AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: નડિયાદમાં એક સેવાભાવી સંસ્થાની અનોખી પહેલ, આકરી ગરમીમાં શ્રમિકોના પગ ન દાઝે તે માટે 7 હજાર ચંપલનું વિતરણ કરશે

નડિયાદમાં (Nadiad) શ્રમજીવીઓની હાલત સાવ કફોડી બની ગઈ છે. આવા પરિવારને આ મોંઘવારીમાં પગમાં પહેરવાના ચંપલ (Chappal) પણ નથી. ત્યારે જેસીઆઇ આવા લોકોની મદદ કરી રહી છે.

Kheda: નડિયાદમાં એક સેવાભાવી સંસ્થાની અનોખી પહેલ, આકરી ગરમીમાં શ્રમિકોના પગ ન દાઝે તે માટે 7 હજાર ચંપલનું વિતરણ કરશે
Old chappals (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 5:15 PM
Share

ખેડા (Kheda) જિલ્લો જાણે સેવાભાવી લોકોથી ભરેલો છે તેવુ જોવા મળી રહ્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા જરુરિયાતમંદોને 15 હજારથી વધુ ચંપલનું વિતરણ કર્યા બાદ નડિયાદ (Nadiad) જૂનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ સંસ્થા પણ હવે જરુરિયાતમંદોની મદદે આવી છે. નડિયાદમાં શ્રમજીવીઓની હાલત સાવ કફોડી બની ગઈ છે. આવા પરિવારને આ મોંઘવારીમાં પગમાં પહેરવાના ચંપલ (Chappal) પણ નથી. ત્યારે જેસીઆઇ આવા લોકોની મદદ કરી રહી છે. આ સંસ્થા દ્વારા નડિયાદના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોના જૂના ચંપલ ઉઘરાવી તેને મરામત કરી શ્રમજીવીઓને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં ઉનાળો આકરો બનતો જઇ રહ્યો છે. આકરા તાપમાં ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ હોય છે. જો કે બે ટંકનું ખાવા મેળવવા માટે કેટલાક લોકોને આકરા તાપમાં પણ બહાર નીકળવુ પડતુ હોય છે. આવા કેટલાક શ્રમજીવીઓ પાસે તો પગમાં દઝાય નહીં તે માટે ચપ્પલના પણ ઠેકાણા હોતા નથી. જો કે નડિયાદની એક સંસ્થા દ્વારા આવા શ્રમજીવીઓની મદદ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આવા પરિવારને આ મોંઘવારીમાં પગમાં પહેરવાના ચંપલ પણ નથી. ત્યારે આવા લોકોની મદદ કરવા માટે નડિયાદ જૂનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ સંસ્થાએ પહેલ શરુ કરી છે. સંસ્થા દ્વારા નડિયાદના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોના જૂના ચંપલ ઉઘરાવી તેને મરામત કરી શ્રમજીવીઓને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

જૂનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ સંસ્થા દ્વારા 45 કોથળા એટલે કે સાત હજાર જેટલા ચંપલની જોડ ભેગી કરવામાં આવી છે. લગભગ 7000 જોડ ચંપલ ભેગા થયા છે, જેમાંથી ઘણા તૂટેલા હોય તેમની સીવડાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ શ્રમજીવીઓને વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામ પૂરું થતાં જ શ્રમિકોને આ ચંપલનું વિતરણ કરવામાં આવશે જેથી તેમને સખત તાપમાં બહાર નીકળવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. નગરજનોએ પણ આ કામગીરી બીરદાવી છે.

થોડા દિવસ પહેલા પણ ખેડા જિલ્લાના જ વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Swaminarayan temple) દ્વારા ઉનાળાની ગરમીમાં જરૂરિયાતમંદ લોકોને 15 હજારથી વધુ ચંપલ (slippers) વિતરણ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. ચરોતરના 400થી વધુ ગામડાઓમાં સ્વયંસેવકોએ દરિદ્રનારાયણની ચપ્પલ પહેરાવાની સેવા કરી હતી. શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ઉનાળા (Summer) ની ધગધગતી ગરમી હોય વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિના સર્વ જીવ હિતાવહના સંદેશાને મૂર્તિમંત કરવા દરિદ્રનારાયણની સેવા કરી શ્રીહરિનો રાજીપો પ્રાપ્ત કરે છે.

Follow Us
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">