કોરોના વાઇરસને લઇ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ફાગણી પૂનમ પર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં યોજાનાર દિવ્ય રંગોત્સવ ફુલડોર ઉત્સવ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે કેસૂડાના ફૂલોના રંગોથી દિવ્ય રંગોત્સવ અને ફૂલડોર ઉત્સવનો કાર્યકમ યોજવામાં આવે છે. આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે ગજગ્રાહ! મેયરના આદેશનો કર્યો અનાદર […]
Follow us on
કોરોના વાઇરસને લઇ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ફાગણી પૂનમ પર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં યોજાનાર દિવ્ય રંગોત્સવ ફુલડોર ઉત્સવ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે કેસૂડાના ફૂલોના રંગોથી દિવ્ય રંગોત્સવ અને ફૂલડોર ઉત્સવનો કાર્યકમ યોજવામાં આવે છે.
મહત્વનું છે કે ગુજરાતભર માંથી હજારોની સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો આ ઉત્સવમાં ભાગ લેવા આવતા હોય છે. આ વર્ષે કોરોના વાઇરસના તકેદારીના ભાગ રૂપે વડતાલ સ્વામિનારાયણ મંદિર પ્રશાસન તરફથી કાર્યક્રમ મુલત્વી રાખવા નિર્ણય લેવાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો