AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદાના ડેડિયાપાડામાં 108ની ટીમે બતાવી તેમની ફરજનિષ્ઠા, ચાલુ વરસાદે દુર્ગમ રસ્તા પરથી દર્દીને ઝોળીમાં લઈ જઈ જીવ બચાવ્યો- Video

નર્મદાના ડેડિયાપાડામાં 108ની ટીમે કોઈપણ પરિસ્થિતિમાં દર્દીનો જીવ બચાવવાની ફરજ નિષ્ઠાનો પરિચય આપ્યો છે. દુર્ગમ રસ્તા વચ્ચે ચાલુ વરસાદે 108ની ટીમે એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોવાથી દર્દીને ઝોળીમાં ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા અને તેમને સારવાર અર્થે પહોંચાડી તેમનો જીવ બચાવ્યો હતો.

નર્મદાના ડેડિયાપાડામાં 108ની ટીમે બતાવી તેમની ફરજનિષ્ઠા, ચાલુ વરસાદે દુર્ગમ રસ્તા પરથી દર્દીને ઝોળીમાં લઈ જઈ જીવ બચાવ્યો- Video
| Updated on: Jun 27, 2026 | 9:24 PM
Share

નર્મદાના ડેડિયાપાડા હર હંમેશની જેમ જ્યાં તંત્ર વામણુ પુરવાર થયુ છે ત્યાં 108 ની ટીમની સરાહનિય કામગીરીના દર્શન થયા છે. એક તરફ માથે વરસાદ ચાલુ હોય, દુર્ગમ રસ્તાઓ એવા જગ્યાએ 108ની ટીમ માટે પણ દર્દીના ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચાડવી પડકાર સાબિત થતી હોય છે. આવી સ્થિતિમાં 108ની ટીમે જરા પણ હિંમત હાર્યા વિના તેની ફરજ નિષ્ઠાનો પરિચય આપતા દર્દીને ચાલુ વરસાદે ઝોળીમાં ઉંચકીને લઈ ગયા અને તેને એમ્બ્યુલન્સમાં સુધી પહોંચાડી સારવાર અર્થે ખસેડ્યા હતા.

ડેડિયાપાડામાં 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ તેમની હિંમત અને ફરજ નિષ્ઠાનો પરિયચ આપતા દર્દીને ઝોળીમાં બેસાડીને પગપાળા મુશ્કેલ માર્ગ પાર કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. જે બાદ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી જીવ બચાવ્યો હતો. હાલ 108ના કર્મીઓની આ પહેલનો વીડિયો વાયરલ થયો છે અને તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.

જુઓ Video

આપને જણાવી દઈએ કે નર્મદા આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે અને અહીં મોટાભાગના રસ્તાઓ દુર્ગમ સ્થિતિ છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ છેવાડાના કહી શકાય એવા વિસ્તારોમાં પાકી સડક હોવી એ એક દિવાસ્વપ્ન જેવુ છે. તેમા પણ વરસાદી સિઝનમાં આ લોકોની હાલત વધુ કફોડી બનતી હોય છે. પહાડી,  ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાથી મોટાભાગના માર્ગો કાચા છે. ત્યારે ચોમાસાની સિઝનમાં અહીં ગામ સુધી એમ્બ્યુલન્સ જેવી ઈમરનજન્સી સેવા પણ પહોંચી શક્તી નથી. દરેક વખતે તંત્ર દ્વારા ઠાલા વચનો આપવામાં આવે છે પરંતુ અહીં પાકી સડક બનતી નથી. ત્યારે 108ના ફરજ પરસ્ત આ કર્મીઓએ સાબિત કર્યુ છે કે નિયત હોય તો કોઈપણ પરિસ્થિતિમાં ફરજ નિભાવી શકાય છે. આ વિસ્તારમાંથી આ જ પ્રકારે ઝોળીમાં ઉંચકીને લઈ જવાના અનેકવાર દૃશ્યો સામે આવતા હોય છે પરંતુ આ વખતે ગામલોકો દ્વારા નહીં પરંતુ 108ની ટીમ દ્વારા દર્દીનો જીવ બચાવવા માટે આ પ્રકારની જહેમત લેવામાં આવી, જે ખરેખર સરાહનીય છે.

Input Credit- Vishal Pathak- Narmada

Breaking News: અમરેલીમાં માનવભક્ષી ચારેય સિંહોને કરાઈ આજીવન કેદની સજા, જુનાગઢ સક્કરબાગ ઝુમાં મોકલાશે

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">