AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, અહીં જીવ અને શિવનું થાય છે મિલન જાણો શું છે લોકવાયકા ?

મહાશિવરાત્રીનું પર્વ ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે.કોરોનાના કારણે છેલ્લા ૨ વર્ષથી મર્યાદિત સંખ્યામાં આ મેળો યોજાયો હતો.જો કે આ વખતે રાજ્ય સરકારે મંજૂરી આપતા મેળો પૂર્ણરૂપે યોજાશે જેનાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, અહીં જીવ અને શિવનું થાય છે મિલન જાણો શું છે લોકવાયકા ?
The Mahashivaratri fair begins in Junagadh, the reunion of Jiva and Shiva takes place
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 25, 2022 | 3:21 PM
Share

આજથી જૂનાગઢ (Junagadh)માં મહાશિવરાત્રિ (Maha shivratri)ના મેળા(Fair)નો પ્રારંભ થયો છે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં શિવભક્તો મેળામાં હાજર રહે તેવી શક્યતા છે.

અખાડાના મહંતો અને એસપી, ડીડીઓ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં થયું ધ્વજારોહણ

જુનાગઢના ભવનાથમાં આજે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે.આજે ભવનાથ મહાદેવ મંદિર ખાતે તમામ અખાડાના મહંતો અને વહિવટી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ થયો હતો.આ મેળો પાંચ દિવસ ચાલશે અને મહાશિવરાત્રીએ રાત્રીના ૧૨ વાગ્યે મૃગીકુંડમાં સ્નાન સાથે આ પર્વની પુર્ણાહુતિ થશે.

ભજન, ભોજન અને ભક્તિનો સંગમ

મહાશિવરાત્રીનું પર્વ ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે.કોરોનાના કારણે છેલ્લા ૨ વર્ષથી મર્યાદિત સંખ્યામાં આ મેળો યોજાયો હતો.જો કે આ વખતે રાજ્ય સરકારે મંજૂરી આપતા મેળો પૂર્ણરૂપે યોજાશે જેનાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અહીં દેશભરમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહે છે

જીવ અને શિવનું મિલન

મહાશિવરાત્રીના મેળાને જીવ અને શિવનું મિલન કહેવાય છે.આ મેળાને મિની કુંભ પણ કહેવામાં આવે છે.અહીં દેશભરમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહે છે.અહીં તેઓ પાંચ દિવસ સુધી રાવટી બનાવે છે અને તેમાં ધુણો ધખાવે છે,નાગા સાધુઓના દર્શન માટે અલગ અલગ વિસ્તારોમાંથી લોકો ઉમટી પડે છે.મહાશિવરાત્રીએ રવાડી નિકળે છે જેમાં નાગા સાધુઓ ભભુત લગાવીને નીકળે છે અને અંતે મૃગીકુંડમાં સ્નાન કરે છે.એવી લોક વાયકા છે કે આ દિવસે શિવ જીવ બનીને આવે છે અને મૃગીકુંડમાં સ્નાન કરીને તેઓ અદ્રશ્ય થઇ જાય છે.

3000થી વધારે પોલીસ બંદોબસ્ત

પાંચ દિવસ યોજાનાર આ મેળામાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ત્રણ જિલ્લાના પાંચ હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે.ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વિવિધ પાર્કિંગની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

ભવનાથના મેળાનો પ્રારંભ

300થી વધુ બસો મેળા માટે દોડશે

ભાવિકોને જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી પહોંચાડવા માટે 50 મીની બસ મુકવામાં આવી છે. જેનું ભાડું માત્ર 20 રૂપિયા રખાયું છે. આ ઉપરાંત આ મેળામાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામ જોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા અને ભાવનગર સહિતના શહેરોમાંથી જૂનાગઢ સુધીની કુલ 300થી વધુ બસ દોડાવશે.

આ પણ વાંચો : રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો, 68500 લાભાર્થીઓને 380 કરોડની સીધી સહાય અને લાભ આપવામાં આવ્યા

આ પણ વાંચો : સુરત : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલને કોર્ટમાં રજૂ કરાયો, સોમવારથી સાક્ષીઓની જુબાની લેવાની કાર્યવાહી થશે

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">