World No Tobacco Day: સમાજનો દરેક વ્યક્તિ વ્યસન મુક્ત બને અને તેનાં પગલે આખો સમાજ વ્યસન મુક્ત બને તે જરૂરી

કાર્યક્રમના લીગલ પેનલ એડવોકેટ પી બી. બાજપાઈએ “મફત અને સક્ષમ કાનૂની સહાય” ની વ્યવસ્થા, સહાય મેળવવા માટેની પાત્રતા તથા સહાય ક્યાંથી મળી શકે તે વિષે વિસ્તૃત માહીતી આપી હતી,

World No Tobacco Day: સમાજનો દરેક વ્યક્તિ વ્યસન મુક્ત બને અને તેનાં પગલે આખો સમાજ વ્યસન મુક્ત બને તે જરૂરી
Kheda Addiction Freedom Demonstration Program
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 5:39 PM

ખેડા (Kheda) જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદ (Nadiad) નાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આઈ. રાવલ સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદ, નશાબંધી અને આબકારી ખાતું ખેડા જિલ્લો તથા નવપ્રભાત વ્યસનમુક્તિ અને પુન:સ્થાપન કેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 31-05-2022 નાં રોજ “ANTI TOBOCCO DAY” નિમિતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં નડિયાદ વિભાગનાં વિભાગીય યંત્રાલય (વર્કશોપ) ખાતે એક “કાનૂની શિક્ષણ શિબિર તથા વ્યસન મુક્તિ પ્રદર્શન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં નડિયાદ વિભાગનાં ઇન્ચાર્જ વિભાગીય તકનીકી ઇજનેર અને નડિયાદનાં ડેપો મેનેજર રીનાબેન દરજી દ્વારા કરવામાં આવ્યું, આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદનાં ફૂલ ટાઈમ સેક્રેટરી જે આર. પંડીત સાહેબે સંબોધન કરતાં જણાવ્યુ કે આપણાં સમાજનો દરેક વ્યક્તિ વ્યસન મુક્ત બને અને તેનાં પગલે આખો સમાજ વ્યસન મુક્ત બને તેવી શુભેચ્છા પાઠવીને જરૂરીયાત સમયે મફત અને સક્ષમ કાનૂની સલાહ-સહાય મેળવવા માટે જિલ્લા/તાલુકા કાનૂની સેવા સત્તા મંડળનો વિના સંકોચ સંપર્ક કરવા જણાવ્યુ હતું.

કાર્યક્રમના લીગલ પેનલ એડવોકેટ પી બી. બાજપાઈએ “મફત અને સક્ષમ કાનૂની સહાય” ની વ્યવસ્થા, સહાય મેળવવા માટેની પાત્રતા તથા સહાય ક્યાંથી મળી શકે તે વિષે વિસ્તૃત માહીતી આપી હતી, નશાબંધી અને આબકારી ખાતું ખેડા જિલ્લા સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ અને પુન:સ્થાપન કેન્દ્રનાં પ્રોજેકટ ડાયરેક્ટર સંજય રોહીત દ્વારા તમાકુ, દારૂ, ગાંજો તથા અન્ય તમામ પ્રકારનાં વ્યસનોનાં ઉદભવ, વિસ્તાર અને સમાજ અને વ્યક્તિ-પરિવારનાં જીવન પર થતી વ્યસનની વિપરીત અસરો અને પરિણામોની ગંભીરતા સમજાવીને કોઈપણ પ્રકારનાં વ્યસનથી કઈ રીતે મુક્ત થઈ શકાય તે માટે ખૂબ જ વિસ્તૃત અને અસરકારક વક્તવ્ય આપ્યું હતું,

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં નડિયાદ વિભાગનાં વિભાગીય નિયામક એમ બી. રાવલ સાહેબે જણાવ્યું હતું કે આજનાં આ કાર્યક્રમમાથી પ્રેરણા મેળવીને આપણાં આ વિભાગીય યંત્રાલય (વર્કશોપ)નાં તમામ અધિકારી-કર્મચારી વ્યસન મુક્ત બની આનંદીત જીવન જીવે તેવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી ખાતું ખેડા જિલ્લાનાં અધિકારી શિલ્પાબેન રબારી અને નિલેશ પટેલ, મજૂર મહાજન સંઘના પ્રતિનિધિ બી જે. બેલદાર, એસ. ટી. કર્મચારી મંડળના પ્રતિનિધિ એચ ટી. રાણા, ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિ ડી એન. રાવલ સહિત ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં નડિયાદ વિભાગનાં વિભાગીય યંત્રાલય (વર્કશોપ)નાં તમામ અધિકારીઓ-કર્મચારીઓ, ઇજનેરો મીકેનિક-હેલ્પર સહિત કુલ-150 લોકોએ લાભ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">