AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આ વખતે 1.5 લાખ કિલો મરચાંના અથાણાનો પ્રસાદ બનાવાશેઃ જાણો, શા માટે બનાવાય છે આવો પ્રસાદ

સામાન્ય રીતે મંદિરમાં આપે શ્રીફળ ,લાડુ ,પેંડા ,મગસ ,બુંદી ,ગાંઠિયાનો પ્રસાદ જોયો હશે ,પણ ખેડા જીલ્લાના સ્વામીનારાયણ ધર્મના સર્વોચ્ચ તીર્થધામ વડતાલમાં મરચાના અથાણાનો પ્રસાદ આપવામાં આવે છે. કેવી રીતે તેયાર થાય છે આથેલા મરચા જુઓ આ અહેવાલમાં

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આ વખતે 1.5 લાખ કિલો મરચાંના અથાણાનો પ્રસાદ બનાવાશેઃ જાણો, શા માટે બનાવાય છે આવો પ્રસાદ
Vadtal Swaminarayan temple
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:46 PM
Share

વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Swaminarayan temple) માં ચાલી આવતી પરંપરા મુજબ લીબુ-મરચાંના અથાણા (chilly pickle) ને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને આપવામાં આવે છે. શિયાળાની સીઝનમાં પાકા કાગદી લીંબુ અને મરચાંને આથવામાં આવે છે. ચાલુ વર્ષે અંદાજે 1.50 લાખ કિલો લીંબુ મરચાંનુ અથાણું તૈયાર કરાયું છે. જે બે માસ પછી મરચાના અથાણાને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને અપાશે.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા (Tradition) મુજબ આજેય હરીભક્તોને આથેલાં મરચાનો પ્રસાદ આપવામાં આવે છે. વડતાલના આથેલા મરચાંનો અનોખો મહિમા પણ છે. મંદિરમાં આવતા ભકતો મંદિરમાં દાન આપે છે અને અથાણાનો પ્રસાદ તરીકે સ્વીકાર કરે છે.

વર્ષો પહેલા વડતાલના કૃષ્ણજીવનદાસજી સ્વામીએ વર્ષો સુધી મરચાંના અથાણા બનાવાની સેવા કરતા હતા. જેથી તેઓ સંપ્રદાયમાં અથાણાવાળા સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા હતા.

ક્યાંથી લાવવામાં આવે છે મરચા અને કઈ રીતે તેયાર કરવામાં આવે છે

આથેલા મરચાની વાત કરવામાં આવે તો શિયાળાની સીઝનમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સુરત સહિત અનેક સ્થળોએથી લાંબા-લીલા મરચાં લાવવામાં આવે છે. આ મરચાંને પાણીથી ધોયા બાદ પ્રતિ દિવસ 200 ઉપરાંત ભાઈ-બહેનો અને સ્વયંસેવકો ધ્વારા મરચાંને કાણાં પાડી લીંબુ-મીઠું-હળદરમાં ભેળવવામાં આવે છે અને અથાણા માટે તૈયાર કરેલ લાકડાની 100 ઉપરાંત કોઠીઓમાં ભરવામાં આવે છે. જેને બે માસ સુધી અથાવામાં આવે છે. ચાલુ વર્ષે ૯૦ હજાર કિલો મરચાં, ૩૦ હજાર કિલો લીંબુ, ૨૪ હજાર કિલો મીઠું અને ૩ હજાર હળદરનો ઉપયોગ કરીને કુલ ૧ લાખ ૪૭ હજાર કિલો અથાણું બનાવવામાં આવ્યું છે.

મરચાના અથાણાનો પ્રસાદ આપવાની શરૂઆત પાછળનું આ છે કારણ

વડતાલધામમાં અગાઉના સમયમાં શ્રદ્ધાળુ ભક્તો માટે જ્યારે ભોજનની સુવિધા ન હતી ત્યારે દૂરદૂરથી આવતા ભક્તો (Devotees) ધર્મસ્થાનનું નહીં જમવાનું એવી ભાવના રાખતા. આથી પોતાના ઘરેથી જ ઢેબરા સાથે લઈને આવતા. તેથી મંદિરમાંથી તેમને ઢેબરા કે રોટલા સાથે ખાઇ શકાય એવો પ્રસાદ આપવાનું વિચારાયું અને એ વિચારમાંથી જ અહીં મરચાંના અથાણાંના પ્રસાદની પરંપરા શરુ થઇ. આથી હરિભક્તો લીંબુ-મરચાના અથાણાનો પ્રસાદ લઈ ઢેબરાં અને અથાણાથી પેટ ભરીને જમી લેતા હતા.

આ પણ વાંચોઃ Winter 2022: કાતિલ ઠંડીથી ઠુઠવાવા રહેજો તૈયાર, અમદાવાદમાં બે દિવસ કોલ્ડવેવ, કચ્છ-નલિયામાં સિવિયર કોલ્ડવેવ રહેશે

આ પણ વાંચોઃ RBI એ સુરત અને રાજકોટની 3 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, કેન્દ્રીય બેંકના નિર્દેશોનું પાલન ન થતાં લગાવાઈ ફટકાર

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">