AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: ચોમાસા પહેલા જામનગરવાસીઓની મુશ્કેલીનો આવશે અંત, રેલ્વે ઓવરબ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ

જામનગરમાં (Jamnagar)દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફના રેલ્વે ફાટક પાસેના ઓવરબ્રિજનુંકામ પૂર્ણતાના આરે છે ત્યારે ટૂંક જ સમયમાં આ બ્રિજ લોકોપયોગ માટે ખૂલ્લો મૂકવામાં આવે તેવી લોકોની માંગણી છે.  

Jamnagar: ચોમાસા પહેલા જામનગરવાસીઓની મુશ્કેલીનો આવશે અંત, રેલ્વે ઓવરબ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ
Jamnagar: Railway over bridge will be inaugurated soon
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jun 06, 2022 | 11:46 AM
Share

જામનગર શહેરમાં(Jamnagar) વધતી જતી વસ્તીની ટ્રાફીક સમસ્યાને દુર કરવાના હેતુથી દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફના રેલ્વે ફાટક પાસે ઓવરબ્રીજનુ (Over bridge) કામ હવે પૂર્ણતાના આરે પહોંચી ચૂક્યું છે. ત્યારે તંત્ર દ્વારા એવી તૈયારીઓ કરવામાં આવી રહી છે કે જૂન માસના અંત પહેલા જ આ બ્રિજ જાહેર જનતા માટે ખૂલ્લો મૂકી શકાય. હાલમાં ઓવરબ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને પુલ ઉપર રંગરોગાન સહિતની કામગીરી ચાલી રહી છે.  જામનગરમાં  રેલ્વે વિભાગ તેમજ મહાનગર પાલિકાના સહયારા પ્રયાસથી બનાવાવમાં આવેલો ઓવરબ્રિજ સત્વરે લોકો માટે ખૂલ્લો મૂકાય તે માટે મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી કરીને જૂન માસના અંત પહેલા ઓવરબ્રિજ પરથી વાહનોની અવર-જવર શકય બનશે અને ચોમાસું શરૂ થતા પહેલા જ લોકોની મુશ્કેલીઓનો અંત આવશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

સપ્ટેમ્બર 2019થી શરૂ થયું હતું કામકાજ

જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જવાના માર્ગમાં આવતા ફાટક ઉપર ટ્રાફીકની ભારે સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા મહાનગર પાલિકા દ્રારા કરોડોના ખર્ચે ઓવરબ્રિજના કામને મંજૂરી આપવામાં આવી હતી અને મંજૂરી મળ્યા બાદ સપ્ટેમ્બર 2019થી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રેલ્વે ઓવરબ્રિજ માટે મહાનગર પાલિકા દ્વારા 24 કરોડ રૂપિયા અને રેલ્વે વિભાગ દ્રારા 6 કરોડ રૂપિયા ફાળવીને અંદાજિત 30 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. ઓવર બ્રિજની કુલ લંબાઈ 601 રનીંગ મીટર રાખવામાં આવી છે. ઓવરબ્રીજની પહોળાઈ 7.50 મીટર ટુ-લેન અને લંબાઈ 8.30 મીટર સુધીની છે.

ટ્રાફિકની સમસ્યાનું આવશે નિરાકરણ

જામનગર શહેરથી દિગજામ સર્કલથી એરફોર્સ તરફ જતો આ બ્રિજ અનેક રહેણાક વિસ્તારો તેમજ દિગ્જામ મીલ, એરફોર્સ, ઢીચડા, બેરાજા સહીતના ગ્રામ્ય વિસ્તારને જોડાતો મુખ્ય માર્ગ છે. તેથી દૈનિક હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનોની અવર-જવર આ માર્ગ પર રહેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી ઓવરબ્રીજનુ કામ ચાલતુ હોવાથી અનેક સ્થાનિક નાગરીકો અને વાહન-ચાલકોને આશરે 3 કિમી ફરીને જવું પડતું હતું જેના કારણે પેટ્રોલ -ડીઝલ અને સમયનો બગાડ થતો હતો. નવો ઓવરબ્રિજ કાર્યરત થાય તો સમર્પણ સર્કલ પાસેથી ટ્રાફીક સમસ્યા હળવી થઈ શકે. વહેલી તકે ઓવરબ્રીજને કાર્યરત કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગણી છે. બ્રિજ શરૂ થશે તો શહેરના દ્રારકાધીશ રેસીડેન્સી, રવિપાર્ક, નિલકંઠ ધામ, બાલાજી પાર્ક, તીરૂપતિ પાર્ક, સહીતના વિસ્તારની અંદાજે 1 લાખ જેટલી વસ્તીને આ બ્રિજનો નિયમિત ધોરણે ઉપયોગ કરી શકશે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">