરી પ્રવાસીઓને ખલવાણી ઇકો ટુરિઝમ સાઇટની મુલાકાત કરાવી પ્રવાસીઓને કેસુડાની ચા અને શરબત સાથે હળવો નાસ્તો અપાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી, વિંધ્યાચલના જંગલમાં પ્રવાસીઓને ફેરવવામાં આવશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 4:33 PM

નર્મદા (Narmada) જિલ્લામાં વસંતઋતુમાં ખાખરના વૃક્ષ પર થતાં કેસુડાના ફૂલની સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)  દ્વારા કેસુડા ટૂર (Kesuda Tour) ની શરૂઆત કરવામાં આવી છે. કેસુડા ટૂરની મજા માણીને પ્રવાસીઓ ખૂબ આનંદિત થઈ રહ્યા છે. પ્રવાસીઓ (tourists) કુદરતની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ (Vindhyachal) પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ની પરીકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે. અત્યારસુધી દેશ-વિદેશના ૭૮ લાખ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. ત્યારે આ વિસ્તારની ખાસ વિશેષતા એ પણ છે કે આ એકતાનગર વિસ્તારમાં કેસુડા એટલે કે ખાખરના લગભગ 65000 વૃક્ષ છે. વસંતઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેથી હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી છે.

સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. હાલ ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમન થતાની સાથે જ અહીંના તમામ વિસ્તારમાં ચારેબાજુ પાનખર ઋતુમાં સુકાયેલા વૃક્ષોની વચ્ચે ખાખરના વૃક્ષો પર કેસરી કલરના ફૂલોથી વન વિસ્તારનું વાતવરણ સોળેકળાએ ખીલી ઉઠ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા હાલ કેસુડા ટૂર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી રહ્યા છે .પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવે છે જ્યાં કેસુડાના ફૂલો સાથે ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિમી સુધીનું ટ્રેકીંગ કરી પ્રવાસીઓને ખલવાણી ઇકો ટુરિઝમ સાઇટની મુલાકાત કરાવી પ્રવાસીઓને કેસુડાની ચા અને શરબત સાથે હળવો નાસ્તો અપાય છે.

આ સફરમાં પ્રવસીઓ સાથે નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ગાઈડ કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય પણ કરાવે છે જેથી પ્રવાસીઓ ખુબજ ઉત્સાહથી આ સફર કરી આંનદ નો અનુભવ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મહુડીમાં કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાર્દિક પટેલનો બોયકોટ, સ્પીચ આપવા ઊભા થતાં જ એક જૂથના હોદ્દેદારો બહાર નીકળી ગયા

આ પણ વાંચોઃ ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવશે, હવામાન વિભાગે હીટવેવની કરી આગાહી

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">