AHMEDABAD :કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના કેસમાં કોર્ટે આરોપી મનીષ બાલાઈને આજીવન કેદની સજા ફટકારી

constable Chandrakant Makwana murder case : અમદાવાદ સેશન્સ કોર્ટના જજ ડી.વી.શાહની કોર્ટે કોર્ટે આરોપી મનીષ બાલાઈને આજીવન કેદની સજા ફટકારી છે.

AHMEDABAD :કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની  હત્યાના કેસમાં  કોર્ટે આરોપી મનીષ બાલાઈને આજીવન કેદની સજા ફટકારી
Ahmedabad : Manish Balai sentenced to life imprisonment in Chandrakant Makwana murder case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 3:35 PM

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch)ની ઓફીસમાં વર્ષ 2016માં ડ્રગ્સના આરોપી દ્વારા કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કરવામાં આવી હતી. આ કેસ( Constable Chandrakant Makwana murder case)માં 5 વર્ષ બાદ આજે 22 જુલાઈના રોજ ચુકાદો આવ્યો છે. કોર્ટે આરોપી મનીષ બાલાઈને આજીવન કેદની સજા ફટકારી છે.

વર્ષ 2016માં કોન્સ્ટબલ ચંન્દ્રકાન્ત મકવાણાની હત્યા કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં જ પોલીસ કોન્સ્ટબલ ચંન્દ્રકાન્ત મકવાણાની વર્ષ 2016 માં થયેલ હત્યા કેસમાં પકડાયેલા મનીષ ઉર્ફે મોનુ શ્રવણકુમાર બલાઈને આખરે કોર્ટે આજીવન કેસની સજા ફત્કાતી દીધી છે.

ડ્રગ્સની હેરાફેરીના આરોપસર અમદાવાદ પોલીસ મનીષ બલાઈને તપાસમાં લાવી હતી અને મોડી રાત્રે મનીષ બલાઈ પોલીસ કોસ્ટેબલ ચન્દ્રકાન્ત મકવાણાની હત્યા કરીને ક્રાઈમ બ્રાન્ચની પાછળના ભાગે દિવાલ કૂદી કાલુપુર રેલ્વે સ્ટેશન નાસી ગયો હતો. ત્યારબાદ મનીષ બલાઈ ટ્રેનમાં બેસીને વડોદરા મીયાણા પાસે પહોચ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા મનીષના મોબાઈલ ફોન ટ્રેસ કરીને તેને મીયાણા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેસમાં 65 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં આરોપી મનીષ ઉર્ફે મોનુ શ્રવણકુમાર બલાઈ પર ઝડપી કેસ ચલાવવા માટે કરવામાં આવેલી અરજીમાં હાઈકોર્ટે રાહ્ય રાખી હતી. ત્યારબાદ આ સમગ્ર કેસની તપાસ ડીસીપી બિપીન આહીરને સોંપવામાં આવી હતી. ડીસીપીએ પોલીસ કોસ્ટેબલ ચન્દ્રકાન્ત મકવાણા હત્યા કેસના દસ્તાવેજોનો અભ્યાસ કરીને આરોપી મનીષ બલાઈના નાર્કો ટેસ્ટ અને સસ્પેકટ ડિટેકશન ટેસ્ટ કરાવવા માટે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

બાદમાં આરોપી મનીષ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી . સરકાર દ્વારા ખાસ સરકારી વકીલ તરીકે અમીત પટેલની નિમણૂંક કરવામાં હતી. સરકાર દ્વારા આ કેસમાં 65 સાક્ષીઓ અને બચાવપક્ષ દ્વારા ત્રણ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">