AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: ગૌચરની જમીન પર ભૂમાફિયાનો કબજો, ગૌચરની જમીન ખુલ્લી કરાવવા લોકમાગ ઉઠી

જૂનાગઢ (Junagadh) જિલ્લાનું પલાસવા ગામ કે જ્યાં 1980 પહેલા 1100 વીઘા જમીન ગૌચરની (Gauchar Land) અનામત હતી, જેમાંથી આજે 2022 આવતા સુધીમાં એક પણ વીઘા જમીન ગૌચરની બચી નથી. આ જમીન ઉપર ભૂમાફિયા હવે પગપેસારો વધારી રહ્યા છે.

Junagadh: ગૌચરની જમીન પર ભૂમાફિયાનો કબજો, ગૌચરની જમીન ખુલ્લી કરાવવા લોકમાગ ઉઠી
Gauchar Land (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 11:11 AM
Share

જૂનાગઢ (Junagadh) જિલ્લાના પલાસવા ગામમાં એક સમયે ગૌચરની (Gauchar Land)વિશાળ જગ્યા હતા. પણ હાલ એવી પરિસ્થિતિ છે કે, ગૌધનને ચરાવવું મુશ્કલ બન્યું છે. ગામલોકોના મતે ગામની ગૌચરની જમીન પર ભૂમાફીયાઓએ કબ્જો જમાવી લીધો છે, જેને દૂર કરવા ગામલોકોએ ઉગ્ર માગ કરી છે. જુનાગઢની પલાસવા ગ્રામ પંચાયતની ગૌચરની જમીન ખુલ્લી કરવાનો સંકલ્પ લીધો અને આ અંગે કલેકટરને (Junagadh Collector) રજૂઆત કરી હતી.

જૂનાગઢ જિલ્લાનું પલાસવા ગામ કે જ્યાં 1980 પહેલા 1100 વીઘા જમીન ગૌચરની અનામત હતી, જેમાંથી આજે 2022 આવતા સુધીમાં એક પણ વીઘા જમીન ગૌચરની બચી નથી. આ જમીન ઉપર ભૂમાફિયા હવે પગપેસારો વધારી રહ્યા છે. વળી, જમીનમાંથી લાઇમ સ્ટોન કાઢીને ઊંડા ખાડાઓ કરી દીધા છે. જેથી અહીં ઘાસનું એક તણખલું ઊગે તેવી પરિસ્થિતિ નથી. જેને કારણે ગામમાં રહેલું ગૌધનને ચરાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે.

જૂનાગઢ જિલ્લા પ્લાસવા ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં પથ્થરોની ખાણોનો ખૂબ જ મોટો વ્યવસાય ચાલી રહ્યો છે, જેમાં લીઝ આપીને કામ ચાલી રહ્યાં છે. ઉપરાંત આજુબાજુના ગામડાઓમાં ગેરકાયદે લીઝ પણ ચાલી રહી છે અને ખોદકામ કરી લાઇમ સ્ટોન કાઢવાની કામગીરી પણ ચાલતી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યાં છે. ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે પલાસવા ગ્રામ પંચાયતની ગૌચરની જમીન ખુલ્લી કરવાનો સંકલ્પ લીધો અને આ અંગે કલેકટરને રજૂઆત કરી હતી. વળી, ભવિષ્યમાં પણ ગૌચરની જમીન પર જો કોઈ ભેલાણ કરશે તો, ઉગ્ર કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

એક તરફ સરકાર લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાવી છે ત્યારે બીજી તરફ ગૌચરની અને ગામની ખરાબાની જમીનમાં પગપેસારો કરી રહેલા ભૂમાફિયાએ કબજો જમાવી લીધો છે. ત્યારે તેની સામે સરકાર કડક કાર્યવાહી કરે અને આ જમીનો ખુલ્લી કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.

આ પણ વાંચો-Kutch: દરિયાકાંઠા વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત, બે વર્ષમાં માત્ર BSFને જ 1432 બિનવારસી ચરસના પેકેટ મળ્યા

આ પણ વાંચો-Vadodara: ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડ કેસના આરોપી મોહમ્મદ હુસેન મન્સૂરી સહિત ત્રણના જામીન મંજૂર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
g clip-path="url(#clip0_868_265)">