NARMADA: લાછરસ ગામે માત્ર 6 જ દર્દી કોરોના સંક્રમિત છતા PHC સેન્ટરમાં તમામ પ્રકારની કોવિડની સુવિધાઓ

અહીં આજુ બાજુ ના 15 ગામો ના લોકો ને કોઈપણ પ્રકાર નો ટેસ્ટ કરાવવા માટે રાજપીપલા કોવિડ સેન્ટર કે રાજપીપલા ના કોઈ બીજા હોસ્પિટલમાં જવું પડતું નથી

Rahul Vegda
| Edited By: | Updated on: May 07, 2021 | 7:12 AM

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામના PHC સેન્ટર માં કોવિડ માટે ની તમામ સુવિધા ઓ પુરી પાડવામાં આવી રહી છે. લાછરસ ગામમાં હાલ માત્ર 6 જ દર્દીઓ કોરોના સંક્રમિત છે.આ સેન્ટર પર કોવિડ ના નોર્મલ દર્દીઓ ને સારવાર પણ આપવામાં આવે છે જોકે હાલ તો આ સેન્ટર ખાતે કોઈ દર્દીઓ નથી અને જે છે તે પોતાના ઘરે હોમકોરોન્ટાઇન થયા છે. નર્મદા જિલ્લાનું લાછરસ પટેલ સમાજ ની વસ્તી ધરાવતું ગામ મોટું ગામ છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં આવેલ PHC સેન્ટર ખાતે કોવિડ 19 ને લગતી દર્દીઓ માટે ની તમામ સુવિધાઓ થી સજ્જ છે. એ પીએચસી સેન્ટર માં બેડ ની વ્યવસ્થા છે તો 3 ઓક્સિજન ના બોટલ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આજુ બાજુ ના 15 ગામો ના લોકો ને કોઈપણ પ્રકાર નો ટેસ્ટ કરાવવા માટે રાજપીપલા કોવિડ સેન્ટર કે રાજપીપલા ના કોઈ બીજા હોસ્પિટલમાં જવું પડતું નથી.

હાલ તો 45 વર્ષ થી ઉપર ના લોકો ને વેકસીન પણ અહીં જ લાછરસ ગામના પી એચ સી સેન્ટર ખાતે જ આપવામાં આવી રહી છે. આ સેન્ટર પર કોવિડ ના નોર્મલ દર્દીઓ ને સારવાર પણ આપવામાં આવે છે જોકે હાલ તો આ સેન્ટર ખાતે કોઈ દર્દીઓ નથી અને જે છે તે પોતાના ઘરે હોમકોરોન્ટાઇન થયા છે. નર્મદા જિલ્લાનું લાછરસ પટેલ સમાજ ની વસ્તી ધરાવતું ગામ મોટું ગામ છે. અહી લોકો માં જાગૃતતા પણ ખૂબ જોવા મળી રહી છે.

રોજ લગભગ 20 થી 40 જેટલા કોરોના ના ટેસ્ટિંગ કરવામાં આવે છે. આમ તો પેહલા 70 થી પણ વધુ કરોના ના દર્દીઓ હતા પણ આજ ની વાત કરીએ તો માત્ર 6 દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે. ગામના સૌથી જાગૃત નાગરિક એવા દિનેશભાઇ દેસાઈ ની મહેનત ખૂબ રંગ લાવી છે. જો વેકસીન ન આવી હોય તો અધિકારી ને ફોન કરી ને પણ દિનેશભાઇ પોતાના ગામના લોકો માટે વેકસીન ની વ્યવસ્થા પણ કરે છે.

ખાસ તો અહીં નવા મુકાયેલા નિધીબેન મોદી કે જેઓ મેડિકલ ઓફિસર છે અને સુરત ના છે પણ પોતાના વતન થી દુર રહી ને પણ લોકો ને સમજ પાડે છે કે કોરોના થી કેવી રીતે બચી શકાય અને સરકાર દ્વારા જે ગાઈડ લાઇન આપવામાં આવી છે તેની પણ સમજ આપે છે જેથી જ તો આ ગામ માં કોરોના ના કેસો માં ઘટાડો પણ નોંધાયો છે

 

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">