જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીને લઈ ભક્તિમય માહોલ સાથે રવેડીને જોવા લોકો આતૂર
જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીને લઈને ભક્તિમય માહોલ છવાયેલો છે. ચારે તરફ હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે ખાસ આજે ભવનાથમાં નીકળનારી રવેડીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયેલો છે. થોડીવાર બાદ રવેડી માટે રસ્તો ખાલી કરી દેવાશે. અહીં માત્ર સાધુઓ જ જોવા મળશે. રવેડીમાં અનેક સાધુઓ અને નાગા બાવા જોડાતા હોય છે. ત્યારે રવેડીના દર્શન […]
જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીને લઈને ભક્તિમય માહોલ છવાયેલો છે. ચારે તરફ હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે ખાસ આજે ભવનાથમાં નીકળનારી રવેડીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયેલો છે. થોડીવાર બાદ રવેડી માટે રસ્તો ખાલી કરી દેવાશે. અહીં માત્ર સાધુઓ જ જોવા મળશે. રવેડીમાં અનેક સાધુઓ અને નાગા બાવા જોડાતા હોય છે. ત્યારે રવેડીના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા છે. રાત્રે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી સાધુઓની શોભયાત્રા નીકળશે.
આ પણ વાંચોઃ 29 એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ! શ્રધ્ધાળુઓ કરી શકશે ભોલેનાથના દર્શન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો