Jamnagar: પરણિતાની મદદે આવી 181 અભયમની ટીમ, સાસરિયાના ત્રાસમાંથી અપાવી તાત્કાલિક મુક્તિ

ગત 18 જુલાઈના રોજ 181 મહિલા હેલ્પલાઈનમાં એક દીકરીના માતા-પિતાએ ફોન કરીને જણાવ્યુ કે અમે અન્ય જિલ્લામાં રહીએ છીએ અને અમારી દીકરી કાલાવડ તાલુકામાં સાસરે છે. માતાપિતાએ અભયમ ટીમને ફોન કરી તેમની દીકરીએ તાત્કાલિક લઈ જવા જણાવ્યું હતું.

Jamnagar: પરણિતાની મદદે આવી 181 અભયમની ટીમ, સાસરિયાના ત્રાસમાંથી અપાવી તાત્કાલિક મુક્તિ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 20, 2023 | 9:04 AM

Jamnagar: જામનગરના કાલાવડ તાલુકામાં રહેતી પરણિતાને સાસરિયા દ્વારા મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. ત્યારે આ પરણિતાની મદદે 181 અભયમની ટીમ (181 Abhayam team) આવી છે. પરણિતા તેના માતાપિતા પાસે તાત્કાલિક પહોંચી શકે તેમ ન હોવાથી 181 અભયમની ટીમે તેને મદદ કરીને સુરક્ષિત તેના ઘરે મોકલી છે.

આ પણ વાંચો-Mehsana : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઔધોગિક એકમોના પ્રતિનધિઓ સાથે CSR કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

માતા-પિતા દીકરી સુધી તાત્કાલિક પહોંચી શકે તેમ ન હતુ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં રહેતી મહિલાને સાસરિયા દ્વારા મારવામાં આવતી હતી. જેથી આ પરણિત મહિલાએ માતા-પિતાને ફોન કરીને પિયર લઈ જવા જણાવ્યું હતું, જો કે પરણિતાના માતાપિતા અન્ય જિલ્લામાં રહેતા હોવાથી દીકરીને તાત્કાલિક લઇ જઇ શકે તેમ ન હતા. જેથી પરણિતાના માતાપિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ લીધી. 181 અભયમની ટીમે મહિલાને સાસરિયાના ત્રાસમાંથી મુક્ત કરાવી આશરો આપી માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

માતા-પિતાએ 181 અભયમ ટીમને આપી આ માહિતી

ગત 18 જુલાઈના રોજ 181 મહિલા હેલ્પલાઈનમાં એક દીકરીના માતા-પિતાએ ફોન કરીને જણાવ્યુ કે અમે અન્ય જિલ્લામાં રહીએ છીએ અને અમારી દીકરી કાલાવડ તાલુકામાં સાસરે છે. માતાપિતાએ અભયમ ટીમને ફોન કરી તેમની દીકરીએ તાત્કાલિક લઈ જવા જણાવ્યું હતું. પરણિતાએ ફોનમાં જણાવ્યુ હતુ કે તેમની દીકરીના સસરા અને જેઠ મારપીટ કરીને તેને ઘરમાં બંધ કરી રાખે છે. છેલ્લા બે દિવસથી જમવાનું પણ આપ્યું નથી. માતાપિતાએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાની દીકરી સાથે વાતચીત કરવા દેતા નથી. છેલ્લે વાત થઈ ત્યારે મારી દીકરીએ એવું જણાવ્યુ કે મને લઈ જાઓ નહિતર આ લોકો મને મારી નાખશે.

પીડિતાના માતાએ જણાવ્યુ કે અમે બીજા જિલ્લામાં રહેતા હોવાથી તાત્કાલિક પહોંચી શકાય એમ નથી. જેથી પોલીસ ફરિયાદ કરવા જતાં જાણવા મળ્યું કે, તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇનની મદદ લઈ શકાય છે. બાદમાં પીડિતાના માતાપિતાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી એડ્રેસ જણાવ્યુ અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે કાલાવડ તાલુકાના ગામડામાં જઈને પડિતાના ઘરે પહોંચી હતી.

બાદમાં 181 ટીમના કાઉન્સિલર મનિષાબેન વઢવાણા અને કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા દ્વારા કાઉન્સિલિંગ બાદ જાણવા મળ્યુ કે પીડિતાના જેઠ અને સસરા દ્વારા નશાની હાલતમાં અવાર-નવાર મારપીટ કરવામાં આવતી અને છેલ્લા 14 મહિનાથી પિયર જવા દીધી નથી. તેણી જવાનું કહે તો મારી નાખવાની ધમકીઓ આપતા અને બાળક લઈ લેવાનું કહેતા.

પરણિતાને એક દિવસનો અપાયો આશ્રય

સમગ્ર ઘટના જાણ્યા બાદ 181 મહિલા અભયમની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પીડિતાને આશ્વાસન આપી શાંત કરી હતી. તેણીને પોતાના પિયર જવું હતું પરંતુ તેના માતાપિતા તાત્કાલિક પહોંચી શકે તેમ ન હોવાથી મહિલા હેલ્પલાઈનની ટીમે વન સ્ટોપ સેન્ટરની માહિતી આપી સંસ્થામાં એક દિવસનો આશ્રય અપાવી સલામત રાખેલી છે. તેમના પિતાને જાણ કરી કે બીજા દિવસે સવારે આવીને તેમની દીકરીને લઈ જાય અને આગળ કાર્યવાહી કરવી હોય તો કરી શકે છે

181 મહિલા હેલ્પલાઇનની ટીમ પીડીતાને કાલાવાડના ગામડાથી લઈને જામનગર વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવતા પીડીતા અને તેના પરિવારે 181 મહીલા હેલ્પલાઈનની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">