રખડતી ‘રંજાડ’નો અંત ક્યારે ? જામનગરમાં રઝળતા ઢોરે મહિલાને અડફેડે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Jamnagar : રાધેકૃષ્ણ મંદિર અને આસપાસના રહેવાસીઓએ આખલાના ત્રાસ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી છે,પરંતુ તંત્ર પશુઓને પૂરવાની કોઈ કાર્યવાહી ન કરતું હોવાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રખડતી ‘રંજાડ’નો અંત ક્યારે ? જામનગરમાં રઝળતા ઢોરે મહિલાને અડફેડે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 1:36 PM

રાજ્યમાં (Gujarat)છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ અટકે તે માટે ઢોર નિયંત્રણ કાયદો (Cattle control bill)લાવવા ઘણી મથામણ ચાલી રહી છે.બીજી તરફ જામનગર (Jamnagar) સહિત ઘણા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે-દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ફરી જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરી એક વાર સામે આવ્યો છે. રાધેકૃષ્ણ મંદિર(Radhe Krishna Temple)  પાસેથી ગત મોડી રાત્રે પતિ-પત્ની ઘરે પરત ફરતા હતા.આ સમયે રખડતા પશુઓનું મોટુ ટોળું અચાનક દોડી આવ્યું અને મહિલાને રોડ પર પટકી દીધી. આ મહિલાને ગંભીર ઈજાગ્રસ્ત સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત મહિલાને માથા, કમર, પગ અને આંખના ભાગે ગંભીર ઈજા થઈ છે.ઈજાગ્રસ્ત મહિલા હાલ બોલી શકવા પણ સક્ષમ નથી.

ઈજાગ્રસ્ત મહિલાના પતિએ દુર્ઘટના બાદ તંત્ર સામે પારાવાર રોષ ઠાલવ્યો છે. રાધેકૃષ્ણ મંદિર અને આસપાસના રહેવાસીઓએ આખલાના ત્રાસ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી છે,પરંતુ તંત્ર પશુઓને પૂરવાની કોઈ કાર્યવાહી ન કરતું હોવાથી રહીશોએ સહન કરવાનો વારો આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાએ રખડતા આખલાના વારંવાર થતા હુમલાથી પ્રજાને બચાવવા ત્વરિત યોગ્ય પગલા લેવા જોઈએ તેવી પણ સ્થાનિકો માગ કરી રહ્યાં છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તંત્રની બેદરકારીને પગલે લોકોએ સહન કરવાનો વારો

બીજી તરફ તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે.જામનગર મહાનગરપાલિકા(Jamnagar Municipal Corporation)  દ્વારા શહેરમાં ટ્રાફીકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરનો ત્રાસ દૂર કરવા મનપાએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઢોર પકડવા માટે બે ટીમ તૈયાર કરીને કામગીરી શરૂ કરી છે. જેમાં સૌથી આશ્વર્યની વાત તો એ છે કે ચાલુ સપ્તાહ દરમિયાન માત્ર 45 ઢોર પકડવામાં આવ્યા છે.

લોકોમાં પારાવાર રોષ જોવા મળ્યો

જેને કારણે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ સઘન બનાવામાં આવનાર હોય ખાનગી માલીકીના ઢોર પકડાશે તો તેવા કિસ્સામાં ઢોર માલીકો સામે દંડનીય તેમજ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.તેવી જોગવાઈ ઢોર નિયંત્રણ બિલમાં કરવામાં આવી છે.પરંતુ ઢોર નિયંત્રણ બિલ લાગુ કર્યા બાદ પણ સ્થિતિ ‘જૈસે થે’ જેવી જોવા મળી રહી છે.ત્યારે તંત્રની બેદરકારીને કારણે હાલ લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે. રોજબરોજ થઈ રહેલી આવી ઘટનાને પગલે લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">