Kheda: કપડવંજના ગરીબ કલ્યાણ સંમેલનમાં ગોરધન ઝડફિયાનું નિવેદન, નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને સન્માન સાથે સક્ષમ બનાવ્યા

કપડવંજ ટાઉનહોલમાં યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં (Garib Kalyan Sammelan) ગોરધનભાઇ ઝડફિયાએ (Gordhanbhai Zadafia) કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. તેમણે સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારે ખેડૂતોનું શોષણ અને અવગણના કરી બિચારો, બાપડો બનાવી દીધો હતો.

Kheda: કપડવંજના ગરીબ કલ્યાણ સંમેલનમાં ગોરધન ઝડફિયાનું નિવેદન, નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને સન્માન સાથે સક્ષમ બનાવ્યા
કપડવંજમાં યોજાયુ ગરીબ કલ્યાણ સંમેલન
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: May 31, 2022 | 6:16 PM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાનના 11 માં હપ્તા હેઠળ 10 કરોડથી વધુ કિસાન પરિવારોને 21,000 કરોડ રૂપિયાથી વધુની સન્માન રાશિનું હસ્તાંતરણ કરવામાં આવ્યુ. ત્યારે આજે ગુજરાતના (Gujarat) દરેક જિલ્લામાં આ અંતર્ગત ગરીબ કલ્યાણ સંમેલનનો (Garib Kalyan Sammelan) કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખેડા (Kheda) જિલ્લામાં પણ કપડવંજ ટાઉનહોલ ખાતે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાની (Gordhan Zadafia) અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ગોરધન ઝડફિયાએ નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને સન્માન સાથે સક્ષમ બનાવ્યા હોવાનું નિવેદન આપ્યુ હતુ.

ગોરધન ઝડફિયાના કોંગ્રેસ પર પ્રહાર

કપડવંજ ટાઉનહોલમાં યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં ગોરધનભાઇ ઝડફિયાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. તેમણે સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારે ખેડૂતોનું શોષણ અને અવગણના કરી બિચારો, બાપડો બનાવી દીધો હતો. આઝાદીના સાત દાયકા બાદ જગતના તાતને પૂરા સન્માન સાથે નરેન્દ્ર મોદી સરકારે સીધા જ તેમના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરાવી ખેડૂતોની ચિંતા કરી છે. આ ઉપરાંત દુકાળ, અતિવૃષ્ટિમાં સરકાર ખેડૂતોની પડખે રહી છે. ખેડૂતોની ખેત પેદાશને યોગ્ય ભાવ આપી ખેડૂતને સક્ષમ, સમર્થ બનાવવાનું કામ આ સરકારે કર્યું છે.

વધુમાં ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારે કોરોના સમયે 80 કરોડથી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે રાશન, કોરાનાની સારવાર ઉપરાંત સમગ્ર દેશમાં 140 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપી પ્રજાની ચિંતા કરી છે. સાથે સાથે વિશ્વના ગરીબ દેશોને પણ કોરોનાની રસી આપી વિશ્વ એક પરીવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મોદી સરકારના નિર્ણયોની કરી પ્રશંસા

ગોરધન ઝડફિયાએ જણાવ્યું, મોદી સરકારે રામ મંદિર, 370 ની કલમ, ત્રિપલ તલાક જેવા ઐતિહાસિક નિર્ણયો ઉપરાંત દેશની સુરક્ષા માટે પણ અનેક પગલાં ભર્યા છે. આજે આપણો દેશ વિશ્વ ગુરૂ બનવા તરફ જઈ રહ્યો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે આપણી સરકારે પેટ્રોલ-ડીઝલ ગેસના ભાવો ઘટાડીને હિંમતભર્યા પગલાં લીધા છે. તેઓએ રાજ્યમાં પહેલા 8 મેડિકલ કોલેજમાં 1100 વિદ્યાર્થીઓ સામે હાલમાં 35 મેડિકલ કોલેજમાં 6 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવા ઉપરાંત વિદેશ ભણતા વિદ્યાર્થીઓ માટે સરળતાથી લોન ઉપલબ્ધ થાય તે માટેના સરકારના પ્રયત્નોને બિરદાવ્યા હતા. સાથે જ જ્ઞાતિ- જાતિ, પંથ-સંપ્રદાયના ભેદભાવ વગર સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરતી દેશ અને રાજ્યની સરકારની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પ્રમુખ ચીમનભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, જિલ્લા ભાજપ મહામંત્રી વિકાસ શાહ, નટુભાઈ સોઢા, ઉપપ્રમુખ ગોપાલ શાહ, જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ, સી.ડબલ્યુ.સી. ચેરમેન દશરથભાઈ પટેલ, એ.પી.એમ.સી. ચેરમેન નિલેશ પટેલ,નગરપાલિકાના પ્રમુખ મોનિકા પટેલ, જિલ્લા મંત્રી રાજેશ પટેલ, ચિરાગ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ધુળાભાઈ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ આશિષ શાહ, કઠલાલ તાલુકા ભાજપ પ્રમુખ કીરણસિંહ ડાભી સહિત આગેવાનો અને ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">