Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda : ગરીબ કલ્યાણ મેળો માત્ર કાગળ પર, લાભાર્થીઓને કીટો માટે ખાવા પડે છે ધક્કા

ગરીબ કલ્યાણ મેળામાં ઉદ્યોગ કેન્દ્ર નડિયાદમાં કુલ 1000 નાગરિકો દ્વારા ગરીબ કલ્યાણ મેળામાં લાભ લેવા માટે ફોર્મ ભર્યા હતા પણ ત્રણ દિવસ ચાલેલા ગરીબ કલ્યાણ મેળામાં 462 લોકોને જ કીટ આપવામાં આવી છે.

Kheda : ગરીબ કલ્યાણ મેળો માત્ર કાગળ પર, લાભાર્થીઓને કીટો માટે ખાવા પડે છે ધક્કા
Kheda District Garib Kalyan Mela beneficiaries Suffer
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 26, 2022 | 8:25 PM

ખેડા(Kheda)જિલ્લામા 12 માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાના(Garib Kalyan Mela)54125 લાભાર્થીઓનેરૂ.40.45 કરોડના લાભો એનાયત કરવામાં આવશેની જાહેરાતો સરકારના મંત્રીઓ દ્વારા કરવામાં આવી હતી પણ સરકારના વિભાગોની બેદરકારીને કારણે ઘણા લાભાર્થીઓ( Beneficiaries)  કીટ થી વંચિત રહેવાનો વારો આવ્યો છે. દરિદ્રનારાયણોના કલ્યાણ માટે સાક્ષર નગરી અને શ્રી સંતરામ મંદિરની પાવન ધરતી ઉપર યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોની સુખ સમૃદ્ધિના દ્વાર ખુલશે  તેમ કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું .  મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે કહ્યું હતું કે  નાગરિકોની સુખાકારીને વરેલી સરકારે 121 દિવસમાં 200 જેટલા જન સુખાકારીના નિર્ણયો લીધા છે . છેવાડાના માનવીની સુખાકારી જ સરકારની પ્રાથમિકતા છે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ગરીબ લોકોને સક્ષમ બનાવવા અને તેઓને સ્વમાનભેર જીવન જીવવાની પ્રેરણા મળે છે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈ નેતાઓ દ્વારા તો સરકારની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

ગરીબ કલ્યાણ મેળામાં 462 લોકોને જ કીટ આપવામાં આવી

તેમજ ગરીબ લોકોને યોગ્ય રોજગારી મળે તે માટે સરકાર દ્વારા દરજીકામના સાધનો, પ્લમ્બિગના સાધનો, ઇલેક્ટ્રિક સાધનો, કડિયાકામ ના સાધનો, અને બ્યુટીપાર્લરના સાધનો ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવે છે પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ ની ગંભીર બેદરકારી સામે આવી છે.ગરીબ કલ્યાણ મેળામાં ઉદ્યોગ કેન્દ્ર નડિયાદમાં કુલ 1000 નાગરિકો દ્વારા ગરીબ કલ્યાણ મેળામાં લાભ લેવા માટે ફોર્મ ભર્યા હતા પણ ત્રણ દિવસ ચાલેલા ગરીબ કલ્યાણ મેળામાં 462 લોકોને જ કીટ આપવામાં આવી છે.

ઉડાઉ જવાબ આપવામાં આવ્યો

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાભાર્થી દ્વારા તપાસ કરવામાં આવતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર તન્વી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે સરકારમાંથી ભલે જાહેરાત કરવામાં આવી હોય પણ સરકારની જે એજન્સી માંથી કીટો આવવાની હતી  તે નહિ  આવવાને કારણે લાભાર્થીઓ હાલ લાભથી વંચિત રહ્યાં છે જયારે આ અંગે તન્વી પટેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા બિલકુલ સરકારી જવાબ આપવામાં આવ્યો તન્વી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ઉપરથી જયારે કીટ આવશે ત્યારે આપવામાં આવશે. જયારે સમય મર્યાદા અંગે પૂછવામાં આવ્યું તો સરકારી અધિકારીને પણ ખબર નથી આવશે ત્યારે આપીશું નો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો

આજનું રાશિફળ તારીખ : 20-04-2025
Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા ​​જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?

આ પણ વાંચો : Amul ડેરીમાં માં સફેદ દુધના વહીવટ માટે કાળો કકળાટ, રામસિંહ પરમાર અને પપ્પુ પાઠક સામ સામે

આ પણ વાંચો :  Mehsana : વિસનગરમાં આપ કે દ્વાર આયુષ્યમાન ત્રિ-દિવસીય મહાઝૂંબેશ કાર્યક્રમ

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
g clip-path="url(#clip0_868_265)">