AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JAMNAGAR: મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની નિમણૂક, અગાઉથી પત્ર લીક થઈ જતાં કોંગ્રેસની આબરુ ગઈ

જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર આનંદ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વિપક્ષના ઉપનેતા તરીકે બસપાના ફુરકાન શેળની નિમણૂક કરાઈ છે.

JAMNAGAR: મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની નિમણૂક, અગાઉથી પત્ર લીક થઈ જતાં કોંગ્રેસની આબરુ ગઈ
Letter of appointment of Leader of Opposition in Jamnagar Municipal Corporation leaked
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 3:02 PM
Share

જામનગર મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation) ના ચૂંટણીને બાદ લાંબા સમય સુધી વિપક્ષના નેતા (Opposition Leader) અંગે કોકડું ગુંચવાયેલુ હતુ. જેની આજે સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યુ. ભારે અવઢવ બાદ એક-એક વર્ષમાં માટે બે કોર્પોરેટરને વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા. જેમાં પ્રથમ વર્ષ આનંદ રાઠોડ અને બીજા વર્ષમાં માટે ધવલ નંદાના નામની જાહેરાત કરવામાં આવી છે.

મહાનગર પાલિકાની 64 બેઠકમાંથી 50 ભાજપ (BJP) પાસે છે. જ્યારે 11 બેઠક પર કોંગ્રેસ (Congress) અને 3 બેઠક પર બસપા (BSP) એ મેળવી હતી. જેમાં વિપક્ષના નેતા તરીકે લાંબા સમય બાદ કોંગ્રેસ દ્વારા આનંદ રાઠોડની પસંદગી કરી છે. જે પદ સંભાળતા જ પક્ષને મજબૂત કરવામાં તેમજ શાસકોના ભષ્ટ્રાચાર અને ગેરરીતિ સામે અવાજ ઉઠાવવાની અને પ્રજાના કામોને પ્રાથમિક આપવાની જાહેરાત કરી હતી.

મહાનગર પાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા તરીકે બસપાના ફુરકાન શેખની અને દંડક તરીકેનું પદ મહિલા કોર્પોરેટર (Corporator) જુનેદાબેન નોતિયારને આપવામાં આવ્યું છે. તેઓ સતત બીજી વખત કોર્પોરેટર બન્યાં છે.

વિપક્ષના નેતાનું નામ જાહેર થાય તે પહેલાં જ પત્ર લીક

જામનગરમાં મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની વિધિવત જાહેરાત થાય તે પહેલાં જ તેમનું નામ જાહેર થઈ ગયું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નામે એક પત્ર લીક થયો હતો જેમાં વિપક્ષી નેતા તરીકે આનંદ રાઠોડનું નામ હતું જ્યારે બીજા વર્ષ માટે ધવલ નંદાનું નામ ફાઈનલ થયું હોવાનું લખેલું છે. પ્રદેશ પ્રમુખના નામનો આ પત્ર ફરતો થઈ જતાં કોંગ્રેસનું પેપર ફૂટી ગયું હોવાની કોમેન્ટો સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, 17 જાન્યુઆરીથી કડકડતી ઠંડીમાંથી રાહત મળશે

આ પણ વાંચોઃ Kheda : કોરોનાને કારણે વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં પોષી પૂનમે યોજાનાર દિવ્ય શાકોત્સવની ઉજવણી રદ્દ કરાઇ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">