AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nadiad : વર્ષ 2017ના તાન્યા અપહરણ કેસના ત્રણ આરોપીને સેશન્સે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, ચાર લાખનો દંડ કર્યો

તાન્યાનું( Tanya) 18 તારીખના રોજ અપહરણ કરતા પહેલા મિતે તેના એમ મિત્ર પાસે પોતાના માતાપિતાને અંબાજી લઇ જવાના હોવાનું બહાનું બનાવી કાર માંગી હતી અને બાદમાં કારમાં તાન્યાનું અપહરણ કરીને તેના બે સગીર મિત્રો ને   લઇ આણંદ તરફ નીકળી જઈ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ફેકી દઈ પરંત નડિયાદ આવી ગયો હતો અને બંને  સગીર મિત્રો  પણ પોત પોતાના ઘરે પહોચી ગયા હતા તેવું પોલીસ તપાસમાં મિત ધ્વારા કબુલાત કરવામાં આવી હતી .

Nadiad : વર્ષ 2017ના તાન્યા અપહરણ કેસના ત્રણ આરોપીને સેશન્સે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, ચાર લાખનો દંડ કર્યો
Nadiyad Tanya Case Accused Sentence Lifetime Imprisonment
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Apr 13, 2022 | 7:20 PM
Share

ગુજરાતના નડિયાદમાં(Nadiad) વર્ષ 2017માં 7 વર્ષની બાળકી તાન્યા અપહરણ(Tanya)કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે તેના ત્રણ મુખ્ય આરોપીને આજીવન કેદની(lifetime Imprisonment) સજા ફટકારી છે. તેમજ રૂપિયા ચાર લાખનો દંડ ફટકાર્યો છે. આ ઘટનાની વિગત મુજબ નડિયાદના સંતરામ દેરી રોડ પર આવેલ લક્ષ ડુપ્લેક્ષમાં ઘર નંબર 8 માં રહેતી તાન્યા પટેલ નામની 7 વર્ષીય બાળકીનું ગત 18-09-2017 ની રાત્રે 8 વાગ્યાના સુમારે ઘર નંબર 5 માં રહેતા મિત પટેલ નામના 22 વર્ષીય યુવક ધ્વારા  ખંડણી ની લાલચે મિત્રની  કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું  અને તાન્યાને આણંદ લઇ જઈ આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ફેકી દીધી હતી. પરંતુ નડિયાદ પોતાના ઘર પાસે આવી ગયો હતો અને સ્થાનિકોની સાથે સાથે તે પણ તાન્યા ની શોધખોળ માં લાગી ગયો હતો ,તાન્યાના અપહરણ બાદ તેના દાદી ધ્વારા સમગ્ર મામલાની ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ ધ્વારા તાન્યા ના ગુમ થયાની જાહેરાત સોશિયલ મીડિયામાં પણ ફરતી કરી હતી અને આણંદ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પણ મદદ લઇ ગુમ થયેલ તાન્યાની સઘન તપાસ તાન્યાના ઘરની આસપાસ અને નજીકની કેનાલ પર  ચાલુ કરી હતી.

પોલીસ તપાસમાં મિત ધ્વારા કબુલાત કરવામાં આવી હતી

આ દરમિયાન તાન્યાનું અપહરણ અને બાદમાં મર્ડર કરનાર મુખ્ય પાડોશી આરોપી મિત પટેલની ઝીણવટ પૂર્વક પોલીસ તપાસનું નિરીક્ષણ કરી રહ્યો હોવાનું સ્થાનિક બાતમીદારો ધ્વરા ખેડા એલસીબી ના અધિકારીઓને બાતમી મળતા એલસીબી પોલીસ ધ્વારા મિતની વેજ્ઞાનિક ઢબે પૂછ પરછ હાથ ધરી હતી. જેમાં  તાન્યાનું  18 તારીખના રોજ અપહરણ કરતા પહેલા મિતે તેના એમ મિત્ર પાસે પોતાના માતાપિતાને અંબાજી લઇ જવાના હોવાનું બહાનું બનાવી કાર માંગી હતી અને બાદમાં કારમાં તાન્યાનું અપહરણ કરીને તેના બે સગીર મિત્રોને  લઇ આણંદ તરફ નીકળી જઈ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ફેકી દઈ પરંત નડિયાદ આવી ગયો હતો અને બંને  સગીર મિત્રો  પણ પોત પોતાના ઘરે પહોચી ગયા હતા તેવું પોલીસ તપાસમાં મિત ધ્વારા કબુલાત કરવામાં આવી હતી .

મૃતકના પરિવારને  ચાર  લાખ  રૂપિયા  ચૂકવી  આપવાનો  હુકમ

આ ઉપરાંત મિતના અન્ય બે  સગીર મિત્રોને  મિત ધ્વારા 1000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને પોલીસ તપાસ ઢીલી થાય પછી વડોદરાથી કેપ ,ટી શર્ટ અને રૂમાલ ખરીદી અને ખંડણીની માંગ કરવામાં આવનાર હોવાની ચોકાવનારી કબુલાતો તાન્યા કેસના મુખ્ય આરોપી મિત ધ્વારા કરવામાં આવી હતી. તાન્યા હત્યા કેસમા પોલીસે મિત પટેલ તેની માતા અને ભાઈની ધરપક્ડ કરી  હતી જે કેસમાં કોર્ટે 29 સાક્ષીઓ ને તપાસવામાં આવ્યા હતા અને 97થી  વધારે દસ્તાવેજી પુરાવાઓને આધારે  મિત પટેલ, તેની માતા જિગીષા  પટેલ અને ભાઈ  ધ્રુવ પટેલને  આજીવન  કેદ( જ્યાં સુધી જીવે ત્યાં સુધી)ની  સજા ફટકારવામાં  આવી  છે  અને મૃતકના પરિવારને  ચાર  લાખ  રૂપિયા  ચૂકવી  આપવાનો  હુકમ  કરવામાં આવેલ  છે

આ પણ વાંચો : Gandhinagar: રાજ્યમાં પીવાના પાણીની તકલીફ ન પડે તેવી સરકારની તૈયારી, ગ્રામ્ય વિસ્તાર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

આ પણ વાંચો : Gandhinagar: ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કમા રાઠોડ ફરી ભાજપમાં જોડાયા, મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં કેસરિયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">