Gujarati Video : હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ, જગતનો તાત ચિંતામાં

Valsad News : વહેલી સવારથી જ આજે વલસાડ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ હતુ. જો કે બપોર બાદ વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળામાં વલસાડના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 7:54 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જ આજે વલસાડ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ હતુ. જો કે બપોર બાદ વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળામાં વલસાડના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વલસાડ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.

આ પણ વાંચો-Breaking News: રાજ્યમાં કોરોનાનો કહેર, આજે નોંધાયા નવા 323 કેસ, 2000થી વધુ એક્ટિવ કેસ

રાજ્યમાં ખેડૂતોના માટે માવઠાનું સંકટ હજુ પણ યથાવત્ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાકમાં વરસાદ પડશે.. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, સુરત સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે. વાતાવરણમાં ભેજના કારણે વરસાદ પડવાની શક્યતા છે.. તો બીજીતરફ આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં 1 ડિગ્રી તાપમાન વધી કે ઘટી શકે છે.. અને 24 કલાક બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">