‘Statue of Unity’ ખાતે બનશે 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલ, સ્થાનિકો માટે રોજગારીની તકો વધશે

નર્મદા નિગમ દ્વારા 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલમાં રોકાણકારો માટે એક જાહેરાત આપવામાં આવી છે, આમ તો આ તમામ પ્રોજેક્ટોમાં 3,500 લોકોને રોજગારી મળી રહી છે.

'Statue of Unity' ખાતે બનશે 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલ, સ્થાનિકો માટે રોજગારીની તકો વધશે
Statue of Unity
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 7:10 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)નું સ્વપ્નું હતું કે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ગુજરાતમાં બને, જેને માટે તેમને કેવડિયાના સાધુ બેટની જગ્યાની પસંદગી કરી માત્ર 48 મહિનામાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં આવી. આ પ્રતિમાનું લોકર્પણ 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું, સૌથી ઉંચી પ્રતિમા જોવા માટે દેશ વિદેશમાંથી લોકો કેવડિયા ખાતે આવે છે. અહીં રોજના 35,000 પ્રવાસીઓ પ્રતિમાને જોવા માટે આવે છે.

ત્યારે અહીં આવનાર પ્રવાસી માત્ર સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) જ જોવા આવે તેવું નથી, અહીં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બીજા ઘણા પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા. જેમાં જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ, કેક્ટ્સ ગાર્ડન, રિવર રાફટિંગ, ફલાવર ઓફ વેલી, ગ્લો ગાર્ડન અને આરોગ્ય વન સહિતના પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા, જો કે અહીં આવનાર પ્રવાસી આ તમામ પ્રોજેકટની જો મુલાકાત લે તો તેમને 2થી 3 દિવસનું રોકાણ કરવું પડે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જેના માટે હાલમાં જ નર્મદા નિગમ દ્વારા 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલમાં રોકાણકારો માટે એક જાહેરાત આપવામાં આવી છે, આમ તો આ તમામ પ્રોજેક્ટોમાં 3,500 લોકોને રોજગારી મળી રહી છે. આ પ્રોજેકટમાં કોઈ ગાઈડ છે તો કોઈ સિક્યુરિટી તરીકે નોકરી કરી રહ્યા છે તો જંગલ સફારી પાર્કમાં એનિમલ ટ્રેનર તરીકે પણ સ્થાનિકોને રોજગારી મળી રહી છે, અહીં બનેલા તમામ પ્રોજેકટમાં સ્થાનિકોને તો રોજગારી મળી રહી છે, સાથે સાથે બહારથી આવતા લોકોને પણ રોજગારી આપી રહ્યા છે.

હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા ડેમમાં જે લોકોની જમીન ગઈ છે તેવા અસરગ્રસ્ત લોકો માટે કેવડિયા હેલિપેડની બાજુમાં અને જંગલ સફારી પાર્કની સામે રોજગારી મળી રહે તે માટે દુકાનો બનાવવાની પણ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. SOU પર આવતા પ્રવાસીઓ આદિવાસી વિસ્તારનું ભોજન પણ લઈ શકે તે માટે એકતા નર્સરીમાં આદિવાસી મહિલાઓ દ્વારા ચાલતા મહિલા મંડળ થકી ભોજન પણ પીરસવામાં આવે છે અને તેના થકી પણ મહિલાઓ અહીં રોજગારી મેળવી રહી છે. હવે જો આ વિસ્તારમાં 3 સ્ટાર કે 4 સ્ટાર હોટલ બનશે તો નાનું મોટું કામ સ્થાનિકોને મળી રહેશે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક બનશે થ્રી સ્ટાર અને ફોર સ્ટાર હોટલ

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક થ્રી સ્ટાર અને ફોર સ્ટાર આમ બે હોટલ બનાવવા માટે નર્મદા નિગમે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. વિદેશી અને શ્રીમંત લોકો મોટી સંખ્યામાં પ્રવાસનનો લાભ લે તેવા પ્રયાસો આદરી દેવાયા છે.

નર્મદા નિગમે થ્રી સ્ટાર હોટલ એક કે બે એકરમાં અને ફોર સ્ટાર 2 કે 3 એકર જમીનમાં બનાવવા માટેની જાહેરાત કરી છે. આમ બે વૈભવી હોટલ બનાવવા માટે આ જમીન 99 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. કેવડિયા વિસ્તારમાં હાલ નવા અનેક પ્રોજેકટ બની રહ્યા છે તો દિન પ્રતિદિન પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં વૈભવી હોટલ બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">