Junagadh: ભવનાથ નજીક ગિરનારના જંગલમાં પ્રેમીએ કરી ગર્ભવતી પ્રેમિકાની હત્યા, જાણો શું હતું કારણ?

રાજકોટની ગર્ભવતી યુવતીની જૂનાગઢના ભવનાથ નજીક ગિરનારના જંગલમાં ચકચારી હત્યા કરવામાં આવી છે, લીવ ઈન રીલેશનમાં રહેતી યુવતીને દર્શન કરવા જવાનું કહી ગિરનારના જંગલમાં લઈ જઈ ત્યા હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે

Junagadh: ભવનાથ નજીક ગિરનારના જંગલમાં પ્રેમીએ કરી ગર્ભવતી  પ્રેમિકાની હત્યા, જાણો શું હતું કારણ?
જૂનાગઢના ભવનાથ નજીક ગિરનારના જંગલમાંથી એક યુવતીની લાશ મળી આવી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 12:08 PM

રાજકોટની ગર્ભવતી યુવતીની જૂનાગઢના ભવનાથ નજીક ગિરનારના જંગલમાં ચકચારી હત્યા કરવામાં આવી છે. લીવ ઈન રીલેશનમાં રહેતી યુવતીના આડા સંબંધના કારણે હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. વધુ એક પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે.

જૂનાગઢ (Junagadh) ના ભવનાથ નજીક ગિરનાર(Girnar)ના જંગલમાંથી એક યુવતીની લાશ મળી આવી છે. આ યુવતીની હત્યા કરી નાખી હોવાનું અને તે રાજકોટની ઉર્મિલા નામની યુવતી હોવાનું ખુલ્યું છે. રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી ઉર્મિલા નામની યુવતી છેલ્લા ચારેક વર્ષથી રાજકોટના બુટલેગર મનસુખ જાદવ નામના શખ્સ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી.

છેલ્લા ઘણા સમયથી મનસુખ અને ઉર્મિલા વચ્ચે આડાસંબંધને લઇ વિવાદ ચાલતો હતો. તેવામાં મનસુખે પોતાના મનમાં પ્રેમિકા (girlfriend) ઉર્મિલાની હત્યા કરવાનો પ્લાન કરી લીધો હતો. આ પ્લાનને અંજામ આપવા માટે તેણે ઉર્મિલા સામે ભવનાથ (Bhavnath) નજીક ગિરનારના જંગલ (forest) માં એક ધાર્મિક જગ્યા પર દર્શન કરવા જવાનું જણાની જૂનાગઢ જવાનું નક્કી કર્યું હતું. બંને ગત આઠ તારીખે જૂનાગઢ આવ્યા હતા અને ત્યાંથી ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી મનસુખ જંગલ વિસ્તારમાં લઇ ગયો હતો. ત્યાં સુમસામ ગજ્યા પર છરીના ઘા મારી મનસુખે ઉર્મિલાની હત્યા કરી નાખી હતી અને પોતે પાછે રાજકોટ આવી ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

હત્યા કર્યા બાદ મનસુખ પોતે એકલો જોવા મળતો હતો જેથી ઉર્મિલાના પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતાં તેની માતાએ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ઉર્મિલા ગુમ થઈ હોવાની અરજી આપી હતી. જેના આધારે રાજકોટ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સની મદદ લઈને મનસુખનું લોકેશન મેળવી તેની પુછપરછ કરી હતી.

પૂછપરછ દરમ્યાન ઉર્મિલાની જૂનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. જેથી રાજકોટ પોલીસ જૂનાગઢ આવી હતી અને જૂનાગઢ પોલીસની મદદ મેળવી ભવનાથ વિસ્તારમાં જંગલોમાં મૃતદેહની શોધખોળ કરી અને મનસુખે હત્યા વાળી જગ્યા બતાવી જયાં ઉર્મિલાનો મૃતદેહ પડ્યો હતો.

મૃતદેહનો એક હાથ દીપડો ખાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી પોલીસે મૃતક ઉર્મિલાની માતાની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી આરોપી મનસુખની ધરપકડ કરી લીધી છે. એક તરફ ભવનાથના જંગલ વિસ્તારમાં ઉર્મિલાના મૃતદેહની બાજુમાં સિંહો ગર્જના કરતા હતા અને પોલીસે મહામહેનતે મૃતદેહને જંગલમાંથી બહાર કાઢી પી.એમ.અર્થે ખસેડાયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનો આરોપી મનસુખ પ્રોહીબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે અને પાસામાં જેલની હવા ખાઇ આવ્યો છે. મૃતક ઉર્મિલાને ગર્ભ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad: કાંકરિયા તળાવમાં હોરર હાઉસમાં આગ લાગી, શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન, જાણો કેટલુ નુકસાન થયુ

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત 95 ડોલર નજીક પહોંચી, જાણો તમારા શહેરમાં આજે 1 લીટર પેટ્રોલ-ડીઝલના ભાવ શું છે?

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">