Kheda : ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી જગન્નાથની રથયાત્રા, કોવિડ પ્રોટોકોલનું કરાયું પાલન

ડાકોરમાં ભગવાન જગન્નાથની સૌથી જુનામાં જુની રથયાત્રા આજે નીકળી છે. આ રથયાત્રાના તમામ રૂટ પર કર્ફયુ લાદી દેવામાં આવ્યું હતું, ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 10:59 AM

ડાકોરમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 249 મી રથયાત્રાના નીકળી છે. જેમાં રથયાત્રાના રૂટ પર કર્ફયૂ (Curfew) વચ્ચે આ રથયાત્રા કાઢવામાં આવી હતી. ઉપરાંત કોવિડ પ્રોટોકોલનું (Covid Protocol) પણ પાલન કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે, દર વર્ષ ભગવાન જગન્નાથની રથયાત્રાના (Jagannath Rathyatra) એક દિવસ પહેલા ડાકોરની રથયાત્રા નીકળતી હોય છે. ત્યારે આ વખતે કોવિડ પ્રોટોકોલ સાથે રથયાત્રાની શરતી મંજુરી મળી હતી.

આજે વહેલી સવારે ડાકોર મંદિરથી નિકળેલી રથયાત્રા 11 કલાકે મંદિરમાં નિજ પરત ફરશે. રથયાત્રાના તમામ રૂટ પર કર્ફયુ લાદી દેવામાં આવ્યો હતો. ઉપરાંત, પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ રથયાત્રા નિકળી હતી.

કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે સમગ્ર ડાકોર (Dakor) શહેરને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું છે. મંદિરના સંતે (Saint) જણાવ્યું હતું કે, બધી જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના દિવસે નિકળતી હોય છે, પરંતુ ડાકોરમાં પુષ્ય નક્ષત્રમાં (Pushya Nakshtra) આ રથયાત્રા કાઢવામાં આવે છે. ઉપરાંત, ડાકોરની રથયાત્રાએ ગુજરાતની જુનામાં જુની રથયાત્રા છે.”

અષાઢી બીજના અગાઉના દિવસે નિકળતી આ રથયાત્રાનું ભક્તો માટે વિશેષ મહત્વ છે, આ રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. પરંતુ, આ વખતે કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને આ રથયાત્રા કાઢવામાં આવી છે.

આ રથયાત્રામાં ભગવાન સમગ્ર ગોમતી નદીની (Gomti River) પરિક્રમા કરીને નિજ મંદિર પરત ફરે છે. આ દિવસે ભગવાન ભક્તોને સાક્ષાત દર્શન આપતા હોવાની માન્યતા છે.

 

જુઓ, ડાકોરના ઠાકોરની રથયાત્રા Live :

 

આ પણ વાંચો : Ahmedabad : આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં આપશે દર્શન, CM વિજય રૂપાણી કરશે જગન્નાથની વિશિષ્ટ પુજા

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">