Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI એ સુરત અને રાજકોટની 3 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, કેન્દ્રીય બેંકના નિર્દેશોનું પાલન ન થતાં લગાવાઈ ફટકાર

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સહકારી બેંકો સામે મોટી કાર્યવાહી કરી છે. RBI દ્વારા નિયમનકારી પાલનના અભાવે આઠ સહકારી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે.

RBI એ સુરત અને રાજકોટની 3 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, કેન્દ્રીય બેંકના નિર્દેશોનું પાલન ન થતાં લગાવાઈ ફટકાર
RBI ના નિર્દેશોનું પાલન ન કરનાર 8 સહકારી બેંકો સામે કાર્યવાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 8:32 AM

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સહકારી બેંકો સામે મોટી કાર્યવાહી કરી છે. RBI દ્વારા નિયમનકારી પાલનના અભાવે આઠ સહકારી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ માહિતી આપતાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે એસોસિયેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (The Associate Co-operative Bank Ltd)સુરત (ગુજરાત) દ્વારા ડિરેક્ટરો, સંબંધીઓ અને પેઢીઓ અને સંસ્થાઓને ‘લોન અને એડવાન્સ’ આપવામાં આવી છે. ‘Know Your Customer (KYC)’ પર માસ્ટર સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 4 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે.

RBI એ જણાવ્યું કે વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ(Varachha Co-operative Bank Ltd), સુરતને ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014ના અમુક માપદંડોના ઉલ્લંઘન બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોગવીરા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ મુંબઈને ‘Know Your Customer (KYC)’ પર માસ્ટર સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી

વસઈ જનતા સહકારી બેંક(Vasai Janata Sahakari Bank) પાલઘરને પણ રૂ. 2 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે. ‘એક્સપોઝર માપદંડ અને વૈધાનિક/અન્ય નિયંત્રણો-UCB’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું ઉલ્લંઘન બદલ દંડ આપવામાં આવ્યો હતો

Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે ? અપનાવો આ ઘરેલું ટીપ્સ
જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે
ભારતના 100 રૂપિયા પાકિસ્તાનમાં જઈ કેટલા થઈ જાય ?

વધુમાં, આરબીઆઈએ રાજકોટ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક(Rajkot Peoples Co-operative Bank)ની સામે કાર્યવાહી કરી છે.રાજકોટ પર ‘નિર્દેશકો, સંબંધીઓ અને પેઢીઓ તથા સંસ્થાઓ કે જેમાં તેઓ રસ ધરાવતા હોય ‘લોન તેમને અને એડવાન્સ’ આપવામાં આવ્યા છે. બેન્ક સામે રૂ. 1 લાખના દંડ ફટકારવામાં આવ્યો છે.

RBI દ્વારા ભદ્રાદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંક (Bhadradri Co-operative Urban Bank) ને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક્સપોઝર માપદંડો અને વૈધાનિક/અન્ય પ્રતિબંધો ‘UCB’ અને ‘Advance Management-UCB’ અંગે RBI દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો.

અમુક નિયમોના ભંગ બદલ જમ્મુ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ.The Jammu Central Co-operative Bank Ltd)તેમજ જમ્મુ એન્ડ જોધપુર નાગરિક સહકારી બેંક(Jammu and the Jodhpur Nagrik Sahakari Bank)ને એક-એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો કે આરબીઆઈએ જણાવ્યું હતું કે દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને બેંકો દ્વારા તેમના સંબંધિત ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર પ્રશ્નાર્થ નથી.

RBIએ 16 એપ્રિલ સુધી પ્રતિબંધ લંબાવ્યો

આરબીઆઈએ મુંબઈ સ્થિત સિટી કોઓપરેટિવ બેંક(City Cooperative Bank) પરનો પ્રતિબંધ 16 એપ્રિલ, 2022 સુધી લંબાવ્યો હતો. અગાઉ આરબીઆઈએ આ સહકારી બેંક પર 16 જાન્યુઆરી, 2022 સુધી પ્રતિબંધોનો નિર્દેશ કર્યો હતો. બેંકની નબળી નાણાકીય સ્થિતિને કારણે મધ્યસ્થ બેંકે નિર્ણય લીધો હતો. સિટી કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : Bank Holidays in February 2022: ફેબ્રુઆરીમાં 12 દિવસ બેંક રહેશે બંધ, રજાઓની યાદી જાણી લો નહીંતર ધક્કો પડશે

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
g clip-path="url(#clip0_868_265)">