PM મોદીના ગામ વડનગરને લઈને કેન્દ્ર સરકારની મોટી યોજના, મોટા પાયે કરાશે વિકાસ, જુઓ Video

વડનગરના સર્વાગી વિકાસ માટે મોદી સરકાર હાલ યોજનાઓ ઘડી રહી છે. ત્યારે આગામી સમયમાં વડનગરની કાયાપલટના ડ્રીમ પ્રોજેક્ટ પર પીએમ મોદીની યોજનાઓ આકાર લઈ રહી છે. ચાર તબક્કામાં વિકાસ કરવાનું આયોજન છે.

PM મોદીના ગામ વડનગરને લઈને કેન્દ્ર સરકારની મોટી યોજના, મોટા પાયે કરાશે વિકાસ, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 5:07 PM

Vadnagar: સમગ્ર વિશ્વમાં ભારતને ખ્યાતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ તેમની જન્મભૂમિ વડનગરનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે હવે વડનગરની કાયાપલટના ડ્રીમ પ્રોજેક્ટ પર પીએમ મોદીની યોજનાઓ આકાર લઈ રહી છે. તેના પરિણામો આવનારા દિવસોમાં માત્ર વડનગરને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને વિશ્વમાં ખ્યાતિ અપાવશે.

આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ એવા વડનગરનો (Vadnagar)ચાર તબક્કામાં વિકાસ કરવામાં આવશે. જેમાં એક મોટું મ્યુઝિયમ તૈયાર કરવામાં માટેની યોજના ઘડાઈ છે. જે વિશ્વસ્તરના પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

ખાસ વાત એ છે કે વડનગરમાં એક શાળા છે, જે 19મી સદીની છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો હતો. તેને પ્રેરણા સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહી છે. મહત્વનુ છે કે તેનું નામ પ્રેરણા રાખવામાં આવ્યું છે. જોકે દેશભરમાંથી 1500 બાળકોને અહીં લાવવામાં આવશે, જેમને પ્રેરણાદાયી વાતો કહેવામાં આવશે. જ્યાં બાળકોને પ્રેરણાનાં સંદેશાઓ પ્રાપ્ત થશે.

વડનગરની આ શાળામાં 8 વર્ગખંડો છે. જ્યાં ડિજિટલ અને શારીરિક શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. વડનગરનો બૌદ્ધ અને જૈન ધર્મ સાથે ઊંડો સંબંધ છે. મહત્વનુ છે કે વડનગર ચીન સાથે પણ સંકળાયેલું છે. ત્યારે વડનગરમાં અત્યાર સુધીના ખોદકામમાં અઢી હજાર વર્ષ જૂની સંસ્કૃતિ મળી આવી છે. આ સાથે વડનગરનું વર્ણન મહાભારત, પુરાણ અને ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. મહત્વનુ છે કે આટલું વિગતવાર સંશોધન ભારતમાં હજી થયું નથી.

આ પણ વાંચો : ભાજપમાંથી છેડો ફાડીને ગયેલા નેતાઓ ફરી ભાજપમાં સામેલ, જે.પી. પટેલ અને ઉદયસિંહ ચૌહાણે કર્યા કેસરિયા

અગાઉ પણ આ જ પ્રકારે વડનગરનો વિકાસ કરવામાં આવ્યો છે. જે અવિરત પણે ચાલુ છે. વડનગર આમ તો ઐતિહાસિક શહેર છે પણ આ શહેરને વૈશ્વિક ઓળખ અપાવવાનું અને વિકાસના પંથે લઇ જવાનું શ્રેય વડનગરવાસીઓ પણ નરેન્દ્ર મોદીને જ આપે છે. લાંબા ઇતિહાસને પોતાના ગર્ભમાં ધરબીને બેસેલું આ પ્રાચીન નગર છે. તેનો ભૂતકાળ ભવ્ય અને જૂનો છે એટલો જ એનો વર્તમાન ઉડીને આંખે વળગે એવો છે. આ નગરે અનેક બદલાવો જોયા છે. આજે આ નગર પર આખી દુનિયાની નજર છે.

જ્યારથી મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ નગર ચર્ચામાં છે. એમાં પણ વડાપ્રધાન થયા બાદ તો આ શહેરની ઓળખ દેશની સરહદો પણ વટાવી ગઇ. આજે પણ જ્યારે મોદી વિકાસની વાતો કરે ત્યારે વિરોધીઓ પહેલો સવાલ કરે છે કે મોદીએ તેમના વતન વડનગરમાં શું વિકાસ કર્યો છે? આવા જ સવાલના સાચો જવાબ મેળવવાનો આ એક પ્રયાસ છે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">