AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરમાં ઢોરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકા દ્રારા વધુ એક પ્રયાસ, પોલીસ સુરક્ષા સાથે ઢોરને પકડવાની કામગીરી શરૂ

જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ થયા છે. અનેક રજુઆતો બાદ મહાનગર પાલિકા દ્રારા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે વિવિધ પ્રયાસો શરૂ થયા છે.

જામનગરમાં ઢોરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકા દ્રારા વધુ એક પ્રયાસ, પોલીસ સુરક્ષા સાથે ઢોરને પકડવાની કામગીરી શરૂ
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 09, 2023 | 7:26 PM
Share

જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકા (Metropolitan Municipality) દ્રારા વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસ સુરક્ષા સાથે ઢોરને પકડવાની કામગીરી શરૂ કરી. જે બે સપ્તાહ સુધી ચાલશે. પકડાયેલ ઢોરને ઢોરના ડબ્બામાં રાખવામાં આવતા હોય છે. જયાં ઢોરના મોત થતા દડીયા ગામના સરપંચે ઢોરના ડબ્બાના તાળા તોડીને ઢોર ખુલ્લા મુકવાની ચીમકી આપી છે.

જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ થયા છે. અનેક રજુઆતો બાદ મહાનગર પાલિકા દ્રારા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે વિવિધ પ્રયાસો શરૂ થયા છે. ઢોરને પકડવાની કામગીરી કરવામાં ઢોર માલિકા સાથે વિવાદ થતા હોય છે. ત્યારે રખડતા ઢોરને પકવા માટે પોલીસ સુરક્ષા સાથે કામગીરી શરૂ કરવામાં આવે છે. જે બે સપ્તાહ સુધી કામગીરી ચાલશે. બે ટીમ દ્રારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે.

શહેરમાં ઢોર રહે તો લોકો સુરક્ષિત નથી. અને ઢોર પકડીને ઢોરના ડબ્બામાં રાખવામાં આવે તો ઢોર સુરક્ષિત નથી. ઢોરના ડબ્બામાં દૈનિક 2 થી 4 ઢોરના મોત થાય છે. જયા સફાઈ, ખોરાક અને પશુને તબીબી સારવાર યોગ્ય રીતે ના મળતા પશુઓના મોત થતા હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. જે માટે મહાનગર પાલિકા દ્રારા કામગીરી કરવાની માંગ કરી છે. જુલાઈ માસમાં કુલ 318 ઢોરને પકડવામાં આવ્યા. જુલાઈમાં કુલ 194 ઢોરના મોત ઢોરના ડબ્બામાં થયા છે. છેલ્લા એક સપ્તાહમાં કુલ 136 ઢોરને પકડવામાંં આવ્યા છે. ઢોરના ડબ્બામાં 15થી વધુ ઢોરના મોત થયા છે.

ઢોરના ડબ્બામાં દૈનિક થતા ઢોરના મોતથી દડીયા ગામના સરપંચે રાજુ લખીયરએ તંત્રને યોગ્ય કામગીરી કરવાની રજુઆત કરી છે. સાત દિવસમાં યોગ્ય પગલા નહી લેવાય તો ઢોરના ડબ્બાના તાળા તોડીને ઢોરને છોડાવી જવાની ચીમકી ઉચ્ચારી છે. મહાનગર પાલિકાનો ઢોરનો ડબ્બો દડીયામાં આવેલ છે. જયા દૈનિક ઢોરના મોત થતા ગ્રામજનોમાં તંત્રની કામગીરી સાથે રોષ છે. તેથી પશુઓના મોત ના થાય તેવી કામગીરી કરવાની માંગ સરપંચેે છે.

આ પણ વાંચો : અરે બાપરે ! મીની ટ્રાવેલ્સ બસમાં એકા એક ભભૂકી આગ, જુઓ Video

ઢોરના ડબ્બામાં પુરતી વ્યવસ્થા હોવાનુ અધિકારી જણાવે છે. જયારે પશુઓના મોત અંગે તેમના અન્ય કારણોથી મોત થતા હોવાનુ અધિકારી જણાવે છે. તબીબની સેવા અને પુરતા પ્રમાણમાં ખોરાકની વ્યવસ્થા ઢોરના ડબ્બામાં પશુઓ માટે કરવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">