બે દિવસ બાદ મોદી ફરી ગુજરાત આવશે, 6 જુલાઈએ રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે

હાલ તમામ ફ્લેટનું રંગરોગાન તેમજ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટર અંતર્ગત 11 ટાવરમાં કુલ 1144 ફ્લેટ બનાવાયા છે.

બે દિવસ બાદ મોદી ફરી ગુજરાત આવશે, 6 જુલાઈએ રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે
PM ModiImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 8:14 PM

આજે ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) બે દિવસ બાદ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી રાજકોટ (Rajkot) માં લાઈટ હાઉસ પ્રોજેક્ટ ( Light House project) નું નિરીક્ષણ કરશે. ડ્રોન કેમેરાના માધ્યમથી તેઓ નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરશે. હાલ તમામ ફ્લેટનું રંગરોગાન તેમજ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટર અંતર્ગત 11 ટાવરમાં કુલ 1144 ફ્લેટ બનાવાયા છે.

રાજકોટના રૈયાધાર પરશુરામધામ નજીક વડાપ્રધાન નરેેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ લાઇટ હાઉસ આવાસનું બાંધકામની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડ્રોન મારફતે વિડીયો કોન્ફરન્સથી આ પ્રોજેક્ટની સમિક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. 118 કરોડના ખર્ચે અહીં 1144 આવાસ તૈયાર થવા જઇ રહ્યા છે.

ગયા વર્ષે 1 જાન્યુઆરીથી શરૂ થયેલો આ પ્રોજેકટ 15 મહિનામાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. ફ્રાન્સની મોનોલિથીક કન્સ્ટ્રકશન ટેકનોલોજીથી આ પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યો છે. દેશના 6 રાજ્યોમાં આ પ્રકારની વિશેષ ટેક્નોલોજીથી આવાસ તૈયાર થઇ રહ્યા છે જે પૈકી ગુજરાતમાં રાજકોટ ખાતે આ પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

કઈ ટેક્નોલોજીથી આ મકાનો બને છે?

ફ્રાન્સની મોનોલિથીક ક્રોંકિટ કેટેગરી ટેકનોલોજીથી આવાસ તૈયાર થાય છે જેમાં ટનલ ફોર્મવર્ક સિસ્ટમનો ઉપયોગ કરીને આવાસ તૈયાર કરવામાં આવે છે એટલે કે આ આવાસમાં દિવાલ કે પ્લાસ્ટર આવતું નથી પરંતુ ટનલની જેમ કોંક્રિટની દિવાલો તૈયાર થાય છે.જેથી આવાસ તૈયાર કરવામાં મેન પાવર ખૂબ જ ઓછો વપરાય છે અને આવાસ તૈયાર કરવાની સમય મર્યાદા પણ ઘટી જાય છે. કોંક્રિટનું બાંધકામ હોવાથી પાણી લિકેજ થવાની કે આવાસમાં ભેજ આવવાની કોઇ જ સમસ્યા રહેતી નથી. એટલું જ નહિ ભૂકંપ અને વાવાઝોડાની પણ આ આવાસમાં નહિવત અસર થાય છે. જો કે હવે આ ટેક્નોલોજી પૂનામાં પણ અમલી બની છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાય 118 કરોડના ખર્ચે તૈયાર થનાર આ આવાસમાં પ્રતિ આવાસ કેન્દ્ર સરકાર દ્રારા 1.50 લાખ અને રાજ્ય સરકાર દ્રારા 1.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે.વિશેષ ટેક્નોલોજીની ગ્રાન્ટ તરીકે પ્રતિ આવાસ 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ આવાસ યોજનાનો ડ્રો પણ થઇ ચૂક્યો છે. અને 15 મહિનામાં લાભાર્થીઓને આ મકાન મળી રહેશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">