AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KUTCH : પ્રભારી સચિવ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રસીકરણ તેમજ કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજાઇ !

કચ્છમાં રસીકરણના પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સંખ્યા વગેરે વિષયો પર તંત્ર સાથે ચર્ચા કરી જરૂરી સુચનો હર્ષદ પટેલે આપ્યા હતા. આ ઉપરાંત ઓમિક્રોન તેમજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરેને ધ્યાનમાં રાખી રસીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું.

KUTCH : પ્રભારી સચિવ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રસીકરણ તેમજ કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજાઇ !
કચ્છ : કોરોના રસીકરણ
Jay Dave
| Edited By: | Updated on: Dec 10, 2021 | 6:50 PM
Share

KUTCH : આજે કચ્છ પ્રભારી સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને કચ્છમાં થયેલ રસીકરણ અંગેની કામગીરી તેમજ કોરોનાની ત્રીજી લહેર તથા નવા વેરીએન્ટ સંદર્ભની પુર્વ તૈયારી અંગેની સમીક્ષા બેઠક કલેકટર-કચેરી ખાતે યોજાઇ હતી.સમગ્ર વિશ્વ સાથે ભારતમાં પણ સંભવિત કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ત્યારે તેની પુર્વ તૈયારીના ભાગરૂપે કચ્છ આરોગ્ય તંત્ર દ્વારા શું-શું તકેદારી લેવામાં આવી રહી છે.તેમજ કોરોના સામે રામબાણ તરીકે રસીને અગ્રતા આપવાની કેવા પ્રકારની કામગીરી થઇ છે તેની સમિક્ષા કરાઇ હતી.

કચ્છમાં રસીકરણના પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સંખ્યા વગેરે વિષયો પર તંત્ર સાથે ચર્ચા કરી જરૂરી સુચનો હર્ષદ પટેલે આપ્યા હતા. આ ઉપરાંત ઓમિક્રોન તેમજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરેને ધ્યાનમાં રાખી રસીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું. તેમજ ગ્રામિણ તેમજ શહેરી વિસ્તારોમાં સર્વે કરી બીજો ડોઝ બાકી હોવાના કારણો જાણી ગામ તેમજ વોર્ડ મુજબ ટાર્ગેટ કરી ફોલોઅપ લેવા આરોગ્ય વિભાગને સુચનો કર્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે વિગતો આપતા જણાવ્યું હતુ કે, કચ્છમાં પ્રથમ ડોઝની ૯૦% જેટલી કામગીરી પુર્ણ થયેલી છે.જ્યારે તેની સામે બીજા ડોઝ માટે એલિજીબલ લોકોમાંથી ૮૬% લોકોને બીજો ડોઝ અપાઇ ચુકયો છે.

જ્યારે બાકીના ૧૪%ના લક્ષ્યાંકને પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર કે ઓમિક્રોન અંગે પુર્વ તૈયારીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, ત્રીજી લહેર માટે તંત્ર સજ્જ છે નિયમિત ૩૬૦૦ આર.ટી.પી.સી.આર ટેસ્ટ, ૫૧  MT ઓક્સિજન ઉત્પાદન, ૪૧૦ આઇ.સી.યુ. બેડ, ૨૪૨૪ ઓક્સિજન બેડ તેમજ પુરતા સ્ટાફ સાથેની તૈયારીઓ સાથે કચ્છ કોરોના સામે લડવા માટે સજ્જ હોવાનુ જણાવ્યુ હતુ. તો આરોગ્ય ઉપરાંત પ્રભારી હર્ષદ પટેલએ જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર,પ્રવિણા ડી.કે,જીલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, અધિક નિવાસી કલેકટર હનુમંતસિંહ જાડેજા તેમજ સંલગ્ન તમામ વિભાગના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Gram Panchayat Election : બોટાદના ગઢડાનું ઘોઘાસમડી ગામ પ્રથમ વાર મહિલા સમરસ ગ્રામ પંચાયત બન્યું

આ પણ વાંચો : Surat: 11 થી 20 ડિસેમ્બર યોજાશે ‘હુનર હાટ’, હસ્તકલા, આર્ટના કારીગરોને મળશે રોજગારીની તકો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">