KUTCH : પ્રભારી સચિવ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રસીકરણ તેમજ કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજાઇ !

કચ્છમાં રસીકરણના પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સંખ્યા વગેરે વિષયો પર તંત્ર સાથે ચર્ચા કરી જરૂરી સુચનો હર્ષદ પટેલે આપ્યા હતા. આ ઉપરાંત ઓમિક્રોન તેમજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરેને ધ્યાનમાં રાખી રસીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું.

KUTCH : પ્રભારી સચિવ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રસીકરણ તેમજ કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજાઇ !
કચ્છ : કોરોના રસીકરણ
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Dec 10, 2021 | 6:50 PM

KUTCH : આજે કચ્છ પ્રભારી સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને કચ્છમાં થયેલ રસીકરણ અંગેની કામગીરી તેમજ કોરોનાની ત્રીજી લહેર તથા નવા વેરીએન્ટ સંદર્ભની પુર્વ તૈયારી અંગેની સમીક્ષા બેઠક કલેકટર-કચેરી ખાતે યોજાઇ હતી.સમગ્ર વિશ્વ સાથે ભારતમાં પણ સંભવિત કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ત્યારે તેની પુર્વ તૈયારીના ભાગરૂપે કચ્છ આરોગ્ય તંત્ર દ્વારા શું-શું તકેદારી લેવામાં આવી રહી છે.તેમજ કોરોના સામે રામબાણ તરીકે રસીને અગ્રતા આપવાની કેવા પ્રકારની કામગીરી થઇ છે તેની સમિક્ષા કરાઇ હતી.

કચ્છમાં રસીકરણના પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સંખ્યા વગેરે વિષયો પર તંત્ર સાથે ચર્ચા કરી જરૂરી સુચનો હર્ષદ પટેલે આપ્યા હતા. આ ઉપરાંત ઓમિક્રોન તેમજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરેને ધ્યાનમાં રાખી રસીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું. તેમજ ગ્રામિણ તેમજ શહેરી વિસ્તારોમાં સર્વે કરી બીજો ડોઝ બાકી હોવાના કારણો જાણી ગામ તેમજ વોર્ડ મુજબ ટાર્ગેટ કરી ફોલોઅપ લેવા આરોગ્ય વિભાગને સુચનો કર્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે વિગતો આપતા જણાવ્યું હતુ કે, કચ્છમાં પ્રથમ ડોઝની ૯૦% જેટલી કામગીરી પુર્ણ થયેલી છે.જ્યારે તેની સામે બીજા ડોઝ માટે એલિજીબલ લોકોમાંથી ૮૬% લોકોને બીજો ડોઝ અપાઇ ચુકયો છે.

જ્યારે બાકીના ૧૪%ના લક્ષ્યાંકને પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર કે ઓમિક્રોન અંગે પુર્વ તૈયારીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, ત્રીજી લહેર માટે તંત્ર સજ્જ છે નિયમિત ૩૬૦૦ આર.ટી.પી.સી.આર ટેસ્ટ, ૫૧  MT ઓક્સિજન ઉત્પાદન, ૪૧૦ આઇ.સી.યુ. બેડ, ૨૪૨૪ ઓક્સિજન બેડ તેમજ પુરતા સ્ટાફ સાથેની તૈયારીઓ સાથે કચ્છ કોરોના સામે લડવા માટે સજ્જ હોવાનુ જણાવ્યુ હતુ. તો આરોગ્ય ઉપરાંત પ્રભારી હર્ષદ પટેલએ જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર,પ્રવિણા ડી.કે,જીલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, અધિક નિવાસી કલેકટર હનુમંતસિંહ જાડેજા તેમજ સંલગ્ન તમામ વિભાગના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આ પણ વાંચો : Gram Panchayat Election : બોટાદના ગઢડાનું ઘોઘાસમડી ગામ પ્રથમ વાર મહિલા સમરસ ગ્રામ પંચાયત બન્યું

આ પણ વાંચો : Surat: 11 થી 20 ડિસેમ્બર યોજાશે ‘હુનર હાટ’, હસ્તકલા, આર્ટના કારીગરોને મળશે રોજગારીની તકો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">