Kheda: નડિયાદમાં એક સેવાભાવી સંસ્થાની અનોખી પહેલ, આકરી ગરમીમાં શ્રમિકોના પગ ન દાઝે તે માટે 7 હજાર ચંપલનું વિતરણ કરશે

નડિયાદમાં (Nadiad) શ્રમજીવીઓની હાલત સાવ કફોડી બની ગઈ છે. આવા પરિવારને આ મોંઘવારીમાં પગમાં પહેરવાના ચંપલ (Chappal) પણ નથી. ત્યારે જેસીઆઇ આવા લોકોની મદદ કરી રહી છે.

Kheda: નડિયાદમાં એક સેવાભાવી સંસ્થાની અનોખી પહેલ, આકરી ગરમીમાં શ્રમિકોના પગ ન દાઝે તે માટે 7 હજાર ચંપલનું વિતરણ કરશે
Old chappals (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 5:15 PM

ખેડા (Kheda) જિલ્લો જાણે સેવાભાવી લોકોથી ભરેલો છે તેવુ જોવા મળી રહ્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા જરુરિયાતમંદોને 15 હજારથી વધુ ચંપલનું વિતરણ કર્યા બાદ નડિયાદ (Nadiad) જૂનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ સંસ્થા પણ હવે જરુરિયાતમંદોની મદદે આવી છે. નડિયાદમાં શ્રમજીવીઓની હાલત સાવ કફોડી બની ગઈ છે. આવા પરિવારને આ મોંઘવારીમાં પગમાં પહેરવાના ચંપલ (Chappal) પણ નથી. ત્યારે જેસીઆઇ આવા લોકોની મદદ કરી રહી છે. આ સંસ્થા દ્વારા નડિયાદના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોના જૂના ચંપલ ઉઘરાવી તેને મરામત કરી શ્રમજીવીઓને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં ઉનાળો આકરો બનતો જઇ રહ્યો છે. આકરા તાપમાં ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ હોય છે. જો કે બે ટંકનું ખાવા મેળવવા માટે કેટલાક લોકોને આકરા તાપમાં પણ બહાર નીકળવુ પડતુ હોય છે. આવા કેટલાક શ્રમજીવીઓ પાસે તો પગમાં દઝાય નહીં તે માટે ચપ્પલના પણ ઠેકાણા હોતા નથી. જો કે નડિયાદની એક સંસ્થા દ્વારા આવા શ્રમજીવીઓની મદદ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આવા પરિવારને આ મોંઘવારીમાં પગમાં પહેરવાના ચંપલ પણ નથી. ત્યારે આવા લોકોની મદદ કરવા માટે નડિયાદ જૂનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ સંસ્થાએ પહેલ શરુ કરી છે. સંસ્થા દ્વારા નડિયાદના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોના જૂના ચંપલ ઉઘરાવી તેને મરામત કરી શ્રમજીવીઓને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

જૂનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ સંસ્થા દ્વારા 45 કોથળા એટલે કે સાત હજાર જેટલા ચંપલની જોડ ભેગી કરવામાં આવી છે. લગભગ 7000 જોડ ચંપલ ભેગા થયા છે, જેમાંથી ઘણા તૂટેલા હોય તેમની સીવડાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ શ્રમજીવીઓને વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામ પૂરું થતાં જ શ્રમિકોને આ ચંપલનું વિતરણ કરવામાં આવશે જેથી તેમને સખત તાપમાં બહાર નીકળવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. નગરજનોએ પણ આ કામગીરી બીરદાવી છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

થોડા દિવસ પહેલા પણ ખેડા જિલ્લાના જ વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Swaminarayan temple) દ્વારા ઉનાળાની ગરમીમાં જરૂરિયાતમંદ લોકોને 15 હજારથી વધુ ચંપલ (slippers) વિતરણ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. ચરોતરના 400થી વધુ ગામડાઓમાં સ્વયંસેવકોએ દરિદ્રનારાયણની ચપ્પલ પહેરાવાની સેવા કરી હતી. શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ઉનાળા (Summer) ની ધગધગતી ગરમી હોય વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિના સર્વ જીવ હિતાવહના સંદેશાને મૂર્તિમંત કરવા દરિદ્રનારાયણની સેવા કરી શ્રીહરિનો રાજીપો પ્રાપ્ત કરે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">