Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લીલા શાકભાજી બાદ હવે કઠોળના ભાવ વધ્યા, પ્રતિ કિલોએ 5થી10 રૂપિયાનો થયો વધારો

શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓએ કઠોળ ખાવવાનું ચાલુ કર્યું, તો તેવામાં હવે કઠોળનો સ્વાદ પણ ગૃહિણી માટે મોંઘો થયો છે. કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જેના લીધે હવે ગુજરાતી થાળીમાંથી કઠોળ પણ ગાયબ થઈ ગયું છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 7:44 AM

મોંઘવારી (Inflation) કાળમાં લીલા શાકભાજી બાદ કઠોળના ભાવ આસમાને પહોંચી ગયા છે. શાકભાજીના ભાવમાં વધારો (Price increase) થતા ગૃહિણીઓએ કઠોળ (pulse) ખાવવાનું ચાલુ કર્યું, તો તેવામાં કઠોળનો સ્વાદ પણ ગૃહિણી માટે મોંઘો થયો છે. કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જેના લીધે હવે ગુજરાતી થાળીમાંથી કઠોળ પણ ગાયબ થઈ ગયું છે. હાલ કિલો મગના 90 રૂપિયા છે જે પહેલા 85 રુપિયા હતા. જો ચોળાની વાત કરીએ તો હાલ 80 રૂપિયે કિલો ચોળા બજારમાં મળે છે. જે પહેલા 75 રૂપિયે મળતા હતા. મસુરના કિલોના 80 રૂપિયા જે પહેલા 76 રૂપિયામાં મળતા હતા. કાબુલી ચણામાં કિલોએ 6 રૂપિયાનો વધારો થયો છે. જે બજારમાં પહેલા 90 રુપિયામાં મળતા હતા. કાળા અડદના ભાવમાં પણ રૂપિયા 4નો વધારો ઝીંકાયો છે. જે પહેલા 80 રૂપિયે કિલો મળતા હતા. હાલ તેનો નવો ભાવ 84 રૂપિયા થયો છે.

આ તરફ કઠોળના ભાવ વધતા દાળના ભાવમાં પણ વધારો થયો છે. તુવેરની દાળમાં કિલોએ 10 રૂપિયા અને અડદની દાળમાં 6 રૂપિયાના ભાવ વધ્યા છે. હાલ કિલો તુવેરની દાળ 110 રૂપિયે અને અડદની દાળ 86 રૂપિયે કિલો કાલુપુર બજારમાં મળી રહી છે. કઠોળના ભાવ વધારાના પગલે ગૃહિણીઓના બજેટ પર સીધી અસર પડી છે

TMKOC: તો શું આ છે 'તારક મહેતા' શોની નવી દયાબેન? જાણો સત્ય
LPG, UPI અને TAX માં 1 એપ્રિલથી લાગુ થશે આ મોટા ફેરફારો
રવિના ટંડનની દીકરી રાશા થડાનીના જુઓ સુંદર ફોટો
ઘરની આ 5 જગ્યાઓ પર ભૂલથી પણ ના રાખવો જોઈએ તુલસીનો છોડ!
ડેવિડ વોર્નરને ફિલ્મ 'રોબિન હૂડ' માટે કેટલો ચાર્જ લીધો, જુઓ ફોટો
આ વસ્તુઓ ન ખાઓ, તમારું શુગર લેવલ અચાનક વધી જશે

ઘઉં ચોખાના ભાવમાં પણ દિવસે ને દિવસે મોંઘવારી વધતા સામાન્ય જનતા ના બજેટ પર ફટકો પડ્યો છે. પહેલા શાકભાજી ના ભાવ વધ્યા ત્યારે ગૃહિણીઓ કઠોળ તરફ વળી, પરંતુ મોંઘવારી એ કઠોળ, ચા ખાંડ, દાળ, ચોખા વગેરેને પણ ભરડામાં લેતા હવે શું ખાવું અને શું બનાવવું તે પણ એક ચિંતાનો વિષય છે.

ઘઉંની એક ગુણી શરબતી ટુકડી જે પહેલા 2400-2600 માં મળતી હતી તેનો ભાવ હવે 3000 રૂ.થઈ ગયો છે. જ્યારે ચોખા ની વાત કરવામાં આવે તો ચોખા જીરાસરનો ભાવ જે પહેલા 2800-3000 સુધી રહેતો તે વધીને હવે 3400-3500 થઈ ગયો છે. આમ અનાજ ભરવાની સીઝનમાં જ ઘઉં ચોખાના ભાવ આસમાને પહોંચી ગયા છે.

આ પણ વાંચો-

રશિયા-યુક્રેન યુદ્ધની અસર અમદાવાદ શહેરના વિકાસ પર પડી, જાણો કેવી રીતે

આ પણ વાંચો-

ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા, કોરોનાથી એક પણ મૃત્યુ નહીં

g clip-path="url(#clip0_868_265)">