VIDEO: અમદાવાદની આ જગ્યાએ અમિત જેઠવાની હત્યા થઈ હતી, પિતાએ કહ્યું આજે ન્યાય મળ્યો
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓને સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ તમામ દોષિતોને 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે. અમિત જેઠવા હત્યા કેસમાં દિનુબોઘા સોલંકી, શિવા સોલંકી, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, બહાદુરસિંહ વાઢેર અને સંજય ચૌહાણ અને દોષિત જાહેર કર્યા […]
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓને સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ તમામ દોષિતોને 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે. અમિત જેઠવા હત્યા કેસમાં દિનુબોઘા સોલંકી, શિવા સોલંકી, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, બહાદુરસિંહ વાઢેર અને સંજય ચૌહાણ અને દોષિત જાહેર કર્યા છે.
સીબીઆઈના વકીલે કોર્ટમાં દોષિતોને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી છે. જ્યારે બચાવ પક્ષના વકીલે પૂર્વ સાંસદ દીનુ બોઘાની ઉંમર થઈ ગઈ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી છે. ત્યારબાદ સીબીઆઈ કોર્ટે તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે RTI એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હત્યા થઈ હતી. અમદાવાદમાં હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્ષ પાસે જ અમિત જેઠવાની ગોળી મારીને હત્યા કરાઈ હતી. CBIએ કેસની તપાસ કરી હતી અને ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિતના આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
[yop_poll id=”1″]