Gujarat ના રાજકારણમાં ફરી આનંદી બહેનના નામની ચર્ચા, મંત્રી મનસુખ માંડવિયા અને નરેશ પટેલે યાદ કર્યા
પાટીદાર સમાજના સમર્પણ અંગે વાત કરતા માંડવિયાએ કહ્યું હતુ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે એક તરફ રાજધર્મ હતો અને એક તરફ સમાજ પ્રત્યેનું કર્તવ્ય હતું પરંતુ આનંદી બહેન પટેલે રાજધર્મને અપનાવ્યો
સૌરાષ્ટ્રની જન આર્શિવાદ રેલી દરમિયાન કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ ખોડલધામની મુલાકાત લીધી હતી જેમાં પોતાની રજતતુલા દરમિયાન મનસુખ માંડવિયાએ આનંદીબેન પટેલને યાદ કર્યા હતા.લેઉવા પટેલ સમાજના અભિવાદન કાર્યક્રમમાં માંડવિયાએ કહ્યું હતુ કે ગુજરાતમાં પાટીદાર સમાજનું મહત્વ છે અને ગુજરાતની વિકાસ યાત્રામાં પાટીદાર સમાજે પોતાનો પરસેવો રેડ્યો છે.
પાટીદાર સમાજના સમર્પણ અંગે વાત કરતા માંડવિયાએ કહ્યું હતુ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે એક તરફ રાજધર્મ હતો અને એક તરફ સમાજ પ્રત્યેનું કર્તવ્ય હતું પરંતુ આનંદી બહેન પટેલે રાજધર્મને અપનાવ્યો.સત્તા ગઇ તો ભલે ગઇ પરંતુ આનંદી બહેને રાજધર્મ અપનાવ્યો જે પાટીદાર સમાજ જ કરી શકે છે.
આનંદી બહેને સૌથી વધારે મનસુખભાઇએ મદદ કરી-નરેશ પટેલ
મનસુખ માંડવિયાની વાતને આગળ લઇ જતા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કહ્યું હતુ કે રાજકીય ક્ષેત્રે સમાજે ઘણું ગુમાવ્યું છે.આનંદીબેન જે વિકટ સ્થિતિમાં હતા ત્યારે તેને સૌથી વધારે મદદ મનસુખભાઇએ કરી હતી તેનો હું સાક્ષી છું. આનંદી બહેન પટેલે જે રાજધર્મ અપનાવ્યો તે પાટીદાર સમાજ જ કરી શકે.
રજતતુલા માટે આવેલી ૭૫ કિલો ચાંદી ખોડલધામમાં અર્પણ કરાઇ
ખોડલધામ ખાતે મનસુખ માંડવિયાની રજત તુલા કરવામાં આવી હતી.આ રજત તુલામાં ૭૫ કિલો ચાંદી જોખવામાં આવી હતી. મનસુખ માંડવિયાએ આ ચાંદી ખોડલધામ મંદિરને અર્પણ કરી હતી અને મંદિરના વિકાસ માટે આ ચાંદીનો ઉપયોગ કરવા કહ્યું હતું.
પાટીદાર સમાજના કાર્યક્રમમાં આનંદી બહેનેનું નામ આવતા રાજકારણ ગરમાયું
ખોડલધામ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં લેઉવા પટેલ કડવા પટેલ સમાજના આગેવાનો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત હતા અને તેની વચ્ચે આનંદીબહેનના નામની ફરી ચર્ચા થતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.એક તરફ પ્રવર્તમાન સરકાર સામે પાટીદાર સમાજે નારાજગી વ્યક્ત કરી હતી અને તેની વચ્ચે આનંદી બહેનના નામની ચર્ચાથી ફરી રાજકારણ ગરમાયું છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં કેન્દ્રિય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની જન આર્શિવાદ રેલી દરમિયાન માંડવિયાએ પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.રાજકોટના અટલ બિહારી ઓડિટોરીયમમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો સાથે શુભેચ્છા બેઠક કરી હતી. જેમાં પાટીદાર સમાજના બે નેતાઓને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપીને યોગ્ય પ્રભુત્વ આપ્યું હોવાનું કહ્યું હતું.
મનસુખ માંડવિયાએ કહ્યું હતુ કે પાટીદાર એટલે ભાજપ,ચૂંટણી સમયે પાટીદાર સમાજના વિસ્તારની મતપેટીઓ ખૂલે તેમાં ભાજપને મત મળે છે.પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ મોદી સરકારે આપ્યું છે અને દેશના મહત્વના મંત્રાલયો પણ સોંપ્યા છે.મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજને અપીલ કરી હતી કે નયા ભારતના નિર્માણમાં પાટીદાર સમાજે મોદી સરકારનો સાથ આપવો જોઇએ.
આ પણ વાંચો : Viral Video: મહિલાએ પક્ષીઓને બોટલથી પાણી પીવડાવ્યા બાદ ખવડાવ્યુ ખાવાનુ, વીડિયો જોઈને તમારો દિવસ સુધરી જશે
આ પણ વાંચો : Ahmedabad : ઈસનપુરમાં ડબલ મર્ડર, આરોપીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