ખેડા : કઠલાલમાં નૂતન છાત્રાલયનું કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાતમૂર્હુત

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણે કેન્દ્ર અને રાજય સરકારના શિક્ષણના હિતમાં પ્રજાભિમુખ વહીવટને આવકારતા જણાવ્યું હતું કે, કઠલાલમાં જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ઉભી થનારી આવશ્યક માળખાગત સુવિધા અહીં સૌ વિદ્યાર્થીઓ માટે આર્શિવાદરૂપ બની રહેશે.

ખેડા : કઠલાલમાં નૂતન છાત્રાલયનું કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાતમૂર્હુત
Kheda: Union Minister of State for Communications Devu Singh Chauhan inaugurates new hostel in Kathlal
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:05 PM

Kheda : કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે (Devu Singh Chauhan)વાલીઓની રજુઆતના પગલે વિદ્યાર્થીઓના હિતમાં સતત પ્રયત્નો કરી શિક્ષણ મંત્રાલયમાંથી અંદાજીત 14 કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરાવી અંદાજીત 550 વિદ્યાર્થીઓ માટે રહેણાંક અને ભોજનની માળખાગત સુવિધાઓ ઉભી કરાશે.

ખેડા જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે કઠલાલ સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ માટેની શૈક્ષણિક યોગ્યતા ધરાવતા અંદાજીત 550 વિદ્યાર્થીઓ માટે રહેણાંક અને ભોજનની અત્યાધુનિક માળખાગત સુવિધા ઉભી કરાશે. આ માટે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી અંદાજીત 14 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણે કઠલાલમાં છાત્રાલયના નવા મકાનનું ખાર્તમૂર્હુત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણે કેન્દ્ર અને રાજય સરકારના શિક્ષણના હિતમાં પ્રજાભિમુખ વહીવટને આવકારતા જણાવ્યું હતું કે, કઠલાલમાં જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ઉભી થનારી આવશ્યક માળખાગત સુવિધા અહીં સૌ વિદ્યાર્થીઓ માટે આર્શિવાદરૂપ બની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

ખેડા જિલ્લાના કઠલાલમાં આવેલા નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભોજન સહિત રહેવાની સુવિધા માટેનું મકાન હાલ જર્જરિત છે. વિદ્યાર્થીઓ માટે જરૂરી રહેણાંકની સવલત માટે નવા અત્યાધુનિક મકાનની પણ આવશ્યકતા અને માંગણી પડતર હતી. જે અંગે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે વાલીઓની રજૂઆત બાબતે વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ મંત્રાલયમાં સતત પ્રયત્નો કરી કેન્દ્ર સરકારમાંથી અંદાજીત 14 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી, જેના થકી કઠલાલના નવોદય વિદ્યાલયના છાત્રાલયના રીનોવેશન સહિત સંકુલમાં અદ્યતન સુવિધાસભર નવુ છાત્રાલય જેમાં છાત્રાલયમાં વિદ્યાર્થીઓના રહેવા અને જમવાની પાયાની સુવિધા ઉપરાંત રીડીંગ રૂમ-લાયબ્રેરી, મીટીંગ હોલ જેવી સંલગ્ન સવલોતોનો પણ સમાવેશ કરાશે.

આ શાળા સંકુલમાં 1.713.43 લાખના ખર્ચે રીનોવેશનની કામગીરી અને 5.783.91  લાખના ખર્ચે નવા છાત્રાલયનું નિર્માણ થનાર છે. જૂના છાત્રાલયના જર્જરિત મકાનનું રીનોવેશન કામ આ વર્ષે જૂલાઇ-2022 સુધીમાં પુરૂ કરવાનું આયોજન છે જયારે છાત્રાલયના નવા મકાનનું બાંધકામ જૂલાઇ 2023 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

જવાહર નવોદય વિદ્યાલયના ચેરમેને જણાવ્યું હતું કે , 1986માં શિક્ષણની નેશનલ પોલીસ અન્વયે સમગ્ર ભારતમાં સૌપ્રથમ ત્રણ રેસીડન્સ સ્કૂલોની સ્થાપના કરવામાં આવી. જેને જવાહર નવોદય વિદ્યાલયથી ઓળખવામાં આવે છે. આ ત્રણ પૈકીની એક જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ મૂકામે ફાળવવામાં આવી હતી.

ચાલુ વર્ષે ધોરણ-6માં પ્રવેશ માટેની 80 જગ્યા પૈકી પ્રવેશ માટે 8867 અરજીઓ આવી છે. તે પૈકીના 40 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જયારે 40 વિદ્યાર્થીઓ માટેની પ્રવેશની મંજૂરીની કાર્યવાહી ચાલુ છે. તેઓએ જણાવ્યું હતું કે, આ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ આઇ.એ.એસ., જી.એ.એસ., જી.ઇ.ઇ. અને એન.ઇ.ઇ.ટી જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શાળાની સાથે સાથે રાજયનું નામ પણ રોશન કરી ચૂકયા છે.

જયારે હાલના તબકકે અંદાજે સરેરાશ 15થી 20 બાળકો દર વર્ષે આવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી રહયા છે. આમ, મર્યાદિત સવલતોમાં પણ અભાવમા પણ ભાવ” સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાનું, કુટુંબનું, શાળાનું અને રાજયનું નામ રોશન કરી રહ્યા છે. તેઓએ વાલીઓની રજૂઆત અને વિદ્યાર્થીઓની સવલત માટે રજૂઆત કરી શાળાના રીનોવેશન અને નવા મકાન માટે ગ્રાન્ટ મેળવી આપવા બદલ સાંસદ અને કેન્દ્રીય મંત્રીનો આભાર વ્યકત કરી શિક્ષણ ક્ષેત્રે આ શાળાના બાળકો દેશભરમાં નામના મેળવે તેવી આશા વ્યકત કરી હતી.

આ પણ વાંચો : Bhavnagar: કાળીયાબીડ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગેંગરેપ, 3 આરોપી પકડાયા

આ પણ વાંચો : દેશમા કોરોનાની ત્રીજી લહેર મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન

Latest News Updates

વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
g clip-path="url(#clip0_868_265)">