1984ની એ જન્માષ્ટમી…જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના આ શહેરને રમખાણોથી બચાવી બધાને એક કર્યા હતા

જન્માષ્ટમીના અવસર પર પીએમ મોદીના જીવન સાથે જોડાયેલી એક ઘટના વિશે જાણીશું કે કેવી રીતે માત્ર 34 વર્ષની વયે તેમણે અહિંસાના માર્ગે ચાલીને એક ગામમાં રમખાણો બંધ કરાવ્યા હતા અને શહેરમાં ફરી શાંતી સ્થાપી હતી. જેના કારણે લોકોમાં એકતાનો દોર બંધાયો હતો.

1984ની એ જન્માષ્ટમી...જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના આ શહેરને રમખાણોથી બચાવી બધાને એક કર્યા હતા
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2024 | 5:42 PM

આજે 26 ઓગસ્ટના રોજ દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે, આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું, આપ સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ, જય શ્રી કૃષ્ણ! ત્યારે જન્માષ્ટમીના અવસર પર પીએમ મોદીના જીવન સાથે જોડાયેલી એક ઘટના વિશે જાણીશું કે કેવી રીતે માત્ર 34 વર્ષની વયે તેમણે અહિંસાના માર્ગે ચાલીને એક ગામમાં રમખાણો બંધ કરાવ્યા હતા અને શહેરમાં ફરી શાંતી સ્થાપી હતી. જેના કારણે લોકોમાં એકતાનો દોર બંધાયો હતો.

1984નું વર્ષ હતું, જ્યારે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના એક નાનકડા ગામ પ્રાંતિજમાં કોમી હિંસા વધી હતી અને બે સમુદાયો વચ્ચે તણાવ ઉભો થયો હતો. આ સમયે અરાજકતાવાદી તત્વો હિંસા આચરતા હતા અને હિન્દુ સમુદાયના લોકોમાં ભયનો માહોલ હતો, લોકોમાં એટલી હદે ભય ફેલાયો હતો કે ઘણા પરિવારોને ભાગી જવાની ફરજ પડી હતી. આ સમયે પીએમ મોદી આરએસએસના પ્રચારક હતા.

RSSના કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદી પાસેથી માગ્યું માર્ગદર્શન

પ્રાંતિજ ગામમાં તણાવ વધી રહ્યો હતો ત્યારે આરએસએસમાં ચિંતા વધી રહી હતી અને તેઓ સમગ્ર સમુદાયની સલામતી અંગે ચિંતિત હતા. આવી સ્થિતિમાં નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન લેવા આરએસએસના કાર્યકરો 100 કિલોમીટર દૂર ચાલીને અમદાવાદ ગયા હતા. આરએસએસના કાર્યકર્તાઓના વિચારો અને ચિંતાઓ સાંભળ્યા પછી નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું કે તેમની પાસે આ સમસ્યા માટે એક યોજના છે અને કાર્યકરોને તેમના ગામ પાછા જવા કહ્યું.

ભારતના નથી તો બટેટા આવ્યા ક્યાંથી ?
સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો
મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ પૂરણ પોળી ઘરે બનાવી પરિવારના લોકોનું દિલ જીતો
Weight Loss : વજન ઘટાડતી વખતે દેશી ઘી ખાવું જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 13-09-2024

નરેન્દ્ર મોદી પ્રાંતિજ ગામે પહોંચ્યા

આરએસએસ કાર્યકર્તાઓ સાથે વાત કર્યાના થોડા દિવસો બાદ પીએમ મોદી પ્રાંતિજ ગામ પહોંચ્યા. જ્યાં તેમણે ગામના બે વિસ્તારો મોટી ભાગોળ અને નાની ભાગોળમાં મોટી સભા બોલાવી હતી. આ બેઠકમાં માત્ર RSS કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સમુદાયના પ્રતિનિધિઓ – હિન્દુ નેતાઓ, સામાજિક જૂથો, યુનિયનો, સંગઠનો અને વિસ્તારની અગ્રણી હસ્તીઓએ ભાગ લીધો હતો. RSSના ગામમાં માત્ર થોડા જ કાર્યકરો અને શાખાઓ હોવા છતાં, નરેન્દ્ર મોદીનો ધ્યેય એક વ્યાપક ગઠબંધનને સાથે લાવવાનો હતો.

