AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

jamnagar : કમોસમી વરસાદે ઘઉંની ગુણવતા બગાડી, ખેડૂતોની આવક થઈ ઓછી, જાણો વિગત

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની આવક માર્ચથી શરૂ થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ અડધી માનવમાં આવી રહી છે. તો આ વખતે આવેલા ઘઉંની ગુણવતા ઘટી હોવાથી તેના ભાવમાં જોઈએ તેટલો વધારો થયો નથી

jamnagar : કમોસમી વરસાદે ઘઉંની ગુણવતા બગાડી, ખેડૂતોની આવક થઈ ઓછી, જાણો વિગત
Sagar Solanki
| Edited By: | Updated on: Apr 21, 2023 | 8:49 AM
Share

માર્ચ માહિનામાં પડેલો કમોસમી વરસાદ કે જેના કારણે ખેતી પાકોમાં મોટા પાયે નુકશાન સામે આવ્યું છે. આ તમામ વચ્ચે બજારમાં ઘઉં આવવાનો સમય હતો ત્યારે કમોસમી વરસાદ ખેડૂતોને ર્દવી રહ્યો છે. આ વચ્ચે જામનગર યાર્ડમાં ગત વર્ષ કરતા ઘઉની અડધી આવક નોંધાઈ છે. આ સાથે આવેલા ઘઉંમાં ગુણવતાને અસર થતા પુરતા ભાવ નહીં મળતા હોવાની ખેડુતોની ફરીયાદ છે.

ટેકાના ભાવે ઘઉની ખરીદી કરવા માંગ

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછી છે. જોકે તો આ વખતે ભાવ વધુ નહિ મળતા ખેડુતો નાખુશ છે. સરકાર વહેલી તકે ટેકાના ભાવે ઘઉની ખરીદી શરૂ કરે તેવી માંગ ખેડુતો કરી રહ્યા છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની આવક માર્ચથી શરૂ થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ અડધી માનવમાં આવી રહી છે. તો આ વખતે આવેલા ઘઉંની ગુણવતા ઘટી હોવાથી તેના ભાવમાં જોઈએ તેટલો વધારો થયો નથી. વારંવાર થતા કમોસમી વરસાદ કારણે ઘઉંના ઉત્પાદન અને ગુણવતામાં અસર થઈ રહી છે. જેના કારણે ભાવમાં વધારો નહીં થતા ખેડુતોને પુરતા ભાવ નહીં મળતા હોવાની ફરીયાદ ખેડુતો કરી રહ્યા છે.

કમોસમી વરસાદના કારણે ઘઉંની ગુણવતાને અસર

હાલ ખેડુતોની માંગ છે કે, સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરે. કલ્યાણપુરથી હાપા માર્કેટીંગ યાર્ડમાં આવેલા ખેડુત મોહન રાણાએ જણાવ્યુ કે, ગત વર્ષની સરખામણીએ ઘઉના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. પરંતુ કમોસમી વરસાદના કારણે ઘઉંની ગુણવતાને અસર થઈ છે. અને ઉત્પાદન પણ ઓછુ થયુ છે. જેના કારણે ખર્ચમાં વધારો થયો છે. પરંતુ આની સામે ખેડુતોની આવક ઓછી થઈ છે. સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરે તો ખેડુતો નુકશાનથી બચી શકે તેવું ખેડૂતોનું માનવું છે.

ઘઉંનુ ઉત્પાદન ઓછુ થતા આવક ઓછી

હાપા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે માર્ચમાં ઘઉંની કુલ 1,70,760 મણની આવક થઈ હતી. જેની સામે આ વર્ષે માર્ચમાં માત્ર 51,205 મણની આવક નોંધાઈ છે. ગત વર્ષે 2022ના એપ્રિલ માસમાં 2,18,560 મણ આવક નોંધાઈ હતી. જે હાલના વર્ષમાં એપ્રિલના 20 દિવસમાં માત્ર 93,345 મણ આવક થઈ છે. ઘઉંનુ ઉત્પાદન ઓછુ થતા આવક ઓછી થઈ રહી છે. સાથે તેની ગુવણતા ઘટી હોવાથી તેના ભાવ ગત વર્ષે જેટલા હતા તેની સામે નજીવો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : ભગવાન પરશુરામ જયંતિએ પરંપરાગત ભવ્ય શોભાયાત્રા યોજાશે, બ્રહ્મસમાજના યુવાનો દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો

ખેડુતોના ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતા તેઓ આર્થિક નુકસાન સહન કરવા મજબુર બન્યા છે. ગત વર્ષે ઘઉંના એક મણના ભાવ રૂ. 380 થી 602 સુધી નોંધાયા હતા. આ વર્ષે તે ભાવ રૂ.308 થી 650 સુધી નોંધાયા છે. સારી ગુણવતાના ઘઉંના ભાવ 600થી 650 સુધી મળી રહ્યા છે. પરંતુ તે ઘઉંની આવક જ ઓછા પ્રમાણમાં થાય છે. હાલ સામાન્ય ગુણવતાવાળા ઘઉં વધુ પ્રમાણમાં આવે છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">