Mehsana માં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન, તંત્ર દ્વારા નાગરીકો પાસે સહકારની માગ

Mehsana માં સ્થાનિક સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા બજારો સંપૂર્ણ બંધ રાખી કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Mehsana માં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન, તંત્ર દ્વારા નાગરીકો પાસે સહકારની માગ
ફાઇલ ફોટો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 25, 2021 | 12:37 PM

Mehsana જીલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે અને એક જ સપ્તાહમાં કોરોનાનો રોજીંદો આંકડો ૧૦૦ થી ૪૬૦ સુધી પહોંચી ગયો છે. આ સ્થિતિમાં મહેસાણા જીલ્લા વહીવટી તંત્રની સાથે શહેરો અને ગામડાંઓમાં સ્થાનિક સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા બજારો સંપૂર્ણ બંધ રાખી કોરોના સંક્રમણ અટકાવવા નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા સ્થાનિક કક્ષા એ થતા લોકડાઉનના પ્રયાસો પણ હાલમાં ઓછા પડી રહ્યા હોય એવું કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ઉપરથી લાગી રહ્યું છે. જોકે મહેસાણા જીલ્લામાં ઠેરઠેર કહી શકાય એ રીતે બજારો બંધ રાખી કોરોના સામેની લડાઈ જીતવા નો પ્રયાસ થઇ રહ્યો છે.

મહેસાણા જીલ્લામાં એપ્રિલ માસ શરુ થતાની સાથે જ કોરોના સંક્રમણનું પ્રમાણ ધીરેધીરે વધવા લાગ્યું હતું. અને હાલમાં કોરોના સંક્રમણએ હાલમાં ફૂલ સ્પીડ પકડી લીધી છે. ૧ લી એપ્રિલના રોજ મહેસાણા જીલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૬ કેસ નોધાયા હતા. પરંતુ હવે કોરોનાએ સ્પીડ પકડતા રોજીંદા કોરોના કેસનો આંકડો મહત્તમ ૪૬૦ પહોંચી ગયો છે. જો કે મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ ધીરેધીરે વધવાની સાથે કોરોના સંક્રમણ અટકાવવા જીલ્લાના તમામ શહેરો અને ગામડાંઓમાં પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં જીલ્લામાં કોરોના સંક્રમણ ફૂલ સ્પીડે વધ્યું છે અને હાલમાં વધી રહ્યું છે. ત્યારે જીલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવાના પ્રયાસો જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરીકો પાસે પણ સહકાર માંગવામાં આવ્યો છે.

જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને વેપારી એસોસિએશનોએ કોરોના સંક્રમણ ખાળવા હાથ ધરેલા પ્રયાસો ક્યાંક ઓછા પડતા હોય એવું કોરોના કેસના આંકડા ઉપર થી લાગી રહ્યું છે. આથી છેલ્લા એક સપ્તાહથી જીલ્લામાં મહેસાણા, ઊંઝા, ઉનાવા, વિજાપુર, વિસનગર અને કડી જેવા કેટલાક માર્કેટયાર્ડો ૨૫ એપ્રિલ તો કેટલાક બીજી મેં સુધી વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખી કોરોના સંક્રમણને અટકાવવા પ્રયાસો કર્યા છે. ત્યારે મહેસાણા જીલ્લાના મહત્વના શહેરો એવા કડી, ઊંઝા, વિસનગર અને વિજાપુરના બજારો ૨૫ એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયેલો છે. જયારે વડનગર, બહુચરાજી, ગોજારીયા, આંબલીયાસણ, વસાઈ અને થોળ જેવા મોટા ગામોના બજારો ૩૦ એપ્રિલ સુધી બપોરે બે વાગ્યા બંધ બંધ રાખવામાં આવી રહ્યા છે. આમ, મહેસાણા જીલ્લામાં નાના-મોટા શહેરો કોરોના સંક્રમણ અટકાવાવ બજારો બંધ રાખી લોકડાઉન સ્વરૂપે કોરોના સામે લડાઈ લડી રહ્યા છે. ત્યારે મહેસાણા જીલ્લાના વડા મથક એવા મહેસાણા શહેરમાં ૨૨ એપ્રિલ થી ૨ જી મે સુધી બજારો સંપૂર્ણ પણે બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવેલું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કોરોના સામેની લડાઈ હવે લોકડાઉન સ્વરૂપે કરવામાં આવી રહી છે. આથી શહેરો અને ગામડાંઓમાં દુકાનો, પાનના ગલ્લા અને ખાણી પીણીના સ્થાનો ઉપર એકઠી થતી ભીડ ને રોકવા લોકડાઉન જ એકમાત્ર ઉપાય માનવામાં આવી રહ્યો છે. આથી જીલ્લા ભરમાં સ્થાનિક કક્ષા એ નાના-મોટા શહેરોની સાથે મોટા ગામડાઓમાં પણ બજારો લોકડાઉન સ્વરૂપે સ્વયંભુ બંધ રાખી કોરોના સંકરણ અટકાવવા પ્રયાસો તંત્ર અને નાગરીકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">