નડિયાદ : સંતરામ મંદિરમાં દેવદિવાળીની તૈયારીઓ, મંદિર હજારો દીવડાઓથી ઝગમગી ઉઠશે

નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિરમાં આવતીકાલે (શુક્રવાર) ઢળતી સંધ્યાએ સંતરામ મંદિરમાં સ્વયંસેવકો અને ભક્તો દ્વારા લાખો દીવડાઓની રોશની કરવામાં આવનાર છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં ભવ્ય આતશબાજી કરવામાં આવનાર છે.

નડિયાદ : સંતરામ મંદિરમાં દેવદિવાળીની તૈયારીઓ, મંદિર હજારો દીવડાઓથી ઝગમગી ઉઠશે
નડિયાદ-સંતરામ મંદિર (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 6:19 PM

નડિયાદ શહેરમાં આવેલા અને આસ્થાના પ્રતીક સમાન સંતરામ મંદિર પણ દર વર્ષની જેમ આવતીકાલે (શુક્રવાર)  પરંપરાગત રીતે લાખો દીવડાથી ઝગમગી ઉઠશે . રાજ્યભરના શ્રધ્ધાળુઓ આસ્થાના દીપ પ્રજ્વલિત કરી આવતીકાલે દેવ દિવાળી પર્વની સંતરામ મહારાજના સાંનિધ્યમાં ઉજવણી કરવા એકત્ર થશે. દેવદિવાળીના પર્વ પર પર લગભગ 1 લાખ 25 હજારના દીપમાળાઓથી મંદિર ઝળહળી ઉઠશે. જેમાં લગભગ 12 ડબ્બા તેલના, 4 ડબ્બા દિવેલના અને મીળના કોડિયાનો ઉપયોગ થનાર છે. મંદિર પરિસરમાં લોખંડની એંગલો પર દીવડાઓ સજાવી જય મહારાજ લખાશે. જેની તૈયારીઓનો પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

દેવદિવાળીનો ઝગમગાટ, સંતરામ મંદિરમાં તૈયારીઓ

નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિરમાં આવતીકાલે (શુક્રવાર) ઢળતી સંધ્યાએ સંતરામ મંદિરમાં સ્વયંસેવકો અને ભક્તો દ્વારા લાખો દીવડાઓની રોશની કરવામાં આવનાર છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં ભવ્ય આતશબાજી કરવામાં આવનાર છે. તથા, રોશનીના ઝગમગાટ વચ્ચે મંદિરની વિવિધ શાખાઓ દ્વારા ભજનની રમઝટથી સમગ્ર પરિસર જય મહારાજના જયજયકારથી ગૂંજી ઉઠ્નાર છે. સંતરામ મંદિરમાં લાખો દિવડાઓને નિહાળવા માટે મંદિરના ચોક અને ટેરેસ પર દર વર્ષે માનવ મહેરામણ ઉભરી પડ્તું હોય છે. સંતરામ મંદિરમાં દેવદિવાળીનું વિશેષ મહત્વ છે.અને, આ દિવસે સંતરામ મહારાજ દીવડા સ્વરૂપે પ્રગટ થતા હોય અને લોકોની મનોકામના પૂર્ણ કરતા હોય ભક્તોનો વિશેષ ધસારો જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ. પૂ. પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવનાર છે. શુક્રવારે સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવનાર છે. અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠશે અને ભવ્ય રોશની કરવામાં આવનાર છે. આ પર્વને લઈને મંદિર પ્રશાસને તડામાર તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. સ્વયંમ સેવકો સહિત શ્રધ્ધાળુઓ હાજર રહેશે. ભજન મંડળીઓ દ્વારા ભજનોની પણ રમઝટ બોલાવવામાં આવશે.

ભજન મંડળી દ્વારા ભજનોની રમઝટ જામે છે. અગીયારસથી પૂનમ સુધી એક ભજન મંડળી દ્વારા દરરોજ સવારે મંદિરની પરિક્રમા કરવામાં આવે છે. દેવદિવાળીની સંધ્યાએ મંદિરમાં ભવ્ય દીપમાળાઓ પ્રગટાવી રોશની કરવામાં આવે છે. આ સમયે જય મહારાજના નાદ સાથે વાતાવરણ ચારેય કોર ગૂંજી ઉઠશે. વર્ષોની પરંપરા મુજબ ભાવિકો દ્વારા દેવદિવાળીની સંધ્યા ટાંણે ગણતરીના સમયમાં 1 લાખથી ઉપરાંતના દીવાઓ અહીંયા પ્રગટાવવામાં આવે છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">