રસ્તાઓ પર યમદૂતના રૂપમાં ફરી રહેલા રખડતા ઢોરનો આવશે કાયમી ઉકેલ ? આ સેવાભાવી સંસ્થાએ તૈયારી બતાવી

રસ્તાઓ (roads) પર યમદૂત બનીને ફરી રહેલા રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો કેટલાક લોકોએ તો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રસ્તાઓ પર યમદૂતના રૂપમાં ફરી રહેલા રખડતા ઢોરનો આવશે કાયમી ઉકેલ ? આ સેવાભાવી સંસ્થાએ તૈયારી બતાવી
Stray Cattle
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 23, 2022 | 1:39 PM

રાજ્યના (Gujarat)  મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરની (Stray Cattle) સમસ્યાએ માઝા મુકી છે. ત્યારે જામનગર શહેરમાં પણ રખડતી રંજાડને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ (roads) પર યમદૂત બનીને ફરી રહેલા રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો કેટલાક લોકોએ તો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જાહેર માર્ગો પર હાલ ઠેર-ઠેર ઢોર અડિંગા મારીને બેસે છે. આવી સમસ્યાઓ અંગે રજુઆતો અને કાયમી ઉકેલની માંગણી અનેક વખત કરવામાં આવી છે, ત્યારે જામનગરની (Jamnagar) સ્વ.મેરામણભાઈ ભીખાભાઈ બૈડીયાવદરા મેમોરીયલ ટ્રસ્ટ (Trust) નામની આ સંસ્થાએ તેના ઉકેલ માટેની તૈયારી દર્શાવી છે.

કાયમી ઉકેલ માટે સંસ્થાએ તંત્ર સમક્ષ પ્રસ્તાવ મુકયો

આ સંસ્થાએ હાલ કાયમી ઉકેલ માટે તંત્ર સમક્ષ પ્રસ્તાવ મુકયો છે. જેમાં જો મહાનગર પાલિકા (Jamnagar Municipal corp) દ્વારા જગ્યાની ફાળવણી કરવામાં આવે. તો મહાનગર પાલિકાના સહયોગથી રખડતા ઢોરને ત્યાં રાખવાની જવાબદારી ઉપાડી છે. જેમાં પશુઓને ચારા સહિત જો માણસોની જરૂર હોય તો તેની પણ સંસ્થા વ્યવસ્થા કરશે. જો જામનગર મનપા આ પ્રસ્તાવનને સ્વીકારશે તો રખડતા ઢોરના મુદે ઉકેલ કરનાર જામનગર રાજયનુ પ્રથમ શહેર બનશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

જામનગવાસીઓને રખડતી રંજાડમાંથી મળશે છૂટકારો

સંસ્થાના પ્રમુખની કાના બૈડીયાવદરાએ તંત્રને રજૂઆત કરી છે કે ગાયને માતા તરીકે પુજવામાં આવે છે. તો બીજી તરફ રખડતા ઢોર મુદે તંત્રના પ્રયાસો બાદ પણ કાયમી ઉકેલ નથી. ત્યારે તેમની સંસ્થા દ્રારા ગૌસેવા કરવાના હેતુથી તેમજ રખડતા ઢોરના ત્રાસ માંથી શહેરને મુકત કરવા માટે સંસ્થા દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે. શહેરમાં રખડતા ઢોરને રાખવા માટે જો જામનગર મહાનગર પાલિકાની જગ્યા આપશે, તો ઢોરને સાચવવા, ખોરાક અને તેમને જરૂર પડે તો સારવાર સહિતની સવલતો ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. હાલ રખડતા ઢોર મુદે માત્ર ફરીયાદ નહી, પરંતુ સંસ્થાએ તેના ઉકેલ માટે સહભાગી થવાની જવાબદારી સ્વીકારવાની તૈયારી દર્શાવી છે. ત્યારે શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુકત કરવા માટે તંત્ર જો જગ્યાની વ્યવસ્થા કરે તો જામનગવાસીઓને રખડતી રંજાડ માંથી છૂટકારો મળી શકે તેમ છે.

Latest News Updates

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
g clip-path="url(#clip0_868_265)">