જન્માષ્ટમી પર એકતા પ્રદર્શનનું સૂચન

નરેન્દ્ર મોદીએ આ તમામ લોકોને અહેસાસ કરાવ્યો કે હિંસા એ ઉકેલનો માર્ગ ન હોઈ શકે. આ બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીનો સંદેશ સ્પષ્ટ હતો કે હિંસા માત્ર સમુદાયો વચ્ચે વિભાજન વધારે છે. તેમણે કહ્યું કે આનો વાસ્તવિક ઉકેલ એકતા છે. નરેન્દ્ર મોદીએ હિંદુ સમુદાય એક સામાજિક કાર્યક્રમ દ્વારા એકત્ર થાય તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે જન્માષ્ટમી નજીક હતી, જેના પર તેમણે કહ્યું કે જન્માષ્ટમી એકતા દર્શાવવાનો સારો અવસર છે.

બધાએ નરેન્દ્ર મોદીના આ પ્રસ્તાવને આવકાર્યો અને તેઓ શોભાયાત્રા કરવા સંમત થયા. નરેન્દ્ર મોદીએ મંદિર પાસે ઉભા રહીને આ ભાષણ આપ્યું હતું, જેને આજે પણ પ્રાંતિજ ગામના રહેવાસીઓ યાદ કરે છે. નરેન્દ્ર મોદીએ તે સમયે કહ્યું હતું કે અમે જન્માષ્ટમી પર ભવ્ય શોભાયાત્રા કાઢીશું જ્યાં વિવિધ સંપ્રદાય અને સમુદાયના લોકો એકઠા થશે.

ગામમાં શોભાયાત્રા નીકળી

સમગ્ર ગામમાં આ શોભાયાત્રાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ, લોકોએ ભગવાન કૃષ્ણના રથને શણગારવાનું શરૂ કર્યું. નરેન્દ્ર મોદીએ પોતે શોભાયાત્રાનું કામ જોયું. તેમણે એક સ્પર્ધાનું પણ આયોજન કર્યું જેમાં સૌથી વધુ શણગારેલા રથને પુરસ્કાર આપવામાં આવનાર હતો. હિન્દુ સમાજના દરેક વર્ગ, જાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના, આ શોભાયાત્રામાં એકસાથે ભાગ લીધો હતો. નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ્ય પ્રાંતિજ ગામમાં આ શોભાયાત્રાને જન આંદોલન બનાવવાનો હતો. પીએમ મોદી આજે પણ રાષ્ટ્રીય સ્તરે આવા જન આંદોલનોને પ્રોત્સાહન આપી રહ્યા છે.

સમગ્ર સમાજ એક સાથે આવ્યો અને અહિંસા દ્વારા ઉકેલ શોધ્યો

શોભાયાત્રાના દિવસે પ્રાંતિજ ગામ જુદું જ લાગતું હતું, જ્યાં કોઈ પણ જાતના ભેદને યાદ કર્યા વિના એક જ હેતુ માટે હજારો લોકો એક જગ્યાએ એકઠા થયા હતા. આખું ગામ લોકોથી ભરેલું હતું, દરેક રથને શણગારવામાં આવ્યો હતો, દરેક જગ્યાએ ભજન ગવાતા હતા અને લોકો ભક્તિમાં નાચતા હતા. આખા ગામમાં આ જ વાત દેખાતી હતી, નરેન્દ્ર મોદીએ જે હેતુથી આ શોભા યાત્રા કાઢી હતી તે એકતા હતી. આ યાત્રા પછી ગામનો સમગ્ર હિંદુ સમુદાય એકત્ર થયો અને તેમની સામે થઈ રહેલી હિંસા સામે આ એકતા તેમની તાકાત બની ગઈ. નરેન્દ્ર મોદીના કારણે ગામમાં થઈ રહેલા રમખાણો કોઈપણ હિંસા વગર બંધ થયા હતા.

એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
g clip-path="url(#clip0_868_265)">