Jamnagar: ચોમાસા પહેલા જામનગરવાસીઓની મુશ્કેલીનો આવશે અંત, રેલ્વે ઓવરબ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ

જામનગરમાં (Jamnagar)દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફના રેલ્વે ફાટક પાસેના ઓવરબ્રિજનુંકામ પૂર્ણતાના આરે છે ત્યારે ટૂંક જ સમયમાં આ બ્રિજ લોકોપયોગ માટે ખૂલ્લો મૂકવામાં આવે તેવી લોકોની માંગણી છે.  

Jamnagar: ચોમાસા પહેલા જામનગરવાસીઓની મુશ્કેલીનો આવશે અંત, રેલ્વે ઓવરબ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ
Jamnagar: Railway over bridge will be inaugurated soon
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jun 06, 2022 | 11:46 AM

જામનગર શહેરમાં(Jamnagar) વધતી જતી વસ્તીની ટ્રાફીક સમસ્યાને દુર કરવાના હેતુથી દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફના રેલ્વે ફાટક પાસે ઓવરબ્રીજનુ (Over bridge) કામ હવે પૂર્ણતાના આરે પહોંચી ચૂક્યું છે. ત્યારે તંત્ર દ્વારા એવી તૈયારીઓ કરવામાં આવી રહી છે કે જૂન માસના અંત પહેલા જ આ બ્રિજ જાહેર જનતા માટે ખૂલ્લો મૂકી શકાય. હાલમાં ઓવરબ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને પુલ ઉપર રંગરોગાન સહિતની કામગીરી ચાલી રહી છે.  જામનગરમાં  રેલ્વે વિભાગ તેમજ મહાનગર પાલિકાના સહયારા પ્રયાસથી બનાવાવમાં આવેલો ઓવરબ્રિજ સત્વરે લોકો માટે ખૂલ્લો મૂકાય તે માટે મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી કરીને જૂન માસના અંત પહેલા ઓવરબ્રિજ પરથી વાહનોની અવર-જવર શકય બનશે અને ચોમાસું શરૂ થતા પહેલા જ લોકોની મુશ્કેલીઓનો અંત આવશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

સપ્ટેમ્બર 2019થી શરૂ થયું હતું કામકાજ

જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જવાના માર્ગમાં આવતા ફાટક ઉપર ટ્રાફીકની ભારે સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા મહાનગર પાલિકા દ્રારા કરોડોના ખર્ચે ઓવરબ્રિજના કામને મંજૂરી આપવામાં આવી હતી અને મંજૂરી મળ્યા બાદ સપ્ટેમ્બર 2019થી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રેલ્વે ઓવરબ્રિજ માટે મહાનગર પાલિકા દ્વારા 24 કરોડ રૂપિયા અને રેલ્વે વિભાગ દ્રારા 6 કરોડ રૂપિયા ફાળવીને અંદાજિત 30 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. ઓવર બ્રિજની કુલ લંબાઈ 601 રનીંગ મીટર રાખવામાં આવી છે. ઓવરબ્રીજની પહોળાઈ 7.50 મીટર ટુ-લેન અને લંબાઈ 8.30 મીટર સુધીની છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ટ્રાફિકની સમસ્યાનું આવશે નિરાકરણ

જામનગર શહેરથી દિગજામ સર્કલથી એરફોર્સ તરફ જતો આ બ્રિજ અનેક રહેણાક વિસ્તારો તેમજ દિગ્જામ મીલ, એરફોર્સ, ઢીચડા, બેરાજા સહીતના ગ્રામ્ય વિસ્તારને જોડાતો મુખ્ય માર્ગ છે. તેથી દૈનિક હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનોની અવર-જવર આ માર્ગ પર રહેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી ઓવરબ્રીજનુ કામ ચાલતુ હોવાથી અનેક સ્થાનિક નાગરીકો અને વાહન-ચાલકોને આશરે 3 કિમી ફરીને જવું પડતું હતું જેના કારણે પેટ્રોલ -ડીઝલ અને સમયનો બગાડ થતો હતો. નવો ઓવરબ્રિજ કાર્યરત થાય તો સમર્પણ સર્કલ પાસેથી ટ્રાફીક સમસ્યા હળવી થઈ શકે. વહેલી તકે ઓવરબ્રીજને કાર્યરત કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગણી છે. બ્રિજ શરૂ થશે તો શહેરના દ્રારકાધીશ રેસીડેન્સી, રવિપાર્ક, નિલકંઠ ધામ, બાલાજી પાર્ક, તીરૂપતિ પાર્ક, સહીતના વિસ્તારની અંદાજે 1 લાખ જેટલી વસ્તીને આ બ્રિજનો નિયમિત ધોરણે ઉપયોગ કરી શકશે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">