AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારત-પાકિસ્તાન સીઝફાયર વચ્ચે જામનગરના આકાશમાં ફરી શંકાસ્પદ વસ્તુ દેખાઇ, સુરક્ષા એજન્સી થઇ દોડતી, જુઓ Video

ઓપરેશન સિંદૂર હેઠળ પહેલગામ હુમલાનો બદલો લેવામાં આવ્યો, ત્યારે પાકિસ્તાન ગભરાઈ ગયું અને ભારત સાથે સીઝફાયરની વાત કરી. જે પછી યુદ્ધની સ્થિતિ બાદ હવે બંને દેશ વચ્ચે સીઝફાયર છે, જો કે આ વચ્ચે 12 મેના રોજ રાત્રે જામનગરમાં નાધેડી ગામમાં શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી.'

Breaking News : ભારત-પાકિસ્તાન સીઝફાયર વચ્ચે જામનગરના આકાશમાં ફરી શંકાસ્પદ વસ્તુ દેખાઇ, સુરક્ષા એજન્સી થઇ દોડતી, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2025 | 10:01 AM
Share

જામનગર (ગુજરાત): પહેલગામ હુમલા પછી, પાકિસ્તાનના ઇરાદા સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા હતા અને પાકિસ્તાનના વિનાશના પુરાવા પણ બતાવવામાં આવ્યા હતા. જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ પહેલગામ હુમલાનો બદલો લેવામાં આવ્યો, ત્યારે પાકિસ્તાન ગભરાઈ ગયું અને ભારત સાથે સીઝફાયરની વાત કરી. જે પછી યુદ્ધની સ્થિતિ બાદ હવે બંને દેશ વચ્ચે સીઝફાયર છે, જો કે આ વચ્ચે 12 મેના રોજ રાત્રે જામનગરમાં નાધેડી ગામમાં શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી.’

યુદ્ધની સ્થિતિ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઇ છે. જે પછી દેશમાં હાલ ભલે શાંતિ જોવા મળે છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ હજી પણ એલર્ટ મોડમાં છે. એવામાં જામનગર જિલ્લાના નાધેડી ગામમાં શંકાસ્પદ હિલચાલનો બનાવ બન્યો છે. ગામના લોકોના જણાવ્યા અનુસાર, રાત્રી સમયે આકાશમાં ડ્રોન જેવી ચમકતી રોશની જોવા મળતાં તરત સરપંચ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.

 આકાશમાં શુ જણાયું?

ગામલોકોનું કહેવું છે કે આકાશમાં એક અજાણી ચમકતી રોશની દેખાઇ હતી, જેનાથી તેઓ ડરી ગયા અને તરત જ ગામના સરપંચને જાણ કરી. સરપંચે તુરંત સુરક્ષા દળોને માહિતી આપી, જે બાદમાં જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે ચકાસણી હાથ ધરી હતી.

 સુરક્ષા દળોની તપાસ પછી શું જાણવા મળ્યું?

વિસ્તૃત તપાસ પછી કોઈ શંકાસ્પદ વસ્તુ કે ડ્રોન જોવા મળ્યો નથી. સુરક્ષા એજન્સીઓએ ગામલોકોને જાણ કરી કે કોઈ જોખમજનક હિલચાલ કે વસ્તુ મળી નથી, જેને લઈ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

જાહેર અપીલ

સુરક્ષા તંત્ર દ્વારા લોકોને નીચેના મુદ્દાઓ માટે અપીલ કરવામાં આવી છે.

  • અફવા ન ફેલાવવી

  • કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક જાણ કરવી

  • સુરક્ષા દળો પર વિશ્વાસ રાખવો અને સહયોગ આપવો

 ઘટનામાં કોઈ ખતરો ન નોંધાયો હોય, પરંતુ આવી ઘટનાઓ સુરક્ષાની દૃષ્ટિએ સાવચેત રહેવાની જરૂરિયાત દર્શાવે છે. જામનગર જેવા અતિસંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ રહેવું મહત્વપૂર્ણ છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
g clip-path="url(#clip0_868_265)">