Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: વિકાસના શપથ સાથે મોથાળા ગામમાં સરપંચ અને સભ્યોએ સુકાન સંભાળ્યુ

એક નાનકડા ગામના સુકાનીઓએ આ રીતે ગ્રામજનોના હિત માટે જાહેરમાં શપથવિધિ લીધી હોય તેવો આ સંભવત પ્રથમ પ્રસંગ છે. મોથાળા ગામમાં ચૂંટાયેલા સરપંચ વિવેક કિશોર ડાભી એક ધારાશાસ્ત્રી છે.

Kutch: વિકાસના શપથ સાથે મોથાળા ગામમાં સરપંચ અને સભ્યોએ સુકાન સંભાળ્યુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 7:14 AM

ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election)નું પરિણામ જાહેર થયા બાદ જુદા જુદા ગામના સરપંચ અને સભ્યોએ જીતની ખુશીમાં જાહેરમાં સરઘસ કાઢીને પોતાના પદ સંભાળ્યા છે. જો કે કચ્છના અબડાસા (Abdasa)ના મોથાળા ગામમાં કંઈક અલગ બન્યુ છે. મોથાળા ગામ (Mothala village)ના ચૂંટાયેલા સભ્યોએ સરઘસ નહીં શપથગ્રહણ સાથે પોતાનું સુકાન સંભાળ્યુ છે.

વિધાનસભાના અધ્યક્ષની હાજરીમાં શપથ

”હુ કોઈ પણ લોભ-લાલચ પ્રલોભનમાં આવ્યા વગર ગામનો વિકાસ કરીશ ,લોકોની સેવામાં કર્તવ્ય નિષ્ઠ રહીશ” આ શપથ કોઈ ધારાસભ્યએ નહીં, પરંતુ કચ્છના એક નાનકડા ગામના સરપંચ અને ચૂંટાયેલા સભ્યોએ લીધા છે.

મોથાળા ગામે ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સરપંચ તથા તેના સભ્યોએ જાહેરમાં એક શપથ કાર્યક્રમ યોજીને પોતાના પદનું સુકાન સંભાળ્યુ હતુ. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા સરપંચ અને સભ્યોને શપથ લેવડાવ્યા હતા.

શું તમે hero Splendor નામનો અર્થ જાણો છો?
Vastu Tips: ઘરમાં મધમાખીનું મધપૂડો બનાવવું શુભ કે અશુભ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ

એક નાનકડા ગામના સુકાનીઓએ આ રીતે ગ્રામજનોના હિત માટે જાહેરમાં શપથવિધિ લીધી હોય તેવો આ સંભવત પ્રથમ પ્રસંગ છે. મોથાળા ગામમાં ચૂંટાયેલા સરપંચ વિવેક કિશોર ડાભી એક ધારાશાસ્ત્રી છે. એક શિક્ષિત વ્યક્તિને ચૂંટીને ગામમાં વિકાસના કોલ સાથે લેવાયેલા આ શપથ ગ્રહણ સમારંભની લોકોએ પ્રશંસા કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ગામની પુલ અને ગટરના કામોની મારી પાસે માગણી આવી છે તેેને હકારાત્મક રીતે પૂર્ણ કરી દેવાશે. તેમણે ગ્રામજનોને કહ્યું કે, હવે આવેદન નહીં નિવેદનનો સમય આવ્યો છે. તેમણે કહ્યું કે હવે ગ્રામજનોએ પોતાના પ્રશ્નોને લઈને અધિકારીઓ પાસે જવાની જરુર રહેશે નહીં, કારણ કે અધિકારીઓ જ તમારી પાસે પ્રશ્નો સાંભળવા આવશે.

શપથગ્રહણ કાર્યક્રમમાં હાજર રહેલા અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે મોથાળા-કનકાવતીના રોડનો પ્રશ્ન પણ હલ થયો છે અને જરૂરી તમામ વિકાસ માટે સરકાર મદદ કરશે. શપથગ્રહણ સમારોહમાં મોથાળા ગામના સરપંચ સહિત તમામ સભ્યોએ ગામની સમસ્યાના ઉકેલ તથા વિકાસ માટે બનતુ બધુ જ કરવાની ગ્રામજનોને ખાતરી આપી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad: હોટેલ ઈન્ડસ્ટ્રીને થશે કરોડોનું નુકસાન, વાયબ્રન્ટ સમિટ રદ થતાં કરોડોના બૂકિંગ કેન્સલ થયા

આ પણ વાંચોઃ Mandi: જુનાગઢના વિસાવદર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5980 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

g clip-path="url(#clip0_868_265)">