વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આ વખતે 1.5 લાખ કિલો મરચાંના અથાણાનો પ્રસાદ બનાવાશેઃ જાણો, શા માટે બનાવાય છે આવો પ્રસાદ

સામાન્ય રીતે મંદિરમાં આપે શ્રીફળ ,લાડુ ,પેંડા ,મગસ ,બુંદી ,ગાંઠિયાનો પ્રસાદ જોયો હશે ,પણ ખેડા જીલ્લાના સ્વામીનારાયણ ધર્મના સર્વોચ્ચ તીર્થધામ વડતાલમાં મરચાના અથાણાનો પ્રસાદ આપવામાં આવે છે. કેવી રીતે તેયાર થાય છે આથેલા મરચા જુઓ આ અહેવાલમાં

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આ વખતે 1.5 લાખ કિલો મરચાંના અથાણાનો પ્રસાદ બનાવાશેઃ જાણો, શા માટે બનાવાય છે આવો પ્રસાદ
Vadtal Swaminarayan temple
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:46 PM

વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Swaminarayan temple) માં ચાલી આવતી પરંપરા મુજબ લીબુ-મરચાંના અથાણા (chilly pickle) ને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને આપવામાં આવે છે. શિયાળાની સીઝનમાં પાકા કાગદી લીંબુ અને મરચાંને આથવામાં આવે છે. ચાલુ વર્ષે અંદાજે 1.50 લાખ કિલો લીંબુ મરચાંનુ અથાણું તૈયાર કરાયું છે. જે બે માસ પછી મરચાના અથાણાને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને અપાશે.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા (Tradition) મુજબ આજેય હરીભક્તોને આથેલાં મરચાનો પ્રસાદ આપવામાં આવે છે. વડતાલના આથેલા મરચાંનો અનોખો મહિમા પણ છે. મંદિરમાં આવતા ભકતો મંદિરમાં દાન આપે છે અને અથાણાનો પ્રસાદ તરીકે સ્વીકાર કરે છે.

વર્ષો પહેલા વડતાલના કૃષ્ણજીવનદાસજી સ્વામીએ વર્ષો સુધી મરચાંના અથાણા બનાવાની સેવા કરતા હતા. જેથી તેઓ સંપ્રદાયમાં અથાણાવાળા સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા હતા.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ક્યાંથી લાવવામાં આવે છે મરચા અને કઈ રીતે તેયાર કરવામાં આવે છે

આથેલા મરચાની વાત કરવામાં આવે તો શિયાળાની સીઝનમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સુરત સહિત અનેક સ્થળોએથી લાંબા-લીલા મરચાં લાવવામાં આવે છે. આ મરચાંને પાણીથી ધોયા બાદ પ્રતિ દિવસ 200 ઉપરાંત ભાઈ-બહેનો અને સ્વયંસેવકો ધ્વારા મરચાંને કાણાં પાડી લીંબુ-મીઠું-હળદરમાં ભેળવવામાં આવે છે અને અથાણા માટે તૈયાર કરેલ લાકડાની 100 ઉપરાંત કોઠીઓમાં ભરવામાં આવે છે. જેને બે માસ સુધી અથાવામાં આવે છે. ચાલુ વર્ષે ૯૦ હજાર કિલો મરચાં, ૩૦ હજાર કિલો લીંબુ, ૨૪ હજાર કિલો મીઠું અને ૩ હજાર હળદરનો ઉપયોગ કરીને કુલ ૧ લાખ ૪૭ હજાર કિલો અથાણું બનાવવામાં આવ્યું છે.

મરચાના અથાણાનો પ્રસાદ આપવાની શરૂઆત પાછળનું આ છે કારણ

વડતાલધામમાં અગાઉના સમયમાં શ્રદ્ધાળુ ભક્તો માટે જ્યારે ભોજનની સુવિધા ન હતી ત્યારે દૂરદૂરથી આવતા ભક્તો (Devotees) ધર્મસ્થાનનું નહીં જમવાનું એવી ભાવના રાખતા. આથી પોતાના ઘરેથી જ ઢેબરા સાથે લઈને આવતા. તેથી મંદિરમાંથી તેમને ઢેબરા કે રોટલા સાથે ખાઇ શકાય એવો પ્રસાદ આપવાનું વિચારાયું અને એ વિચારમાંથી જ અહીં મરચાંના અથાણાંના પ્રસાદની પરંપરા શરુ થઇ. આથી હરિભક્તો લીંબુ-મરચાના અથાણાનો પ્રસાદ લઈ ઢેબરાં અને અથાણાથી પેટ ભરીને જમી લેતા હતા.

આ પણ વાંચોઃ Winter 2022: કાતિલ ઠંડીથી ઠુઠવાવા રહેજો તૈયાર, અમદાવાદમાં બે દિવસ કોલ્ડવેવ, કચ્છ-નલિયામાં સિવિયર કોલ્ડવેવ રહેશે

આ પણ વાંચોઃ RBI એ સુરત અને રાજકોટની 3 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, કેન્દ્રીય બેંકના નિર્દેશોનું પાલન ન થતાં લગાવાઈ ફટકાર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">