AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : સાધના કોલોની વિસ્તારમાં પરણિતાએ એસીડ પી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં 32 વર્ષીય મહિલા એસીડ પી લેતા મોત નિપજ્યુ છે. મહિલા એસીડ પી લેતા તેને તાત્કાલીક સારવાર માટે જીજી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત થયુ હતુ. મહિલાએ જીવ ગુમાવ્યો બાદ મૃતકના સાસુ અને માતાએ અલગ-અલગ કારણો જણાવ્યો છે.

Jamnagar : સાધના કોલોની વિસ્તારમાં પરણિતાએ એસીડ પી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ
Jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 14, 2023 | 12:42 PM
Share

Jamnagar : જામનગરના સાધના કોલોની વિસ્તારમાં પરણિતાએ એસીડ પી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે મૃતકના સાસુએ પોલીસના ત્રાસથી મહિલાએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. જયારે મૃતકના માતાએ સાસરીયા ત્રાસથી આ પગલુ ભર્યા હોવાની પોલીસને ફરીયાદ નોંધાવી છે. મહિલાએ આપઘાત કરતા જીવ ગુમાવ્યો બાદ મૃતકના સાસુ અને માતાએ અલગ-અલગ કારણો જણાવ્યો.

આ પણ વાંચો : Jamnagar : કોમર્શિયલ કોમ્પલેક્સના પાર્કિંગ બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા, રોગચાળાની ભીતિને લઇ બિલ્ડિંગ માલિકોને ફટકારાઇ નોટિસ

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં 32 વર્ષીય મહિલા એસીડ પી લેતા મોત નિપજ્યુ છે. મહિલા એસીડ પી લેતા તેને તાત્કાલીક સારવાર માટે જીજી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત થયુ હતુ. ભારતી બીપીન ચાવડા નામની મહિલાનું મોત થતા તેની સાસુએ રામીબેને તેના આપઘાતનું કારણ જણાવતા પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. પોલીસ મહિલાના પતિને ત્રાસ આપતી હોવાથી મહિલાએ આપઘાત કર્યો.

મૃતક મહિલાની માતાએ સાસરીયાઓ વિરુદ્ધ કર્યા આક્ષેપ

જો કે બાદ મૃતક મહિલા ભારતીની માતા લખીબેન સાદીયાએ સાસરીયા સામે આક્ષેપ કર્યા છે. પોલીસ મૃતક મહિલાના માતાની ફરીયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની સાસુ અને તેના પતિ બીપીન ચાવડાએ આક્ષેપ કર્યા કે સીટી એ ડીવીજનની પોલીસના ચાર પોલીસ કર્મચારીએ બીપીનને શોધવા માટે પરેશાન કરે છે. તેથી બીપીનએ દવા પીને આપઘાત કરવાની ચીમકી આપી હતી. જેથી ઉશ્કેરાઈને તેની પત્નિએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું તેના સાસુએ આક્ષેપ કર્યા છે. પરંતુ બાદ મહિલાના માતાએ સાસરીયા સામે ફરીયાદ નોંધાવતા સાસરીયાની આક્ષેપ અંગે પણ ખુલાસો થયો.

સમગ્ર મામલે મૃતક મહિલા ભારતીના માતાએ પોલીસને ફરીયાદમાં જણાવ્યુ કે સાસરીયાઓ દ્રારા તેની પુત્રીને ત્રાસ આપતા હોવાથી તેને આપઘાત કર્યો છે. ભારતીના પતિ દ્રારા બે વીઘા જમીન તેના નામ કરવાની માંગણી કરવામાં આવી હતી. અવાર-નવાર પતિ-સાસુ, દિયર તેને ત્રાસ આપતા. ભારતી અગાઉ રીસામણી ઘરે આવી હતી. બાદ પતિએ બોલાવતા ફરી તેને સાસરે મોકલી હતી. પતિ સાથે અવાર-નવાર ઝગડો થતો. અને સાસરીયા તેને ત્રાસ દેતા હોવાનુ મૃતકની માતાએ પોલીસને જણાવ્યુ છે. જેની ફરીયાદને લઈને પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સાસરીયા દ્રારા મહિલાને ત્રાસ આપતો હોવાથી મહિલાએ આપઘાત કર્યો હોવાનું માતાએ જણાવ્યુ છે, સાસરીયા દ્રારા પોતાના પર આરોપના લાગે તે માટે આપઘાતનુ કારણ પોલીસના ત્રાસનુ જણાવવામાં આવેલુ છે. સમગ્ર મામલે પોલીસે મૃતકના માતાની ફરીયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Follow Us
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
TV9 ના અહેવાલની ધારદાર અસર..
TV9 ના અહેવાલની ધારદાર અસર..
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">