Gujarat Assembly Election 2022: આદિવાસીઓને રિઝવવાની તમામ પક્ષોની મથામણ પાછળનું ગણિત શું છે, વાંચો અહીં

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નર્મદા જિલ્લામાંથી ભાજપની વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના લોન્ચ કરી હતી.

Gujarat Assembly Election 2022: આદિવાસીઓને રિઝવવાની તમામ પક્ષોની મથામણ પાછળનું ગણિત શું છે, વાંચો અહીં
CR Patil
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 3:22 PM

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરવા લાગી ગયા છે. આ બધામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે તમામ રાજકીય પક્ષો આદિવાસી મતદારોને રીઝવવાની મથામણ અત્યારથી જ શરૂ કરી દીધી છે. એપ્રિલ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં રેલી કરી હતી ત્યાર બાદ આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરિવાલે નર્મદા જિલ્લામાં રેલી સંબોધી હતી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દાહોદમાં સભા સંબોધી આદીવાસીઓને કોંગ્રેસ તરફ વાળવાની કોશિશ કરી હતી. આ જ પરિપેક્ષમાં આજે ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નર્મદા જિલ્લામાંથી ભાજપની વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના લોન્ચ કરી હતી. આમ તમામ રાજકીય પક્ષો આદિવાસી પ્રભુત્વવાળા વિસ્તાર પર સૌથી વધુ ધ્યાન આપી રહ્યા છે. તો જાણીએ તેનું શું ગણિત છે.

આદિવાસી જ્ઞાતિના ગણિત પર નજર કરીએ તો 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓનું 38 બેઠકો પર પ્રભુત્વ છે. જેમાં રાજ્યનો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે. એટલે કે આદિવાસી પૂર્વ પટ્ટીના 14 જિલ્લા ભાજપનું 182 બેઠકોનું સપનું સાકાર કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે 27 અનામત બેઠકોમાંથી 15 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠકો પર BTPનો કબજો છે. જ્યારે ભાજપ પાસે માત્ર 9 બેઠકો જ છે ત્યારે BTPના ગઢમાં ગાબડુ પાડી નર્મદાની 2 બેઠકો અંકે કરવા ભાજપની નજર છે

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આદિવાસી જ્ઞાતિનું ગણિત

  • વસતી – 15 ટકા
  • પ્રભુત્વ – 38 બેઠક
  • અનામત – 27 બેઠક
  • પ્રભુત્વ – દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત

2017માં કોના ફાળે કેટલી બેઠક ?

  • વિધાનસભાની 27 બેઠકો આદિવાસી અનામત
  • 15 બેઠકો કોંગ્રેસના ફાળે
  • 9 બેઠકો પર ભાજપનો કબજો
  • 2 બેઠકો BTPના ફાળે
  • 1 બેઠક પર અપક્ષનો કબજો

આદિવાસી મતદારનું કયા જિલ્લા પર પ્રભુત્વ ?

  • ઉત્તર ગુજરાત – બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,
  • મધ્ય ગુજરાત – મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર
  • દક્ષિણ ગુજરાત – નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ

ભાજપના મિશન આદિવાસી પાછળના કારણો

  • વિધાનસભાની 182 બેઠકો જીતવા ભાજપનો ટાર્ગેટ
  • લક્ષ્યાંકને પાર પાડવા અનામત બેઠકો જીતવી જરૂરી
  • વર્ષોથી કોંગ્રેસનો અનામત બેઠકો પર છે દબદબો
  • 2012- 2017માં કોંગ્રેસે જીતી હતી 15-15 બેઠકો
  • કોંગ્રેસનો ગઢ ગણાય છે આદિવાસી અનામત બેઠકો
  • કોંગ્રેસ આદિવાસી વિસ્તારથી ચૂંટણીના કરે છે શ્રીગણેશ
  • ભાજપ અનામત બેઠકો અંકે કરવામાં રહ્યું છે નિષ્ફળ
  • 2022ની ચૂંટણીમાં બેઠકો જીતવા એડિચોટીનું જોર
  • કોંગ્રેસની જીતની પરંપરા તોડવા ભાજપ કટિબદ્ધ

શું છે ભાજપની રણનીતિ ?

  • ભાજપનો વિધાનસભા 2022 ચૂંટણી માટે પ્લાન
  • આદિવાસી મતબેંક પર ભાજપનું ધ્યાન કેન્દ્રીત
  • તમામ 27 બેઠકો અંકે કરવા ભાજપની મથામણ
  • કોંગ્રેસ પાસેથી 15 બેઠકો આંચકવાનો પ્રયાસ
  • વિધાનસભાની 182 બેઠકો પર જીતનો લક્ષ્યાંક
  • BTPના ગઢમાં ગાબડું પાડવાની કોશિશ
  • લક્ષ્યાંક હાસંલ કરવા આદિવાસી મતબેંક અંકે કરવી જરૂરી

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">