અમદાવાદમાં અપહરણની ઘટનામાં હોમગાર્ડના સસ્પેન્ડેડ અધિકારી બ્રિજરાજસિંહ ગોહિલ પર આક્ષેપ

નવરંગપુરામાં સરવૈયા હાઉસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા જિતેન્દ્ર પટેલે પોતાના અપહરણની ફરિયાદ નોંધાવી છે. જિતેન્દ્રએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો કે, તેના પર એક કોલ આવ્યો હતો અને તેના શેઠ અશ્વિનભાઈ ક્યાં છે તેવુ પૂછ્યું હતું. શેઠ હાજર ન હોવાનું જણાવી તેણે ફોન મુક્યો હતો. જે બાદ ઘર તરફ જતાં સમયે તેનું અપહરણ કરાયું હોવાનો દાવો છે. […]

અમદાવાદમાં અપહરણની ઘટનામાં હોમગાર્ડના સસ્પેન્ડેડ અધિકારી બ્રિજરાજસિંહ ગોહિલ પર આક્ષેપ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 22, 2019 | 9:51 AM

નવરંગપુરામાં સરવૈયા હાઉસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા જિતેન્દ્ર પટેલે પોતાના અપહરણની ફરિયાદ નોંધાવી છે. જિતેન્દ્રએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો કે, તેના પર એક કોલ આવ્યો હતો અને તેના શેઠ અશ્વિનભાઈ ક્યાં છે તેવુ પૂછ્યું હતું. શેઠ હાજર ન હોવાનું જણાવી તેણે ફોન મુક્યો હતો. જે બાદ ઘર તરફ જતાં સમયે તેનું અપહરણ કરાયું હોવાનો દાવો છે. હોમ ગાર્ડના સસ્પેન્ડેડ અધિકારી બ્રિજરાજસિંહ ગોહિલ અને પ્રવીણ સહિત અન્ય લોકો તેને કારમાં સાણંદ લઈ ગયા હતા. કારમાં ધમકી આપી અને મોબાઈલ પણ લઈ લેવાનો આક્ષેપ છે. પરંતુ સમગ્ર મામલો જિતેન્દ્ર સાથે નહીં તેના શેઠ સાથે સંકળાયેલો હોવાની વાત ખુદ જિતેન્દ્રએ કરી છે. જિતેન્દ્રની જુબાની મુજબ તેને કારમાં બેસાડીને કહ્યું કે, તારા શેઠ પાસેથી રૂપિયા લેવાના છે. તારી સાથે કોઈ લેવા-દેવા નથી. આ દરમિયાન બ્રિજરાજસિંહ ગોહિલના પુત્રનો ફોન આવ્યા બાદ જિતેન્દ્રને મુક્ત કરી દેવાયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ પણ વાંચોઃ ગુજરાતભરના વાલીઓ અને તંત્ર માટે આ દૃશ્યો ચેતાવણી સમાન, જીવના જોખમે શાળાએ જાય છે બાળકો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જિતેન્દ્રએ આ સમગ્ર ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવી છે. સાથે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, જો કોઈને પણ અપહરણની ઘટના વિશે જાણ કરી તો મારી નાખવાની ધમકી મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">