મોરબીનો પુલ તૂટતા મોટી જાનહાનિ, અમિત શાહ સહિત અનેક નેતાઓએ વ્યક્ત કર્યુ દુખ
Morbi bridge collapsed : આ ઘટના સ્થળના અનેક ભયાનક વીડિયો સામે આવ્યા છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. આ ઘટનામાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિત અનેક નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે.
ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની છે. જેમાં ઝૂલતો પૂલ તૂટતા અનેક લોકો પાણીમાં પડ્યા છે. જેમાં 60 થી વધુ લોકોના મોત થયા છે. આ આંકડો વધાવાની શકયતા છે. બચાવ કામગીરી હાલ ચાલી રહી છે.આ ઘટના સ્થળના અનેક ભયાનક વીડિયો સામે આવ્યા છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. આ ઘટનામાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિત અનેક નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે. આ દુર્ઘટના અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યુ દુખ
PM @narendramodi spoke to Gujarat CM @Bhupendrapbjp and other officials regarding the mishap in Morbi. He has sought urgent mobilisation of teams for rescue ops. He has asked that the situation be closely and continuously monitored, and extend all possible help to those affected.
— PMO India (@PMOIndia) October 30, 2022
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each of those who lost their lives in the mishap in Morbi. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) October 30, 2022
PMO India દ્વારા ટ્વિટ કરીને જાણ કરવામાં આવી છે કે, વડાપ્રધાન મોદી એ મોરબીમાં થયેલી દુર્ઘટના અંગે ગુજરાતના મુખ્યપ્રધાન અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી હતી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની એકત્રીકરણની માંગ કરી છે. તેમણે પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની કરી જાહેરાત
રાષ્ટ્રપતિનું ટ્વિટ
The tragedy in Morbi, Gujarat has left me worried. My thoughts and prayers are with the affected people. Relief and rescue efforts will bring succour to the victims.
— President of India (@rashtrapatibhvn) October 30, 2022
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી
મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2022
મોરબી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવાર જનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની સહાયની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને પોતાના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા છે અને મોરબી જવા રવાના થયા છે.
અમિત શાહની ટ્વિટ
મોરબીમાં થયેલા અકસ્માતથી ખૂબજ વ્યથિત છું. આ અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓ સાથે વાત કરી છે. સ્થાનિક પ્રશાસન સંપૂર્ણ તૈયારી સાથે રાહત કાર્યમાં લાગેલું છે,NDRF પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી રહ્યુ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
— Amit Shah (@AmitShah) October 30, 2022
ગૃહ મંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓ સાથે વાત કરી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વિટ
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. સરકારી તંત્ર દ્વારા રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને સઘન સારવાર મળે તે માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) October 30, 2022
મંત્રી બ્રિજેશ મેરજાનું ટ્વિટ
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના ખુબ જ કમનસીબ છે. હું સ્થળ પર જ છું. સૌને નમ્ર અપીલ કે આ દુઃખની ઘડીમાં આપણે સૌ સાથે મળી શક્ય તેટલા લોકોને મદદરૂપ થઈએ.
નોંધ:જે જગ્યાએ બચાવ કાર્ય ચાલુ છે ત્યા ખોટી ભીડ ના કરીએ જેથી રાહતકાર્યમાં કોઈ અડચણ ના આવે.
-બ્રિજેશ મેરજા pic.twitter.com/TzFlZrZseg
— Brijesh Merja (@brijeshmeja1) October 30, 2022
ગુજરાત કેબિનેટમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા એ પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ છે.
રાહુલ ગાંધીનું ટ્વિટ
गुजरात के मोरबी में हुए पुल हादसे की खबर बेहद दुःखद है। ऐसे मुश्किल समय में मैं सभी शोकाकुल परिवारों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं।
सभी कांग्रेस कार्यकर्ताओं से अपील करता हूं कि दुर्घटना में घायल व्यक्तियों की हर संभव सहायता करें और लापता लोगों की तलाश में मदद करें।
— Rahul Gandhi (@RahulGandhi) October 30, 2022
દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું ટ્વિટ
गुजरात से बेहद दुःखद खबर मिल रही है। मोरबी में ब्रिज टूट जाने से कई लोगों के नदी में गिर जाने की खबर है। भगवान से उनकी जान और स्वास्थ्य की प्रार्थना करता हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 30, 2022
ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારે જૂનો છે. 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે થયુ હતુ પુલનું ખાતમુહૂર્ત. 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો આ પુલ. ઝૂલતો પુલ બનાવવાનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. 6 મહિના પહેલા સમારકામ માટે બંધ કરાયો હતો પુલ. સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે પુલ ખુલ્લો મુકાયો હતો.