પશ્ચિમ રેલ્વે ગુજરાતમાં(Gujarat) રેલ્વેના માળખાગત વિકાસમાં બૃહદ યોગદાન આપી રહી છે અને પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ગેજ પરિવર્તન, વિદ્યુતીકરણ, ડબલીંગ અને યાત્રી સુવિધાઓમાં વધારો કરવા સહિત અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડની સાથે-સાથે બંદરોની કનેક્ટિવિટીથી સંબંધિત કાર્યોને જબરજસ્ત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પશ્ચિમ રેલ્વેએ(Western Railway)તુણા બંદરની ગાંધીધામથી(Gandhidham)કનેક્ટિવિટીને વધુ સારી બનાવવા માટે અને ગાંધીધામ યાર્ડને રિમોડેલિંગ કરવાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. આ કામને 10 ફેબ્રુઆરી, 2022 ના રોજ સફળતાપુર્વક પૂર્ણ કરીને ચાલુ કરી દેવાયુ છે પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા અપાયેલી જાણકારી મુજબ ગાંધીધામ અને તુણા પોર્ટ વચ્ચે ઇંટરલોકિંગ, શંટિંગ નેક ને ચાલુ કરવા, ગાંધીધામ યાર્ડમાં વધારાની લૂપ લાઈનોની જોગવાઈ, ગાંધીધામ-કંડલા પોર્ટ સેક્શન પર ગાંધીધામ અને શિરવા સ્ટેશનો વચ્ચે ગાંધીધામ કેબિનની જોગવાઈ અને લેવલ ક્રોસિંગ નંબર 01 પર ઇંટરલોકિંગ જેવી કેટલીક પરિવહન સુવિધા અને સુરક્ષા સંબંધિત કામ કરવામાં આવ્યા છે.
આ અપગ્રેડેશનથી સુરક્ષામાં વૃદ્ધિની સાથે-સાથે તુણા પોર્ટ અને કંડલા પોર્ટથી માલ લોડિંગમાં વધારો થશે. આ અપગ્રેડેશન રેલવેના માલ લોડિંગ પરિવહનને ગતિ મળશે તેવી આશા છે.
પશ્ચિમ રેલ્વે/મધ્ય રેલ્વેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ અમદાવાદ ડિવિઝન હસ્તકના ભુજ રેલ્વે સ્ટેશન પર આવેલ વિવિધ યાત્રી સેવાઓ અને કોચિંગ ડેપોનુ નિરીક્ષણ કર્યું. હતુ લાહોટીએ ભુજ સ્ટેશન પર વિવિધ યાત્રી સુવિધાઓ જેવી કે એસ્કેલેટર, લિફ્ટ, કોનકર્સ હોલ, વીઆઇપી લાઉન્જ, વેઇટિંગ હોલ, એસી વેઇટિંગ હોલ, લેડિઝ વેઇટિંગ હોલ, જેન્ટ્સ-લેડિઝ ટોઇલેટ તેમ જ દિવ્યાંગો માટેના ટોઇલેટ વગેરેનું નિરીક્ષણ કર્યું. હતુ ,
આ ઉપરાંત, એમણે કેટરિંગ સ્ટોલનું નિરીક્ષણ પણ કર્યું અને સ્ટોલ્સ પરથી બે બિલિંગ મશીનમાંથી બિલ કઢાવી તપાસ્યા હતા કોચિંગ ડેપો ભુજમાં લાહોટીએ તેની સંભાળ, સુરક્ષા અંગે કરવામાં આવેલ વિવિધ મહત્વની કામગીરીઓનું સુપરવિઝન કર્યું. હતુ જેમ કે, વોટર ફિલિંગ અરેન્જમેન્ટ સિસ્ટમ, એર બ્રેક ફ્લેક્સિબલ પાઇપ મોડિફિકેશન, ફીબા મોડિફિકેશન, ઇટીપી પ્લાન્ટ, એલએચબી કોચમાં સીબીસી લોકિંગ પિન વગેરે મોડિફિકેશન કામગીરીને પણ ઝીણવટભર્યુ નિહાળ્યુ હતુ.
કચ્છમાં રેલ્વે સેવા વિસ્તરણ માટે ખુબ પ્રયત્નો થઇ રહ્યા છે. ખાસ કરીને ઓદ્યોગિક ગતિ લાવવા માટે તાજેતરમાં નલિયા-ભુજ બ્રોડગેજ સેવા દેસલપરથી શરૂ કરાઇ હતી ત્યારે હવે કચ્છના તુણા અને કંડલા પોર્ટ પર પરિવહન માટે સુવિદ્યા વધારાતા ઔદ્યોગીક પરિવહન ઝડપી બનશે તો ભુજ રેલ્વે સ્ટેશન પર GM ની મુલાકાત સમયે ડિવિઝનલ રેલવે મેનેજર તરુણ જૈન, વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,રવિન્દ્ર શ્રીવાસ્તવ, એઆરએમ આદિશ પઠાનિયા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છમાં રેલ્વે સેવા મજબુત કરવા મંથન કરાયુ હતુ.
આ પણ વાંચો : ડાંગ : નવા બની રહેલા ડેમોને લઇને સ્થાનિકોમાં ચિંતા, વાંસદા-ચીખલીના ધારાસભ્યની આગેવાનીમાં બેઠક યોજાઇ
આ પણ વાંચો : ગુજરાતમાં નીરવ મોદી કરતાં પણ મોટું કૌભાંડ સામે આવ્યું: SBIએ લગાવ્યો રૂ. 22842 કરોડની છેતરપિંડીનો આરોપ
Published On - 8:54 pm, Sat, 12 February 22