Mehsana : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઔધોગિક એકમોના પ્રતિનધિઓ સાથે CSR કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લા કલેકટર એમ.નાગરાજને જણાવ્યું હતું કે વ્યવસાયની સફળતાનો આધાર સમાજમાં સર્જિત મૂલ્યો પર હોય છે, છેવાડાના માનવીનો સમુચિત વિકાસ થાય તે દિશામાં કંપનીઓએ પોતાની જવાબદારી સમજી CSR કામગીરી કરવી જોઇએ.

Mehsana : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઔધોગિક એકમોના પ્રતિનધિઓ સાથે CSR કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
Mehsana Collector
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jul 20, 2023 | 7:58 AM

Mehsana : મહેસાણા જિલ્લા કલેકટર (District Collector) એમ.નાગરાજના અધ્યક્ષસ્થાને મહેસાણા જિલ્લાના ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)અંતર્ગત થયેલ કામગીરી તેમજ જિલ્લામાં વિવિધ જરૂરીયાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ પણ વાંચો Dharoi Dam: ધરોઈ ડેમમાં નવી આવક નોંધાઈ, ભયજનક સપાટીથી જાણો કેટલી દૂર છે વર્તમાન જળ સપાટી

જિલ્લા કલેકટર એમ.નાગરાજને જણાવ્યું હતું કે વ્યવસાયની સફળતાનો આધાર સમાજમાં સર્જિત મૂલ્યો પર હોય છે, છેવાડાના માનવીનો સમુચિત વિકાસ થાય તે દિશામાં કંપનીઓએ પોતાની જવાબદારી સમજી CSR કામગીરી કરવી જોઇએ. કલેકટરે વધુમાં સ્વાસ્થય, પોષણ, પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ સહિત નવા ઇનોવેશનમાં પણ CSR કરવા ઔધોગિક એકમોના પ્રતિનિધિઓને માર્ગદર્શીત કર્યા હતા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી

મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજીત સી.એસ આર બેઠકમાં મહેસાણા જિલ્લામાં આગામી સમયમાં આરોગ્ય, આઇ.સી.ડી.એસ, સમાજ સુરક્ષા, શિક્ષણ, સંરક્ષણ તેમજ જવાહર નવોદય વિધાલયમાં નવીન પ્રોજેક્ટો તેમજ તેમની જરૂરીયાત સંદર્ભે વિગતે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં ઔધોગિક એકમોને વિવિધ જરૂરીયાત, ફંડ સહિત વિવિધ બાબતોની જાણકારી આપવામાં આવી હતી.

આ બેઠકમાં હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશનની રાજ્યકક્ષાના પ્રતિનિધિ કમલેશ ઉપાધ્યાએ રાજ્યમાં સી.એસ.આર અંતર્ગત થયેલ કામગીરી તેમજ જરૂરીયાત સંદર્ભે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં મળતી સ્વાસ્થ્ય સુવિધાઓ અને દર્દીલક્ષી બનાવવાના લક્ષ સાથે હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત વિગતે સમજ આપી ઉપલ્બધ સી.એસ.આર ફંડ બાબતે ઔધોગિક એકમોને અવગત કર્યા હતા.

જિલ્લામાં 75 અમૃત સરોવરના બ્યુટીફેકશન માટે જરૂરીયાત સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કરાયું

સમગ્ર દેશમાં મિશન અમૃત સરોવર અંતર્ગત થઇ રહેલ કામગીરી સંદર્ભે મહેસાણા જિલ્લામાં 75 અમૃત સરોવરના બ્યુટીફેકશન માટે જરૂરીયાત સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં જિલ્લાના 75 અમૃત સરોવરમાં પ્લેઈંગ એરીયા, પ્લાન્ટેશન, રેલીંગ, ઓપન જીમ સહિત વિવિધ જરૂરીયાત બાબતે ચર્ચા કરાઇ હતી.

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં 50થી વધુ ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિવિધ એકમો દ્વારા સી.એસ.આર અંતર્ગત થયેલ કામગીરી અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત જિલ્લાના સંબધિત અધિકારીઓ તેમજ મહેસાણા જિલ્લાના ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">