jamnagar : કમોસમી વરસાદે ઘઉંની ગુણવતા બગાડી, ખેડૂતોની આવક થઈ ઓછી, જાણો વિગત

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની આવક માર્ચથી શરૂ થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ અડધી માનવમાં આવી રહી છે. તો આ વખતે આવેલા ઘઉંની ગુણવતા ઘટી હોવાથી તેના ભાવમાં જોઈએ તેટલો વધારો થયો નથી

jamnagar : કમોસમી વરસાદે ઘઉંની ગુણવતા બગાડી, ખેડૂતોની આવક થઈ ઓછી, જાણો વિગત
Follow Us:
Sagar Solanki
| Edited By: | Updated on: Apr 21, 2023 | 8:49 AM

માર્ચ માહિનામાં પડેલો કમોસમી વરસાદ કે જેના કારણે ખેતી પાકોમાં મોટા પાયે નુકશાન સામે આવ્યું છે. આ તમામ વચ્ચે બજારમાં ઘઉં આવવાનો સમય હતો ત્યારે કમોસમી વરસાદ ખેડૂતોને ર્દવી રહ્યો છે. આ વચ્ચે જામનગર યાર્ડમાં ગત વર્ષ કરતા ઘઉની અડધી આવક નોંધાઈ છે. આ સાથે આવેલા ઘઉંમાં ગુણવતાને અસર થતા પુરતા ભાવ નહીં મળતા હોવાની ખેડુતોની ફરીયાદ છે.

ટેકાના ભાવે ઘઉની ખરીદી કરવા માંગ

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછી છે. જોકે તો આ વખતે ભાવ વધુ નહિ મળતા ખેડુતો નાખુશ છે. સરકાર વહેલી તકે ટેકાના ભાવે ઘઉની ખરીદી શરૂ કરે તેવી માંગ ખેડુતો કરી રહ્યા છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની આવક માર્ચથી શરૂ થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ અડધી માનવમાં આવી રહી છે. તો આ વખતે આવેલા ઘઉંની ગુણવતા ઘટી હોવાથી તેના ભાવમાં જોઈએ તેટલો વધારો થયો નથી. વારંવાર થતા કમોસમી વરસાદ કારણે ઘઉંના ઉત્પાદન અને ગુણવતામાં અસર થઈ રહી છે. જેના કારણે ભાવમાં વધારો નહીં થતા ખેડુતોને પુરતા ભાવ નહીં મળતા હોવાની ફરીયાદ ખેડુતો કરી રહ્યા છે.

કમોસમી વરસાદના કારણે ઘઉંની ગુણવતાને અસર

હાલ ખેડુતોની માંગ છે કે, સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરે. કલ્યાણપુરથી હાપા માર્કેટીંગ યાર્ડમાં આવેલા ખેડુત મોહન રાણાએ જણાવ્યુ કે, ગત વર્ષની સરખામણીએ ઘઉના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. પરંતુ કમોસમી વરસાદના કારણે ઘઉંની ગુણવતાને અસર થઈ છે. અને ઉત્પાદન પણ ઓછુ થયુ છે. જેના કારણે ખર્ચમાં વધારો થયો છે. પરંતુ આની સામે ખેડુતોની આવક ઓછી થઈ છે. સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરે તો ખેડુતો નુકશાનથી બચી શકે તેવું ખેડૂતોનું માનવું છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

ઘઉંનુ ઉત્પાદન ઓછુ થતા આવક ઓછી

હાપા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે માર્ચમાં ઘઉંની કુલ 1,70,760 મણની આવક થઈ હતી. જેની સામે આ વર્ષે માર્ચમાં માત્ર 51,205 મણની આવક નોંધાઈ છે. ગત વર્ષે 2022ના એપ્રિલ માસમાં 2,18,560 મણ આવક નોંધાઈ હતી. જે હાલના વર્ષમાં એપ્રિલના 20 દિવસમાં માત્ર 93,345 મણ આવક થઈ છે. ઘઉંનુ ઉત્પાદન ઓછુ થતા આવક ઓછી થઈ રહી છે. સાથે તેની ગુવણતા ઘટી હોવાથી તેના ભાવ ગત વર્ષે જેટલા હતા તેની સામે નજીવો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : ભગવાન પરશુરામ જયંતિએ પરંપરાગત ભવ્ય શોભાયાત્રા યોજાશે, બ્રહ્મસમાજના યુવાનો દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો

ખેડુતોના ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતા તેઓ આર્થિક નુકસાન સહન કરવા મજબુર બન્યા છે. ગત વર્ષે ઘઉંના એક મણના ભાવ રૂ. 380 થી 602 સુધી નોંધાયા હતા. આ વર્ષે તે ભાવ રૂ.308 થી 650 સુધી નોંધાયા છે. સારી ગુણવતાના ઘઉંના ભાવ 600થી 650 સુધી મળી રહ્યા છે. પરંતુ તે ઘઉંની આવક જ ઓછા પ્રમાણમાં થાય છે. હાલ સામાન્ય ગુણવતાવાળા ઘઉં વધુ પ્રમાણમાં આવે છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
g clip-path="url(#clip0_868_265)">